Site icon Revoi.in

ઝડપથી વજન ઓછુ કરવામાં પાણીનો ઉપવાસ અસરકારક, જાણો એક્સપર્ટનો અભિપ્રાય

Social Share

ઉપવાસ કરવાનુ ચલણ આજકાલ ઘણું વધ્યું છે. વજન ઘટાડવા માટે આ એક પ્રમુખ તરિકો બની ગયો છે. પણ સીમિત સમય માટે ઉપવાસ કરવો સામાન્ય રીતે સરખુ માનવામાં આવે છે. લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. ઉપવાસ બ્લડ શુગર લેવલ, બીપી અને કોલેસ્ટ્રોલ લેવલને અસર કરી શકે છે. ઉપવાસ દરમિયાન પૂરતું પાણી પીવું જરૂરી છે, આ ડિહાઇડ્રેશનને અટકાવશે.

એક્સપર્ટ મુજબ, લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી શરીરની ફેટની ટકાવારી ઘટી શકે છે. પણ આ અસર ન્યૂનતમ છે. જેમ જેમ તમે ખોરાક ખાશો, તમારી ચરબી વધશે. ઉપવાસ કરવાથી શરીરનું એકંદર વજન ઘટાડી શકાય છે, પણ તે ખાસ કરીને ફેટ ઘટાડતું નથી. ઉપવાસની સાથે તમારા માટે નિયમિત એક્સરસાઈઝ અને કેલરી કંટ્રોલ કરવી જરૂરી છે.

શરૂઆતમાં, ઉપવાસથી વજન ઝડપથી ઘટે છે, પણ તે મોટાભાગે પાણીનું વજન છે. ઉપવાસ કર્યા પછી, વજનમાં ઘટાડો અટકી શકે છે અથવા ફરી વધી શકે છે. આપણે ખોરાક ખાઈએ, ત્યારે વધારાની ઊર્જા ગ્લાયકોજેનના સ્વરૂપમાં શરીરમાં સંગ્રહિત થાય છે. આ ગ્લાયકોજેન આપણા લિવર અને સ્નાયુઓમાં સંગ્રહિત થાય છે. તમે ઉપવાસ કરો, ત્યારે શરીર સૌ પ્રથમ ગ્લાયકોજનનો એનર્જી તરીકે ઉપયોગ કરે છે. જ્યારે ગ્લાયકોજેન સ્ટોર્સ ખાલી થઈ જાય છે, ત્યારે શરીર ઊર્જા માટે ફેટના સ્ટોર્સનો ઉપયોગ કરવાનું ચાલુ કરે છે. લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી વજન ઘટે છે. પરંતુ આ પદ્ધતિ સરખી માનવામાં આવતી નથી.

સંશોધન મુજબ, લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી શરીરના ફેટની ટકાવારીમાં થોડો ઘટાડો થઈ શકે છે., ચરબી ઘટાડવા માટે, નિયમિત ઉપવાસની સાથે એક્સરસાઈઝ અને કેલરી કંટ્રોલ કરવી જરૂરી છે.