Site icon Revoi.in

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો મોટો નિર્ણય: હવેથી પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે

Union Minister C.R. Patil's big decision: From now on, piloting and escort vehicles will not be used

Union Minister C.R. Patil's big decision: From now on, piloting and escort vehicles will not be used

Social Share

નવી દિલ્હી, 12 મે, 2026 – કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં લઈને મોટો નિર્ણય કર્યો છે. મંત્રીશ્રી પાટીલ હવેથી પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે તેમ સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી અપીલના બીજા જ દિવસે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે એક પ્રશંસનીય અને આદર્શ નિર્ણય લીધો છે. સી.આર. પાટીલે જાહેર કર્યું છે કે, જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ કારનો ઉપયોગ કરશે નહીં.

 આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પેટ્રોલ અને ડીઝલની બચત કરી રાષ્ટ્રના હિતમાં યોગદાન આપવાનો છે.

શ્રી સી.આર. પાટીલે આજથી જ આ નિયમનો અમલ શરૂ કરી દીધો છે અને તેઓ તેમના નિર્ધારિત કાર્યક્રમોમાં એસ્કોર્ટ કે પાયલોટ ગાડી વગર જ રવાના થયા હતા.

કેન્દ્રીય મંત્રીના આ નિર્ણયથી અન્ય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મંત્રી મંડળોને પણ કરકસર માટે પ્રેરણા મળશે.

આ પણ વાંચોઃ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે હવે વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, જ્યારે દેશ અને દુનિયા ક્રૂડ ઓઈલની કટોકટીનો સામનો કરી રહી હોય, ત્યારે એક જવાબદાર પ્રતિનિધિ તરીકે ઈંધણ બચાવવું એ આપણી ફરજ છે. વડાપ્રધાનના ‘જળ શક્તિ’ અને ‘કેચ ધ રેઈન’ જેવા અભિયાનોને જે રીતે તેમણે સફળ બનાવ્યા છે, તેમ હવે ઈંધણ બચાવવાના આ સંદેશને પણ તેઓ જન-જન સુધી પહોંચાડવા માંગે છે.

કેન્દ્રીય મંત્રીના આ ‘પહેલ’ ને કારણે સામાન્ય નાગરિકોમાં પણ એક સકારાત્મક સંદેશ ગયો છે કે નેતૃત્વ જ્યારે પોતે અમલ કરે છે ત્યારે જ સમાજમાં મોટું પરિવર્તન આવે છે.

Exit mobile version