1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

GST દરોમાં ઘટાડોનો નિર્ણય સામાન્ય માણસ, ખેડૂતો, MSME,મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને સીધો લાભ આપશેઃ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા GST દરોમાં કરાયેલા આગામી પેઢીના સુધારાઓની પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ નિર્ણયની સરાહના કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે GST દરોમાં ઘટાડો કરવાનો આ નિર્ણય સામાન્ય માણસ, ખેડૂતો, MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો), મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને સીધો […]

GST કાઉન્સિલે 12% અને 28% ના દરોને નાબૂદ કરીને વર્તમાન ચાર સ્લેબને ઘટાડીને ત્રણ કર્યા

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 56મી બેઠક તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં સામાન્ય માણસ, શ્રમ-સઘન ઉદ્યોગો, ખેડૂતો અને આરોગ્ય ક્ષેત્રને રાહત આપવા માટે GST દરોમાં મોટા ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. GST સ્લેબમાં ઘટાડો અને નવા દરો GST કાઉન્સિલે 12% અને 28% ના દરોને નાબૂદ કરીને વર્તમાન ચાર સ્લેબને ઘટાડીને […]

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: 2 x 100 મીટર લાંબા લોખંડના પુલનો બીજો 100 મીટર સ્પાન લોન્ચ કરાયો

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 2 x 100 મીટર લાંબા લોખંડના પુલનો બીજો 100 મીટર સ્પાન સફળતાપૂર્વક ગુજરાતના નડિયાદ નજીક એનએચ-48 (જે દિલ્હી, મુંબઈ અને ચેન્નઈને જોડે છે) પર લોન્ચ કરવામાં આવ્યો છે. આ લોખંડ પુલનો પહેલો 100 મીટરનો સ્પાન એપ્રિલ 2025ના મહિનામાં પૂર્ણ થયો હતો. ગુજરાતમાં આયોજન કરાયેલા 17 લોખંડના પુલમાંથી આ નવમો લોખંડ […]

જાપાનના આ શહેરમાં સ્માર્ટફોન વપરાશ મર્યાદિત કરવા અનોખો પ્રસ્તાવ

ટોક્યો: જાપાનના ટોયોઆકે શહેરે તાજેતરમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં તમામ રહેવાસીઓને દરરોજ મહત્તમ બે કલાક જ સ્માર્ટફોન વાપરવાની સલાહ આપવામાં આવી છે. આ પહેલનો હેતુ ઓનલાઇન લત અને વધતા સ્ક્રીન ટાઇમને કારણે ઊભી થતી શારીરિક તેમજ માનસિક તકલીફોને ઘટાડવાનો છે. શહેરના મેયર મસાફુમિ કોકીએ જણાવ્યું કે, સ્માર્ટફોનનો અતિશય ઉપયોગ ઊંઘની સમસ્યા સહિત અનેક […]

નક્સલ વિરોધી કામગીરીને કારણે 6.5 કરોડ લોકોના જીવનમાં એક નવી સવાર આવી: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં CRPF, છત્તીસગઢ પોલીસ, DRG અને CoBRA જવાનોને મળ્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું જેમણે કર્રેગુટ્ટાલુ ટેકરી પર ‘ઓપરેશન બ્લેક ફોરેસ્ટ’ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ અને નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અને […]

રાષ્ટ્રીય વન્યજીવ દિવસ: સિંહ સહિત લાખો જીવ માટે ગુજરાત સૌથી સુરક્ષિત રહેઠાણ બન્યું

ગાંધીનગરઃ વન્યજીવના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત સરકાર જન ભાગીદારીથી અનેકવિધ નવતર અભિગમ અપનાવી રહી છે. જેના પરિણામ સ્વરૂપે એશિયાઈ સિંહ, યાયાવર પક્ષીઓ, ઘુડખર, ડોલ્ફિન, નીલગાય, ચિંકાર, ભારતીય સસલું, શિયાળ, રણ લોકડી, કાળીયાર, વરુ, રીંછ, ઝરખ, જંગલી બિલાડી સહિત અનેક લાખો અબોલા જીવ માટે વર્ષોથી ગુજરાત સૌથી ‘સુરક્ષિત’ રહેઠાણ બન્યું છે. ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, વન્ય […]

ટેરિફ ભારતીય બજારને પાટા પરથી ઉતારશે નહીં, રિપોર્ટમાં કરાયો દાવો

નવી દિલ્હીઃ વૈશ્વિક પડકારો છતાં ભારતનું ઈક્વિટી બજાર મજબૂત રહેશે. આનું કારણ સ્થાનિક રોકાણકારોની ઉચ્ચ ભાગીદારી અને યુએસ ટેરિફની ન્યૂનતમ અસર છે. જાહેર કરાયેલા એક અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે ભારતીય બજારો માટેના નવમાંથી પાંચ જોખમ પરિબળોમાં સુધારો થઈ રહ્યો છે. સંશોધન પેઢીએ વધુમાં જણાવ્યું હતું કે, “ટેરિફ બજારને પાટા પરથી ઉતારશે નહીં, કારણ […]

GST કાઉન્સિલની 56મી બેઠક શરૂ, મહત્વના નિર્ણયો લેવાશે

નવી દિલ્હીઃ GST કાઉન્સિલની 56મી બેઠક બુધવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. આ વખતની GST કાઉન્સિલની બેઠક પર બધાની નજર છે. આ બે દિવસીય બેઠકમાં, GST કાઉન્સિલ કેન્દ્રના આગામી પેઢીના GST સુધારા પ્રસ્તાવ પર ચર્ચા કરી રહી છે. બેઠકમાં, રોજિંદા વસ્તુઓ પર કર ઘટાડવા માટે GSTમાં મોટા ફેરફારો […]

નેપાળ-ભૂટાન નાગરિકોને પ્રવેશ માટે પાસપોર્ટ-વિઝા ફરજિયાત નહીઃ ભારત સરકારનો નિર્ણય

નવી દિલ્હી: ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે નેપાળ અને ભૂટાનના નાગરિકોને ભારતમાં પ્રવેશ કરવા માટે પાસપોર્ટ અને વીઝાની જરૂરિયાત હવે પણ નહીં રહે. ગૃહ મંત્રાલયે (MHA) તાજેતરમાં જાહેર કરેલા નવા આદેશમાં જણાવ્યું કે આ જ છૂટ ભારતના નાગરિકોને પણ લાગુ પડશે, જો તેઓ નેપાળ અથવા ભૂટાનથી રસ્તા કે હવાઈ માર્ગે ભારત પરત આવે છે. […]

માત્ર આધારકાર્ડથી નાગરિકતા સાબિત ન થઈ શકેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ કરી દીધું કે આધારકાર્ડને એકલા નાગરિકતા પુરાવા તરીકે સ્વીકારવું શક્ય નથી. બિહારની મતદાર યાદીનું વિશેષ પુનરીક્ષણ (એસ.આઈ.આર.) દરમિયાન ઉભા થયેલા વિવાદની સુનાવણી દરમ્યાન જસ્ટિસ સુર્યકાંત અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની ખંડપીઠે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટએ જણાવ્યું કે આધાર માત્ર ઓળખપત્ર છે, નાગરિકતા પુરાવા તરીકે તેનો ઉપયોગ થઈ શકતો નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code