1. Home
  2. Tag "bjp government"

રાજસ્થાનઃ ભાજપા સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 22 મંત્રીઓએ શપથગ્રહણ કર્યાં

જયપુરઃ રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સરકારનું આજે શનિવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ 12 કેબિનેટ, પાંચ રાજ્યમંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને પાંચ રાજ્યમંત્રીઓને શપથ લેવડાવ્યાં હતા. આજે શપથગ્રહણ કરનારા 22 મંત્રીઓને આગામી દિવસોમાં ખાતાની વહેંચણી કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનની ભાજપ સરકારના કેબિનેટ મંત્રી તરીકે કિરોડીલાલ મીણા, ગજેન્દ્ર સિંહ મીણા, રાજ્યવર્ધન સિંહ […]

8 માર્ચે ત્રિપુરામાં યોજાશે ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ,PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી માર્ચે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT)ના ગઠબંધનની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ માહિતી આપી. તાજેતરમાં પૂર્ણ થયેલી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 60માંથી 32 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી IPFTએ એક બેઠક જીતી હતી. […]

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોને મળ્યું સ્થાન જાણો..

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલનો શપથવિધી સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. નવી સરકારના મંત્રીમંડળમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્રાહ્મણ, ક્ષત્રિણ, પાટીદાર, જૈન, ઓબીસી અને એસટી-એસસી સમાજના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપીને તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ સોંપવામાં આવ્યું છે. એટલું જ […]

ગુજરાતમાં ભાજપે 27 વર્ષમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્‍ટાચાર વધારવાનું કામ કર્યુ છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસે કેટલાક પ્રશ્નોની આક્રમક રજુઆત કરીને ભાજપ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે વિધાનસભામાં છેલ્લા દિવસના પ્રસ્‍તાવની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્‍યું હતું કે, ‘બહુત હુઈ મહેંગાઈ કી માર’ જેવા નારાથી સત્તારૂઢ થયેલી ભાજપ સરકારના રાજમાં મોંઘવારી અતિશય વધી છે. ભાજપ સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, […]

કેન્દ્રની ભાજપ સરકાર ઉપર મમતા બેનર્જીના આકરા પ્રહાર, વિપક્ષી પાર્ટીઓને લખ્યા પત્રો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. સમગ્ર ઘટનાની રાજ્ય અને કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લીધી હતી. તેમજ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે હિંસાની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રની ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરીને વિપક્ષી પાર્ટીઓને પત્ર લખ્યો હતો. એટલું જ […]

ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારને ઘેરવાના કોંગ્રેસના પ્રયાસો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષે નવી સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કર્યાં હતા. મુંદ્રામાંથી ઝડપાયેલા કરોડોના હેરોઈન મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા. તેમજ વિધાનસભાના ગૃહમાં ગૃહરાજ્યમંત્રીના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યાં હતા. પરેશ ધાનાણીએ સરકારની મીઠી નજર હેઠળ ડ્રગ્સ આવ્યુ તેવું નિવેદન આપતા પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી સરકારની […]

ગુજરાત ભાજપની નવી સરકારમાં મુળ કોંગ્રેસી એવા મંત્રીઓને પડતા મુકીને નવા ચહેરાને સ્થાન અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓના રાજીનામાં બાદ નવા સીએમ અને નવી સરકારની રચનાની તૈયારીઓ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પૂરજોશમાં ચાલી રહી છે.  ભાજપના જ સૂત્રોના કહેવા મુજબ પાટીદાર મુખ્યમંત્રી સહિત બે નાયબ મુખ્યમંત્રીઓમાં એક ઓબીસી નાયબ મુખ્યમંત્રી પદ મહિલાને મળી શકે છે. જ્યારે રૂપાણી મંત્રીમંડળના 6 બિમાર અને નિષ્ફળ રહેલા મંત્રીઓને પડતા મુકી યુવા […]

ગુજરાતઃ એક લાખ વિદ્યાર્થીઓને નિવાસી શાળાઓમાં ભણાવવા સરકાર 600 કરોડનો ખર્ચ કરશે

ગાંધીનગરઃ ગુજરાતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુકત શાળાકીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ ઓફ એકસેલન્સની શઆત કરી છે. આ પ્રોજેકટમાં ખાનગી સંસ્થા કે વ્યકિત સરકારી સ્કૂલોના તેજસ્વી વિધાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદપ તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે પુરી પાડશે. રાજ્ય સરકાર દર વર્ષે આ પ્રોજેકટ હેઠળ એક લાખ વિધાર્થીઓ તૈયાર કરાશે. સૂત્રોના જણાવ્યા […]

રાજ્ય સરકારે લોકડાઉનનો નિર્ણય શા માટે ન કર્યો, ક્યા કારણોથી સરકારે વિચાર માંડી વાળ્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, ગુજરાત હોઈકોર્ટે પણ કોરોનું સંક્રમણ તોડવા માટે ત્રણ-ચાર દિવસના લોક ડાઉન માટે સુચના આપી હતી. બીજી બાજુ લોકડાઉનની જાહેરાત ક્યારે કરાશે તેની લાકો રાહ જોઈ રહ્યા હતા પણ સરકાર લોકડાઉનના નિર્ણય માટે અવઢવભરી સ્થિતિમાં હોવાનું કહેવાય છે. જો કોરોનાને કાબૂમાં લેવા લોકડાઉન કરવામાં આવે તો રસીકરણ, ટેસ્ટિંગ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code