અમદાવાદમાં જગન્નાથજીની 148મી જળયાત્રા વાજતે-ગાજતે નિકળીને નીજ મંદિરે પરત ફરી
જળયાત્રામાં મહંત દિલિપદાસજી, ટ્રસ્ટીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા, મહંત, ટ્રસ્ટીઓએ ક્રૂઝ પર સવાર થઇને સાબરમતી નદીના મધ્યમાં જઈને જળ લીધું, નીજ મંદિરમાં ભગવાનનો જળાભિષેક કરાયો અમદાવાદઃ શહેરમાં ભાગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અષાઢી બીજને 27મી જુને યોજાશે. રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે જેઠસુદ પુનમના દિને જગન્નાથજીના મંદિરથી જળયાત્રા વાજતે-ગાજતે નિકળી હતી. જળયાત્રામાં […]