Site icon Revoi.in

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2022: કેટલીક આજના દિવસની વિશેષ માહિતી

Social Share

દિલ્હી : મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આજે  રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે, ત્યારે આજના દિન વિશેષના વિષે કેટલીક વધુ વિગતો જાણીએ. 16 નવેમ્બર, 1966ના રોજ, ભારતીય પ્રેસ રિપોર્ટિંગની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 1956 માં, ભારતના પ્રથમ પ્રેસ કમિશને પત્રકારત્વની નીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે એક સમિતિની કલ્પના કરી હતી. અને તે મુજબ ગોપનીયતા અને વિશ્વસનીયતા જાળવવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા તમામ પત્રકારત્વની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવે છે.

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપનાની યાદમાં દર વર્ષે 16 નવેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. જે એક વૈધાનિક અને અર્ધ-ન્યાયિક સંસ્થા  છે. આ દિવસે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કામ કરવાનું શરૂ કર્યું. આ દિવસ ભારતમાં સ્વતંત્ર અને જવાબદાર પ્રેસની હાજરી દર્શાવે છે.

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ અનુસાર, કાઉન્સિલની અધ્યક્ષતા પરંપરાગત રીતે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવે છે અને 28 વધારાના સભ્યો જેમાંથી 20 ભારતમાં કાર્યરત મીડિયા આઉટલેટ્સના સભ્યો છે. પાંચ સભ્યો સંસદના ગૃહોમાંથી નામાંકિત થાય છે અને બાકીના ત્રણ સાંસ્કૃતિક, કાયદાકીય અને સાહિત્યિક ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે.

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ભારતીય મીડિયાના અહેવાલની ગુણવત્તાની તપાસ કરવા માટે જવાબદાર છે, તથા સાથે જ પત્રકારત્વની  અન્ય પ્રવૃત્તિઓ પર પણ નજર રાખે છે. પ્રેસનો ધ્યેય લોકો દ્વારા થતાં કોઈપણ અન્યાયને પ્રકાશમાં લાવવા અને સિસ્ટમની  બિમારીને પ્રકાશિત કરવાનો છે. તે સરકારને આ સમસ્યાઓના ઉકેલો શોધવામાં મદદ કરવા માટે છે, જ્યારે બીજી તરફ  શાસનની લોકશાહી પ્રણાલીના મૂલ્યોને મજબૂત બનાવે છે. આ જ કારણસર, પ્રેસને ઘણીવાર મજબૂત લોકશાહીના ચાર સ્તંભોમાંથી એક તરીકે ઓળખવામાં આવે છે અને તે એકમાત્ર પાસું છે જ્યાં સામાન્ય નાગરિક સીધી રીતે ભાગ લઈ શકે છે.  પ્રતિકૂળ સંજોગોમાં હિંમતથી અને નીડરતાથી પત્રકારો પોતાની ફરજ બજાવતાં હોય છે અને તેથી જ પત્રકારોને સમાજનું દર્પણ કહેવાય છે, તેઓ સત્યને ઉજાગર કરવા અને સમાજની  યોગ્ય અને સાચી હકીકતોને લાવવા સતત ગતિશીલ અને જવ્બદાર રહેતાં હોય છે.

પ્રેસની સ્વતંત્રતા અને તેની સમાજ પ્રત્યેની જવાબદારીઓનું પ્રતીક, આ દિવસ દેશમાં પ્રેસની સ્વતંત્રતાને પણ ચિહ્નિત કરે છે. પ્રેસની સ્વતંત્રતાની અભિવ્યક્તિ એ પ્રેસની સ્વતંત્રતાનું  એક આવશ્યક પાસું છે.જે પ્રેસની અખંડિતતાને સુનિશ્ચિત કરે છે, કારણ કે ઘણીવાર પ્રેસને કાયમ નિર્બળ અને પોતાના હક્ક માટે અવાજ ના ઉઠાવી  શકનારા લોકોના અવાજ તરિક ઓળખવામાં આવે છે.  પ્રેસ એ શાસક અને પ્રજા વચ્ચેની અગત્યની કડી છે.

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે સૂચના ને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી સૌને આ દિવસની શુભેચ્છા આપતાં  જણાવે છે કે “હું તમામ મીડિયાકર્મીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ આપું છું. આજનો દિવસ એ ડર કે તરફેણ વિના જવાબદાર પત્રકારત્વ પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને ફરીથી યાદ કરવાનો દિવસ છે.હું આપણી લોકશાહીમાં મીડિયા વધુને વધુ રચનાત્મક ભૂમિકા ભજવે , તેની રાહ જોઉં છું.”