1. Home
  2. revoi editor

revoi editor

વૈશ્નોદેવી-ઝૂંડાલ હાઈવે પરનો કટ બંધ કરાતા લોકોએ કર્યો વિરોધ

અમદાવાદ, 8 જાન્યુઆરી 2026: શહેરના વૈશ્નોદેવી-ઝૂંડાલના એસપી રિંગ રોડ હાઈવે પર હોટલ હિલ્લોક નજીકનો ડિવાઈડર પરનો કટ બંધ કરી દેવાતા ન્યુ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોના વાહનચાલકોને હાલાકી પડી રહી છે. આથી આ વિસ્તારના વાહનચાલકો સહિત લોકોએ ભારે વિરોધ કરીને સિગ્નેચર કેમ્પેઇન શરૂ કર્યું છે, કહેવાય છે કે, ભાજપના સાંસદ નરહરિ અમીનની રજૂઆત બાદ ઔડા અને […]

કુરિયરના પાર્સલમાંથી મોંઘા મોબાઈલ ફોનની બદલી કરતી સ્કેમર ગેંગ પકડાઈ

અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2026,  ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધતો જાય છે. ત્યારે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીના પાર્સલમાંથી મોંઘા મોબાઈલ ફોન બદલીને છેતરપિંડી કરતી ગેન્ગને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને નિશાન બનાવતી આ ગેંગ લોજિસ્ટિક્સ ચેઇનમાં ઘૂસીને અસલ કિંમતી સામાનને બદલે ડમી પ્રોડક્ટ્સ પધરાવી દેતી હતી. ક્રાઈમ બ્રાન્ચે […]

સાંચોર-થરાદ હાઈવે પર પૂર ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બેનાં મોત

પાલનપુર, 8 ફેબ્રુઆરી 2026,  થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. સાંચોર-થરાદ હાઇવેના સર્વિસ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઈકસવાર ત્રણ વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. જેમાં પિલુડા ગામની બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત […]

મુળીના ધોળિયા ગામે કોલસાના ખનન કેસમાં 4 શખસો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર, 8 ફેબ્રુઆરી 2026,  જિલ્લાના મૂળી તાલુકાના ધોળિયા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કોલસા ખનન કરવાના કેસમાં કલેક્ટરના આદેશ બાદ 4 શખસો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી ‘ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020’ હેઠળ કરવામાં આવી છે. ખનીજ માફિયા સામે કડક કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. આ બનાવની […]

રાજગઢમાં 5 કરોડ રૂપિયાના MD ડ્રગ્સ અને કેમિકલ જપ્ત, ચાર દિવસમાં બીજી મોટી કાર્યવાહી

ભોપાલ, 08 ફેબ્રુઆરી 2026: રાજગઢ જિલ્લાના માચલપુર વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રગ્સના વેપાર સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાન સરહદને અડીને આવેલા એક નિર્જન વિસ્તારમાં, પોલીસે ફરી એકવાર MD ડ્રગ્સ બનાવવામાં વપરાતા કેમિકલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત બજાર કિંમત આશરે 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે આના ચાર […]

સુરેન્દ્રનગરમાં કાલે સોમવારે કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો મહારેલી યોજાશે

સુરેન્દ્રનગર, 8 ફેબ્રુઆરી 2026, શહેરમાં કોંગ્રેસ દ્વારા લોકશાહી અને મતાધિકાર અધિકારો બચાવવા માટે મહારેલી અને ઘરણાનો કાર્યક્રમ આવતી કાલે 9મી ફેબ્રુઆરીને સોમવારે યોજાશે.આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, નૌશાદ સોલંકી, ડો. હિરેન બેંકર, ડો. મનીષ દોશી સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાશે. ભાજપ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યુ છે. અને મતદાર યાદીમાંથી કોંગ્રેસ સમર્થિત મતદારોની બાદબાકી […]

ભાવનગરના સિહોર તાલુકામાં વીજ તંત્રના દરોડામાં 50 લાખની વીજચોરી પકડાઈ

ભાવનગર, 8 ફેબ્રુઆરી 2026, જિલ્લાના ગામડાઓમાં પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વીજચોરી સામે સઘન તપાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. રૂરલ ડિવિઝન નીચેના સિહોર અને વલભીપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં 50.44 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. વીજ તંત્રની તવાઈથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પીજીવીસીએલ  ભાવનગર સર્કલમાં પાંચમા દિવસે GUVNLની કોર્પોરેટ […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ટેકનિકથી મગરોની ગણતરીનો પ્રારંભ

વડોદરા, 8 ફેબ્રુઆરી 2026, શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરોના વસવાટને લઈ વિશ્વામિત્રી નદી દેશભરમાં જાણીતી બની છે, ત્યારે વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની ગણતરી એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી અને વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં ઝૂઓલોજી વિભાગના 30 વોલિન્ટિયર, વન વિભાગના કર્મચારીઓ અને એનજીઓના વોલિન્ટિયર પણ જોડાયા છે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં ગણતરી કરવામાં […]

સુરતમાં પોલીસ કમિશનરના પીએને માર મારનારા ત્રણ આરોપીઓ પકડાયા

સુરત, 8 ફેબ્રુઆરી 2026,  શહેરમાં પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અક્ષયકૂમાર આહિર રાત્રે કાર લઈને ઘર તરફ જતા હતા ત્યારે લકઝરી બસને લીધે ટ્રાફિક જામ થયેલો જોતા કાર ઊભી રાખીને ટ્રાફિક ક્લીયર કરાવવતા જતા ત્રણ શખસોએ ઝગડો કરીને અક્ષયકૂમારને માર માર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. […]

“માત્ર બ્રાહ્મણો જ નહીં, કોઈપણ જાતિનો કોઈપણ વ્યક્તિ સરસંઘચાલક બની શકે છે”: મોહન ભાગવત

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે 100 વર્ષ પૂર્ણ થવા પર મુંબઈમાં આયોજિત વ્યાખ્યાન શ્રેણીમાં RSS વડા પદ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ, પછી ભલે તે ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય કે બ્રાહ્મણ હોય, તે સરસંઘચાલક બની શકે છે. ફક્ત બ્રાહ્મણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code