1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

રાહુલ ગાંધીએ કેમ પરંપરાગત રાયબરેલી બેઠકથી સાંસદ રહેવાનું કર્યું, જાણો…

નવી દિલ્હીઃ આખરે રાહુલ ગાંધીએ કેરળની વાઈનાડ લોકસભા બેઠક છોડી દીધી છે. વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી રાહુલ ગાંધી ઉત્તર ભારતમાં યુપીની રાયબરેલી બેઠક અને દક્ષિણ ભારતમાં કેરળની વાઇનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં બંને સીટ પરથી તેમનો વિજય થયો હતો. જોકે આ અગાઉ વર્ષ 2019 માં પણ રાહુલ ગાંધી  બે બેઠક પરથી લોકસભા […]

નરેન્દ્ર મોદીને વાયનાડથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસનો ખુલ્લો પડકાર

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ રાયબરેલીથી સાંસદ રહેશે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને વાયનાડથી પેટાચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. પ્રિયંકા ઉમેદવાર બનતાની સાથે જ કોંગ્રેસે પીએમ મોદીને વાયનાડથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું, મોદીજીએ પણ વાયનાડથી ચૂંટણી લડવા આવવું જોઈએ, તેમને કોણ રોકી રહ્યું […]

ગૃહ મંત્રીએ મણિપુરમાં હિંસા કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના ડિરેક્ટર, ચીફ ઓફ આર્મી સ્ટાફ (ડેઝિગ્નેટેડ) લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર, આસામ રાઇફલ્સના […]

ભારતીય જનતા પાર્ટીએ 4 રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂક કરી

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ 4 રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂક કરી છે. મહારાષ્ટ્રમાં ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી અને અશ્વિની વૈષ્ણવને ચૂંટણી સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. હરિયાણામાં ધર્મેન્દ્ર પ્રધાનને રાજ્ય ચૂંટણી પ્રભારી અને બિપ્લબ દેબને રાજ્ય ચૂંટણી સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઝારખંડની જવાબદારી શિવરાજ સિંહને આપવામાં આવી છે. અહીં હિમંતા બિસ્વા સરમાને […]

કંગના રનૌત બાદ રણદીપ હુડ્ડા કરશે રાજકારણમાં, કહ્યું- ઘણા વર્ષોથી હું…

ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ સાથે ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શન ક્ષેત્રે પણ ઝંપલાવનાર અભિનેતા રણદીપ હુડ્ડા હવે દિગ્દર્શન અને લેખનમાં રસ ધરાવતો થયો છે. તે ભવિષ્યમાં વધુ વાર્તાઓનું નિર્દેશન કરવા માંગે છે. દિગ્દર્શન અને લેખનના તેમના અનુભવો પર તેમની સાથેની વાતચીતના અંશો… આના પર રણદીપ (હસતા) કહે છે, ‘જુઓ, હું છેલ્લા 23 વર્ષથી ફિલ્મોમાં અભિનય કરી […]

આંધ્રપ્રદેશઃ ચંદ્રબાબુ નાયડુ સરકારના મંત્રીમંડળને ખાતાની ફાળવણી, કાયદો-વ્યવસ્થા વિભાગ CMએ પોતાની પાસે રાખ્યો

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશમાં એનડીએને પૂર્ણ બહુમતી મળ્યા બાદ એન. ચંદ્રબાબુ નાયડુએ બુધવારે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી શુક્રવારે (14 જૂન) મંત્રીઓના વિભાગોની પણ વહેંચણી કરવામાં આવી હતી. સીએમ નાયડુએ કાયદો અને વ્યવસ્થા તેમની પાસે રાખી છે. જ્યારે જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણને અનેક મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હતી. જનસેના પાર્ટીના વડાને પંચાયતી […]

રાહુલ ગાંધીએ કોંગ્રેસના સંગઠનને વધારે મજબુત કરવાની દિશામાં કામગીરી શરૂ કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ મોદી સરકાર અને તેમના મંત્રીમંડળે શપથગ્રહણ કર્યા બાદ ચાર્જ પણ સંભાળી લીધો છે. બીજી તરફ વિપક્ષમાં પણ લોકસભાના વિપક્ષી નેતાની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી રહી છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં લોકસભાના વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે, રાહુલ ગાંધી વિપક્ષનું પદ […]

સપાના સાંસદ અફઝલ અન્સારીએ સીએમ યોગીના કર્યાં વખાણ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં એનડીએનો વિજય થયો છે, તેમજ ભાજપાની બેઠકો ઘટીને 240 જેટલી થઈ છે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપાનું ભારે નુકશાન થયું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ભાજપાને જે બેઠકો મળી છે, તે મામલે સમાજવાદી પાર્ટીના નેતા અફઝલ અંસારીને સીએમ યોદી આદિત્યનાથની પ્રશંસા કરી છે. સપાના સાંસદ અફઝલ અન્સારીએ કહ્યું કે, યોગી આદિત્યનાથના ચહેરા, પ્રયાસો અને […]

1 જૂલાઇએ નિર્મલા સિતારમણ રજુ કરશે પૂર્ણ બજેટ, જાણો નોકરિયાત વર્ગને કઇ રાહત મળવાની છે આશા ?

મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન, 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ, નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. પરંતુ હવે સંપૂર્ણ બજેટ નવી સરકાર રજૂ કરશે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા છે કે સરકાર 1 જુલાઈ, 2024 ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ […]

ભાજપ જેને બનાવી શકે છે લોકસભા સ્પીકર તે પુરંદેશ્વરીને ઓળખો, ચંદ્રાબાબુ નાયડૂ સાથે છે ખાસ કનેક્શન

કેન્દ્રમાં ત્રીજી વખત એનડીએ સરકાર બની છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ વચ્ચે વિભાગો પણ વહેંચવામાં આવ્યા છે. હવે તમામની નજર લોકસભા સ્પીકર માટેના નામની જાહેરાત પર છે. સ્પીકરની ખુરશી પર સૌની નજર સંસદનું ઉનાળુ સત્ર 18 જૂનથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં 18મી લોકસભા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code