1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

કચ્છમાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલામાં “સમુદ્રી સીમાદર્શન” હવે કરી શકાશે

અમદાવાદઃ ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતના કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં આજથી “સમુદ્રી સીમાદર્શન”નો પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ ગાંધીનગરથી વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ બોટ રાઈડની ફિઝિકલી શુભારંભ કરાવ્યો હતો. હવે સમુદ્રી સીમાદર્શન કરી શકાશે. જેથી આગામી દિવસોમાં […]

ઈસરો શનિવારે INSAT-3DS ઉપગ્રહ અવકાશમાં જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરો આવતીકાલે સાંજે 5.30 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી INSAT-3DS લોન્ચ કરશે. લોન્ચ વ્હીકલ GSLV-F14 આ ઉપગ્રહને અવકાશમાં જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકશે. GSLV-F14ની આ 16મી અને સ્વદેશી ક્રાયો સ્ટેજ સાથેની 10મી ઉડાન હશે. INSAT-3DS સેટેલાઇટ એ જીઓસ્ટેશનરી ઓર્બિટમાંથી ત્રીજી પેઢીના હવામાન શાસ્ત્રીય ઉપગ્રહનું ફોલો-ઓન મિશન છે. ઉપગ્રહ એક વિશિષ્ટ […]

ટેકનીકલ શિક્ષણ હેઠળના ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં ભણતા 32,839 વિદ્યાર્થીઓને સહાય ચુકવાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઇજનેરી વિદ્યાર્થીઓને અપાતી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રુચિ ધરાવતા રાજ્યના જરૂરિયાતમંદ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તારીખ 7 ઓક્ટોબર 2015થી અમલમાં લાવવામાં આવી છે. મંત્રી પ્રફુલ […]

Car Tips: કારમાં સફર શરૂ કરતા પહેલા આ બાબતો ચેક કરો, કોઈ સમસ્યા નહીં નડે..

દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કાર છે. ઓફિસમાં આવવા-જવા સહિત અનેક કામો માટે કારનો ઉપયોગ થાય છે. આવામાં, જો કાર દ્વારા મુસાફરી શરૂ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય કોઈ સમસ્યા નથી થતી. • એન્જિન ઓઇલ ચેક કરવું જરૂરી જ્યારે પણ તમે કાર સ્ટાર્ટ કરો. તે પહેલાં, તમારે હંમેશા કારમાં એન્જિન ઓઇલની […]

અબૂ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરમાં અક્ષય કુમારે ઝુકાવ્યું શીશ

14 ફેબ્રુઆરીનો દિવસ બધા જ દેશવાસિયોં માટે ખુબ ખાસ રહ્યો હતો. આ દિવસે પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીએ સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબૂ ધાબીમાં પહેલું હિંન્દૂ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતુ. દરમિયાન બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર બોચાસનવાસી અક્ષય પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષય સિવાય એક્ટર વિવેક ઓબેરોય પણ આ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષય કુમાર […]

શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ આજે વેરાવળ ખાતે યોજાયો હતો. રાજ્યપાલશ્રીએ દીક્ષાંત સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે. સંસ્કૃતમાં અભ્યાસ કરવો તે કોઈ હીનતા કે દીનતાની વાત નથી, પરંતુ ગૌરવની વાત છે. સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. આજે […]

ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનું રોહિત શર્મા નેતૃત્વ કરશે

આ વર્ષે અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્મા સંભાળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે રોહિત શર્માને T20 વર્લ્ડ કપ માટે કેપ્ટન જાહેર કર્યો છે. T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહેશે, જ્યારે કોચિંગની જવાબદારી રાહુલ દ્રવિડ પાસે રહેશે. જય શાહે આશા વ્યક્ત કરી છે કે રોહિત […]

બસ્તર: ધ નક્સલ સ્ટોરીમાં પુત્રને બચાવવા માટે એક માતા હાથમાં હથિયાર ઉઠાવે છે

અભિનેત્રી અદા શર્માને ‘ધ કેરલ સ્ટોરી’ના કારણે ભારે લોકપ્રિયતા મેળવી હતી. ‘ધ કેરલ સ્ટોરી’ની સફળતા પછી નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, નિર્દેશક સુદિપ્તો સેન અને અભિનેત્રી અદા શર્મા તેમની આગલી ફિલ્મ ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’ માટે ફરીથી હાથ મિલાવ્યા છે. દર્શકોને આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. એવામાં ડાઈરેક્ટરે ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’નું બીજુ ટીઝર રિલીઝ […]

ઓટોમોબાઈલના વેચાણમાં 15 ટકાથી વધુનો વધારો, Fadaએ જાહેર કર્યા આંકડા

દેશભરમાં વાહનોના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. યાત્રી વાહનો સાથે ટુ-વ્હીલર અને કોમર્શિયલ વાહનો સહિત તમામ સેગમેન્ટમાં વધારો નોંધાઈ રહ્યો છે. જાન્યુઆરી 2024 દરમિયાન નોંધપાત્ર વાહનોનું વેચાણ થયું છે. ફએડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન તરફથી જાન્યુઆરી મહિનામાં મંથ ઓન મંથ બેસિસ પર સાત ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તેમા વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો […]

Valentines Day: 66 ટકા ભારતીયો ઓનલાઈન ડેટિંગ એપનો શિકાર બન્યા

ભારતમાં ડીપફેક ટેક્નોલોજીને કારણે રોમાન્સ સ્કેમ વધ્યા છે. આ વર્ષે 66 ટકા ભારતીયો ઓનલાઈન ડેટિંગ એપનો શિકાર બન્યા છે. પાછલા વર્ષે આ આંકડો 43 ટકા હતો. ઓનલાઈન ડેટિંગ ટ્રેડને લઈને કમ્પ્યુટર સિક્યોરિટી કંપની એમએસઆઈ-એસીઆઈના તરફથી કરેલ શોધમાં 7 દેશના 7,000 લોકો સામેલ હતા. શોધ મુજબ, દેશમાં 66 ટકા લોકો ઓનલાઈન ડેટિંગ સ્કેમનો શિકાર બન્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code