1. Home
  2. Tag "vadodara"

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક સર્જાયો 3 કિમી લાંબો ટ્રાફિક જામ

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ વચ્ચેનો નેશનલ હાઈવે સતત 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. દેશનો સૌથી વ્યસ્ત હાઈવે ગણાય છે. ત્યારે આ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ અવાર-નવાર જોવા મળી રહ્યા છે. વડોદરા નજીક બુધવારે સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ભારે ટ્રાફિકજામમાં મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાઇ ગયા હતા. હાઇવે પરના બ્રિજ સાંકડા હોવાથી સમસ્યા […]

RBIને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપીની વડોદરામાંથી ધરપકડ

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપી પર મુંબઈ પોલીસે તેની પકડ વધુ કડક કરી છે. આરોપીની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસે આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની વડોદરાથી ધરપકડ કરી […]

ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લિવેબલ બનાવાશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લિવેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વડોદરા શહેરને રૂ.722 કરોડના વિકાસ કામોની સોગાદ આપતા તેમણે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શહેરી વિકાસનો જે પાયો નાખ્યો છે, તેના ઉપર ગુજરાત તેજ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યમાં જ્યાં માનવી, ત્યાં સુવિધાઓ આપવામાં આવી છે. […]

વડોદરામાં ‘ક્વોલિટી ઇક્વિપમેન્ટ ઇન ટાઇમ’ પર વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન

અમદાવાદઃ વડોદરામાં 14 ડિસેમ્બર, 2023ના રોજ થી સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેજા હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એશ્યોરન્સ (ડીજીક્યુએ) દ્વારા ‘ક્વોલિટી ઇક્વિપમેન્ટ ઇન ટાઇમ’ થીમ પર વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભારત સરકારનાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં ‘વેપાર-વાણિજ્યમાં સરળતા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’નાં વિઝનને ધ્યાનમાં રાખીને વિવિધ હિતધારકોને સંરક્ષણ […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ભીમનાથ બ્રિજ પાસે મગર યુવાનને ખેંચી ગયો, અંતે મળ્યું મોત

વડોદરાઃ  શહેરની વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં હોવાને કારણે અનેક વાર મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના તેમજ બકરા, કુતરા અને માનવી પર હુમલાના બનાવ બનતા હોય છે. ત્યારે  વિશ્વામિત્રી નદીના ભીમનાથ બ્રિજ નજીક એક મહાકાય મગર એક યુવાનને ખેચી ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. અને મગરના મોંમાથી […]

વડોદરામાં ભગવાન નરસિંહજીના મંદિરેથી નીકળેલા વરઘોડામાં લોકો જાનૈયા બનીને જોડાયાં

વડોદરાઃ દેવ દિવાળીના દિને શહેરના એમ.જી.રોડ નરસિંહજીની પોળમાં આવેલા નરસિંહજીના મંદિરમાંથી બપોરે નીકળેલા વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયારૂપી શહેરીજનો જોડાયા હતા.  હાથી ઘોડા પાલખી જય નરહરી લાલકી…ના ગગનભેદી જયઘોષ સાથે વાજતે-ગાજતે ભગવાન નરસિંહજીનો ભવ્યાતિભવ્ય વરઘોડો નીકળ્યો હતો. વડોદરામાં સોમવારે દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો વરઘોડોમાં મોટી સંખ્યમાં શહેરીજનો જોડાયા હતા. શહેરના એમ.જી. રોડ ઉપર આવેલી નરસિંહજીની […]

વડોદરામાં મેટ્રો રેલ શરુ કરવાની કવાયત તેજ બની, પ્રોજેક્ટ પાછળ રૂ. 5608 કરોડના ખર્ચનો અંદાજ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ શહેરમાં પ્રથમ ફેઝમાં કેટલાક વિસ્તારમાં હાલ મેટ્રો રેલ દોડી રહી છે અને આગામી દિવસોમાં અમદાવાદથી ગાંધીનગરના બીજા ફેઝની સેવાનો પણ પ્રારંભ થશે, જેથી ગણતરીની મિનિટોમાં જ મેટ્રો મારફતે અમદાવાદથી ગાંધીનગર પહોંચી શકાશે. આ ઉપરાંત સુરતમાં મેટ્રો રેલ દોડાવવાને લઈને કવાયત ચાલી રહી છે. દરમિયાન વડોદરા શહેરમાં પણ મનપા તંત્ર દ્વારા મેટ્રો […]

વડોદરા નજીક ફાજલપુર ગામ પાસે મહી નદીના કિનારે છઠ્ઠની પૂજા માટે 35000થી વધુ લોકો ભાગ લેશે

વડોદરાઃ દેશના તમામ રાજ્યોમાં તહેવારોનું અલગ અલગ મહાત્મ્ય હોય છે. જેમાં ઉત્તર અને પૂર્વના રાજ્યોમાં છઠ્ઠની પૂજાનું વિશેષ મહાત્મ્ય છે. દેશના ગમે તે રાજ્યોમાં વસવાટ કરતાં ઉત્તર અને પૂર્વના રાજ્યોના લોકો છઠ્ઠની પૂજા માટે પોતાના માદરે વતન જતાં હોય છે. પરંતુ જે લોકો પોતાના વતન જઈ શકે તેમ ન હોય તેવા લોકો દ્વારા સ્થાનિક લેવલે […]

દિવાળીની રજાઓ અને છઠ્ઠની પૂજા માટે ગયેલા પ્રવાસીઓને પરત લાવવા ખાસ ટ્રેનો દોડાવાશે

વડોદરાઃ રાજ્યમાં દિવાળી વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, અને અમદાવાદ સહિત શહેરોમાંથી પરપ્રાંતના શ્રમિકો દિવાળીના વેકેશન તેમજ છઠ્ઠની પૂજા માટે તેમના માદરે વતન ગયા છે. જેમાં ઉત્તર અને પૂર્વના રાજ્યોના ગુજરાતમાં વસવાટ કરનારાં મોટાભાગના હિન્દીભાષી લોકો તેમના વતનમાં ગયા છે. જેમને પરત લાવવા માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્વિમ રેલવે દ્વારા […]

વડોદરામાં પ્રતાપનગર ઓવરબ્રિજ પર પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના મોત

વડોદરાઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વાહનચાલકો પૂરફાટ ઝડપે વાહનો દોડાવતા હોવાથી અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વડાદરામાં  પ્રતાપનગર ઓવરબ્રિજ પર  પૂરફાટ ઝડપે આવેલા બે બાઈક સામસામે ધડાકા સાથે અથડાતા બે યુવાનોના  મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને યુવાનોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code