1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ભારતે ચોપડાવ્યું તો કેજરીવાલ પર જર્મનીએ પલટી મારી, હવે બોલ્યું- આ આંતરીક મામલો છે

નવી દિલ્હી: ઈડી દ્વારા હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ ગોટાળામાં સંડોવણીના આરોપ હેઠળ એરેસ્ટ કરાયા હતા. તેના પછી કેટલાક દેશોએ આ મામલામાં ટીપ્પણી કરી હતી. જર્મનીએ પણ પોતાનો અભિપ્રાય દુનિયાની સમક્ષ રજૂ કર્યો હતો. વિદેશ મંત્રાલયે જર્મન દૂતને બોલાવીને ઠપકો આપ્યો હતો. તેના પછી જર્મનીએ આને ભારતનો આંતરીક મામલો ગણાવીને પલટી મારી […]

કેજરીવાલને આપવું પડશે રાજીનામું અથવા લાગશે રાષ્ટ્રપતિ શાસન: દિલ્હીમાં શું થશે, તેના છે 4 રસ્તા

નવી દિલ્હી : કથિત દારૂ ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ બાદ રાજધાનીની પ્રદેશ સરકારને લઈને સસ્પેન્સ અને સવાલ વધી ગયા છે. કેજરીવાલ એવા પહેલા મુખ્યમંત્રી છે, જેમને પદ પર રહેતા એરેસ્ટ કરવામાં આવ્યા છે અથવા પછી એમ કહો કે તે આના પહેલા સીએમ છે, જેમને પોતાની ધરપકડ પહેલા પદ પરથી રાજીનામું આપ્યું […]

કોંગ્રેસના પ્રતિભા સિંહે મંડીથી ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, કંગના રનૌત પર શું બોલ્યા પૂર્વ સીએમના પત્ની?

શિમલા: હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં બધું ઠીક દેખાય રહ્યું નથી. રાજ્યમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ પ્રતિભા સિંહે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પ્રતિભા સિંહ મંડી બેઠક પરથી સાંસદ છે. ભાજપે આ વખતે મંડીથી મશહૂર અભિનેત્રી કંગના રનૌતને ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. મંડી બેઠક હિમાચલ પ્રદેશની હાઈપ્રોફાઈલ બેઠક છે. આ બેઠક પરથી પ્રતિભા સિંહ ત્રણ વખત સાંસદ […]

AAPને પંજાબમાં ભાજપે આપ્યો ડબલ આંચકો, સાંસદ સુશીલ કુમાર રિંકૂ અને એક ધારાસભ્યે કર્યા કેસરિયાં

ચંદીગઢ: ભાજપે પંજાબમાં આમ આદમી પાર્ટીને આકરો ઝાટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીના જાલંધરના સાંસદ સુશીલ રિંકૂ ભાજપમાં સામેલ થયા છે. તેમના સિવાય એક ધારાસભ્ય શીતલ અંગુરાલ પણ ભાજપમાં જોડાયા છે. આ બંને નેતાઓએ દિલ્હી ખાતે ભાજપના મુખ્યમથકમાં પાર્ટીની સદસ્યતા લીધી છે. બંનેને ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને પંજાબના પાર્ટી અધ્યક્ષ સુનીલ જાખડે પાર્ટીની સદસ્યતા […]

મમતા બેનર્જી-કંગના રનૌત સામેની ટીપ્પણી ભારે પડી, દિલીપ ઘોષ અને સુપ્રિયા શ્રીનેતને ચૂંટણી પંચની નોટિસ

નવી દિલ્હી: તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના ઉમેદવાર કંગના રનૌત પર કરવામાં આવેલી ટીપ્પણીઓને લઈને ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. મમતા બેનર્જી પર નિવેદન આપનારા ભાજપના સાંસદ દિલીપ ઘોષ અને કંગના રનૌત પર વિવાદીત પોસ્ટને લઈને ઘેરાયાલે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતને નોટિસ આપી છે. ચૂંટણી પંચે દિલીપ ઘોષ અને […]

TMC નેતા મહુઆ મોઈત્રા ફેમા કેસમાં તલબ, સીબીઆઈના દરોડા બાદ હવે ઈડીનું સમન

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર મહુઆ મોઈત્રા ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓના નિશાને છે. ઈડીએ મહુઆ મોઈત્રાને ફેમા કેસના મામલામાં દિલ્હીમાં પૂછપરછ માટે 28 માર્ચે તલબ કર્યા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આની જાણકારી આપી છે. ટીએમસી નેતાને આના પહેલા પણ કેન્દ્રીય એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. મોઈત્રાને લાંચને […]

1800 દિવસોમાં બદલાય જમ્મુ-કાશ્મીરની સ્થિતિ, 12 આકરા નિર્ણયો બાદ હવે ચૂંટણીની તૈયારી

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સપ્ટેમ્બરથી પહેલા વિધાનસભા ચૂંટણી યોજાશે. તેની સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશયલ પાવર એક્ટ એટલે કે અફસ્પાને હટાવવાની તૈયારી કરી રહી છે. એટલે કે ઘણાં વિસ્તારોમાંથી સેનાને હટાવી શકાય છે. કેન્દ્ર સરકારના સૂત્રોનું કહેવું […]

ઈડીની કસ્ટડીમાં રહેલા દિલ્હીના સીએમ કેજરીવાલની તબિયત લથડી, સુગર લેવલ 46 સુધી ઘટયું

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. સૂત્રો મુજબ, ઈડી કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. તેમનું સુગર લેવલ ઉપર-નીચે થઈ રહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ 46 સુધી ઘટયું છે. ડૉક્ટરોનું કહેવું છે કે સુગર લેવલનું આટલું નીચે જવું ઘણું ખતરનાક છે. આ પહેલા બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે […]

કેજરીવાલ પર અમેરિકાની પ્રતિક્રિયાથી નારાજ થયું ભારત, MEAએ અમેરિકાના રાજદૂતને 45 મિનિટ પુછયા સવાલ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમેરિકાની ટીપ્પણીને લઈને ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. કેજરીવાલ પર ટીપ્પણી બાદ ભારતે બુધવારે દિલ્હીમાં અમેરિકાના દૂતાવાસના કાર્યવાહક ઉપપ્રમુખ ગ્લોરિયા બર્બેનાને તલબ કર્યા હતા. ગ્લોરિયા સાથે વિદેશ મંત્રાલયના અધિકારીઓની બેઠક લગભગ 40થી 45 મિનિટ ચાલી હતી. તે દરમિયાન ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ આંતરિક […]

યુપીના મુરાદાબાદ પર મહાગુંચવાડો: હવે સમાજવાદી પાર્ટીએ રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા, એસ.ટી. હસનના બદલે ફાઈનલ થયું હતું નામ

મુરાદાબાદ: સમાજવાદી પાર્ટીમાં મુરાદાબાદ બેઠકને લઈને સતત અસમંજસતા બનેલી છે. સૂત્રો મુજબ, હવે પાર્ટીએ આઝમખાન ખેમાની રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા છે. મંગળવારે સાંજે પાર્ટીએ રુચિ વીરાને આજે નામાંકન કરવાનું કહ્યું હતું. જ્યારે એસટી હસન ગઈકાલે બપોરે જ મુરાદાબાદથી નામાંકન દાખલ કરી ચુક્યા છે. રુચિ વીરાના નામ બાદ મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ મોટો વિરોધ કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code