1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કેનેડાના વિદેશ મંત્રીએ PM મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ કેનેડાના વિદેશ મંત્રી મહામહિમ સુશ્રી અનિતા આનંદે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ વિદેશ મંત્રી આનંદનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે તેમની મુલાકાત ભારત-કેનેડાની દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપવાના ચાલુ પ્રયાસોમાં ફાળો આપશે. પ્રધાનમંત્રીએ આ વર્ષે જૂનમાં G7 સમિટ માટે કેનેડાની તેમની મુલાકાતને યાદ કરી, જેમાં તેમણે પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે અત્યંત ફળદાયી મુલાકાત કરી […]

રેલવે સુરક્ષા દળ RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે

સુરતઃ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે રેલવે સુરક્ષા દળ -RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે. તેમણે આધુનિક ટેકનોલોજી સાથે દળને ઉન્નત કરવાના હેતુથી અનેક પહેલોનું પણ અનાવરણ કર્યું હતું. વલસાડમાં RPFના 41મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધતા આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે RPF કર્મચારીઓ […]

દક્ષિણ ત્રિપુરામાં શંકાસ્પદ પાકિસ્તાની મહિલા ઝડપાઈ, નશીલા પદાર્થોની હેરાફેરીમાં સંડોવણીની શંકા

નવી દિલ્હીઃ દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સરહદી શહેર સબરુમમાં પોલીસે એક શંકાસ્પદ પાકિસ્તાની મહિલાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, 65 વર્ષીય આ મહિલા ડ્રગ તસ્કરીમાં સંકળાયેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તે નેપાળની જેલમાંથી ભાગીને ભારતમાં પ્રવેશી હતી. પોલીસ અધિકારી નિત્યાનંદ સરકારએ જણાવ્યું કે, મહિલાનું નામ લુઈ નિઘત અખ્તર છે. તેને સબરુમ રેલવે સ્ટેશન […]

અમેરિકાના સાઉથ કેરોલિનામાં બારમાં ગોળીબારઃ ચારના મોત, 20 ઘાયલ

અમેરિકાના સાઉથ કેરોલિના રાજ્યમાં ગોળીબારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે સેન્ટ હેલેના ટાપુ પર આવેલા એક બારમાં થયેલા આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક પોલીસએ જણાવ્યું છે. આ ગોળીબાર વિલીઝ બાર એન્ડ ગ્રિલ નામની જગ્યાએ થયો હતો, જ્યાં તે સમયે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. […]

ગાઝામાં શાંતિ લાવવા માટે મિસ્રમાં શાંતિ પરિષદ યોજાશે, ભારત સહિત 20 દેશોને આમંત્રણ અપાયું

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધનો અંત લાવવા માટે મિસ્રમાં શાંતિ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારત સહિત આશરે 20 દેશો અને આંતરરાષ્ટ્રીય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ શિખર પરિષદ સોમવારે મિસ્રના પ્રસિદ્ધ પર્યટન સ્થળ શર્મ-અલ-શેખ ખાતે યોજાશે. તેની સહઅધ્યક્ષતા મિસરના રાષ્ટ્રપતિ અબદેલ ફતહ અલ-સિસી** અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે. આ પરિષદમાં […]

શિયાળા પહેલાં LOC પર સુરક્ષા વધારાઈ, ઘૂસણખોરીના ખતરા વચ્ચે BSF સાબદુ બન્યું

જમ્મુ-કાશ્મીરઃ સીમા સુરક્ષા દળ (BSF)એ જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા (LOC) પર શિયાળાની શરૂઆત પહેલાં પોતાની સુરક્ષા વધુ કડક બનાવી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાની સરહદ તરફથી ઘૂસણખોરીના પ્રયાસોમાં વધારો થવાની આશંકા છે. BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગુપ્તચર માહિતી મુજબ અનેક આતંકવાદી હાલ સરહદપારના વિવિધ “લૉન્ચ પૅડ” પર ઘૂસણખોરીની તકની રાહ જોઈ રહ્યા […]

ડીપફેક અને AI આધારિત બાળ શોષણ સામે કાયદાની જરૂરઃ  સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.વી.નાગરત્ના

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી. વી. નાગરત્નાએ જણાવ્યું કે, સમયની માંગ છે કે સક્ષમ સત્તાધિકારીઓ ડીપફેક અને કૃત્રિમ બુદ્ધિ (AI) આધારિત બાળ શોષણ સામે સ્પષ્ટ કાયદા બનાવે. તેઓ યુનિસેફ-ભારતના સહયોગથી સુપ્રીમ કોર્ટની કિશોર ન્યાય સમિતિ દ્વારા આયોજિત “બાળિકાઓની સુરક્ષા – ભારત માટે વધુ સુરક્ષિત અને સશક્ત વાતાવરણ તરફ” વિષયક રાષ્ટ્રીય વાર્ષિક ચર્ચાસત્રના સમાપન સમારોહને […]

IRCTC ભ્રષ્ટાચાર કાંડમાં લાલુ, રાબડી અને તેજસ્વી સામે ચાર્જફેમ કરાયો

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત વચ્ચે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. IRCTC કૌભાંડ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સહિત 14 આરોપીઓ સામે આરોપ નક્કી કર્યા છે. આ મામલો લાલુ પ્રસાદ યાદવ રેલ્વે મંત્રી તરીકે […]

કોલ્ડ્રિફ કફ સિરપ કૌભાંડમાં ઈડીએ શ્રીસન ફાર્માના 7 સ્થળોએ દરોડા પાડ્યાં

ચેન્નઈઃ કોલ્ડ્રિફ કફ સિરપના કારણે અત્યાર સુધી અનેક બાળકોનાં મોત થયાના કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED) એ સોમવારે ચેન્નઈમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીએ શ્રીસન ફાર્માના કુલ 7 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. આ દરમિયાન કંપનીના કચેરીઓ ઉપરાંત તમિલનાડુ ડ્રગ કન્ટ્રોલ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓના ઘર અને ઓફિસોમાં પણ તપાસ કરવામાં આવી છે. આ કાર્યવાહી ધનશોધન […]

તમિલનાડુઃ અભિનેતા-રાજકારણી વિજયની રેલીમાં થયેલી ભાગદોડની તપાસ હવે CBI કરશે

ચેન્નાઈઃ તમિલનાડુના કરૂરમાં અભિનેતા અને રાજકારણી વિજયની રેલી દરમિયાન સર્જાયેલી ભાગદોડની ઘટના અંગે હવે CBI તપાસ થશે. સુપ્રીમ કોર્ટએ TVK દ્વારા દાખલ કરાયેલી અરજી પર આજે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં CBI તપાસના આદેશ સાથે પૂર્વ ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની સીબી તપાસની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. TVK પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code