Site icon Revoi.in

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોને મળ્યું સ્થાન જાણો..

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલનો શપથવિધી સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. નવી સરકારના મંત્રીમંડળમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્રાહ્મણ, ક્ષત્રિણ, પાટીદાર, જૈન, ઓબીસી અને એસટી-એસસી સમાજના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપીને તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ સોંપવામાં આવ્યું છે. એટલું જ નહીં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ગત સરકારના કેટલાક નેતાઓ અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં અનેક ચર્ચાતા રાજકીય નેતાઓને હાલના મંત્રીમંડળમાં સ્થાન નહીં આપીને તમામને ચોંકાવી દીધા છે. કેબિનેટ મંત્રીમંડળમાં ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપુત, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, મનુભાઈ બેરા, ડો. કુબેરભાઈ ડીંડોર અને ભાનુબેન બાબરિયાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માને રાજકક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખારડ, મુકેશ પટેલ, પ્રફુલભાઈ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હડપતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે તમામ મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરવામાં આવશે. જ્યારે આગામી દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે ત્યારે અન્ય નેતાઓને સ્થાન આપવામાં આવે તેવી શકયતાઓ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાદ તેમના મંત્રીમંડળમાં સમાવેલા મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. શપથવિધી સમારોહ બાદ મંત્રીઓના ખાતાઓને લઈને પણ અટકળો વહેતી થઈ હતી. આ ભુપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓને ખાતાની ફાળવણી સાથે સચિવાલયમાં ઓફિસની પણ ફાળવણી કરવામાં આવશે. જેથી તેઓ ઝડપથી વિકાસની કામગીરીને આગળ ધપાવી શકે.

https://fb.watch/hmM4USyFbj/