1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જેતલપુરમાં પાણીની ટાંકીની સીડી હાઈટેન્શન વાયરને અડી જતાં કરંટ લાગતા બેના મોત

પાણીની ટાંકી લિકેજ હોવાથી તપાસ કરવા બે યુવાનો આવ્યા હતા ટાંકી પર ચડવા લોખંડની સિડી લેતા વીજળીના હાઈટેશન્શન વાયરની સ્પર્શ થઈ વીજ કરંટ લાગતા બન્ને યુવાનો પટકાયા અમદાવીદઃ શહેરના છેવાડે આવેલા જેતલપુર પાસે એક એન્જીનીયરીંગ કંપનીના ધાબા પર પાણીની ટાંકીમાં લીકેજ થતુ હતુ. તેથી કંપનીના બે કર્મચારીઓ પાણી લિકેજ ક્યાંથી થાય છે તેની તપાસ કરવા […]

વક્ફની જમીન પચાવી પાડનારા સલીમખાન પઠાણના ઘર પર ઈડીના દરોડા

ઈડીએ સલીમખાનમા ઘર સહિત 10 સ્થળોએ સર્ચ કર્યુ જમાલપુર અને  ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ કરાયુ,  કરોડોની બેનામી મિલકતો મળે તેવી શક્યતા અમદાવાદઃ  શહેરમાં ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની ભાડે આપેલી જગ્યા પચાવી ગેરકાયદે દબાણ કરનારા સલીમ જુમ્માખાન પઠાણના ઘર સહિત 10 અલગ-અલગ જગ્યાએ ઈડી (એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ) દ્વારા દરોડા […]

ગુજરાતમાં વાદળછાયાં વાતાવરણને કારણે તાપમાનમાં થયો ઘટાડો

અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનમાં 3થી4 ડિગ્રીનો ઘટાડો વાતાવરણમાં પલટા આવતા ગરમીથી લોકોએ રાહત અનુભવી હજુ બે-ત્રણ દિવસ માવઠું પડવાની શક્યતા અમદાવાદઃ રાજ્યમાં ગઈકાલે સોમવારે સાંજના સમયથી વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ હતી. રાતના સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડું અને કમોસમી વરસાદ પણ પડ્યો હતો. વાતાવરણમાં આવેલી પલટાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં આજે મહત્તમ […]

સુપ્રીમ કોર્ટના 33 માંથી 21 ન્યાયાધીશોએ પોતાની સંપત્તિ જાહેર કરી

ભારતીય ન્યાયતંત્રમાં પારદર્શિતા વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા સુપ્રીમ કોર્ટના 33 માંથી 21 વર્તમાન ન્યાયાધીશોએ તેમની સંપત્તિ જાહેર કરી છે. આ 21 ન્યાયાધીશોમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાનો પણ સમાવેશ થાય છે. આ ન્યાયાધીશોની મિલકતની વિગતો કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ન્યાયાધીશોની સંપત્તિની વિગતો પણ પ્રાપ્ત થતાંની સાથે જ […]

વિજયવાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે 1 જૂનથી ફ્લાઇટ સેવા ફરી શરૂ થશે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ વિજયવાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે સવારની ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઇટ સેવા 1 જૂન, 2025થી શરૂ થશે. આ રૂટ આંધ્રપ્રદેશમાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે, જે વિજયવાડાને રાજ્યના નાણાકીય કેન્દ્ર વિશાખાપટ્ટનમ સાથે જોડશે.  નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવા સુધારેલા ફ્લાઇટ શેડ્યૂલને […]

નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝને બીજા કાર્યકાળ બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એન્થોની અલ્બેનીઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને ઓસ્ટ્રેલિયાના 32માં પ્રધાનમંત્રી તરીકે તેમના ઐતિહાસિક પુનઃ ચૂંટાવા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીઓએ બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (CSP) ને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટ કરી. તેમણે નોંધ્યું કે તેમના પાંચ વર્ષમાં, CSP એ વિવિધ ક્ષેત્રોમાં મજબૂત સહયોગ વિકસાવ્યો […]

ઇ-સમન્સ સીધા કોર્ટમાંથી જારી કરવામાં આવશે, જેની નકલો સ્થાનિક પોલીસ સ્ટેશનોને મોકલવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના અને મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની સમીક્ષા માટે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં પોલીસ, જેલ, અદાલતો, કાર્યવાહી અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી […]

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડને GIFT સિટી ખાતે ઓફ-કેમ્પસ સેન્ટર સ્થાપવાની મંજૂરી મળી

નવી દિલ્હીઃ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT) નવી દિલ્હીના કેમ્પસ બહારના કેન્દ્રની સ્થાપનાને મંજૂરી આપી છે. આ કેન્દ્રની સ્થાપના UGC (ઇન્સ્ટિટ્યુશન્સ ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીઝ) રેગ્યુલેશન્સ, 2023 મુજબ કરવામાં આવશે. જાન્યુઆરી 2025માં જારી કરાયેલા લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI)માં નિર્ધારિત શરતોનું IIFT દ્વારા સફળતાપૂર્વક પાલન […]

જમ્મુ-કાશ્મીરના બૈસરન ખીણમાં સુરક્ષા એજન્સીઓએ બુલેટપ્રુફ જેકેટ સાથે એકની અટકાયત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ખીણમાં સતત સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. દરમિયાન, બૈસરન ખીણની આસપાસના જંગલોમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે સુરક્ષા દળોએ શંકાસ્પદ વ્યક્તિને પકડ્યો ત્યારે તેણે બુલેટ પ્રૂફ જેકેટ કવર પહેર્યું હતું. જ્યારે સુરક્ષા દળોએ શંકાસ્પદ […]

દ્રૌપદી મુર્મુ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 19 મેના રોજ કેરળના સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરશે. દેશના ઇતિહાસમાં સબરીમાલા મંદિરની મુલાકાત લેનારા તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ હશે. મંદિર વ્યવસ્થાપન સંસ્થા, ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) એ રાષ્ટ્રપતિની મુલાકાતની પુષ્ટિ કરી હતી. તેમણે તેને દેશના ઇતિહાસમાં ગર્વની ક્ષણ પણ ગણાવી છે. રાષ્ટ્રપતિની મુલાકાત માટે એસપીજી અને મંદિર મેનેજમેન્ટે તૈયારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code