ગુજરાતમાં સારા વરસાદને કારણે 206 જળાશયોમાં 95 ટકાથી વધુ જળસંગ્રહ
દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 30 જળાશયોમાં 100 ટકા ભરાયા, સૌરાષ્ટ્રના 141 જળાશયો 94.40 ટકા ભરાયા, સરદાર સરોવર ડેમમાં 99 ટકા જળસંગ્રહ ગાંધીનગરઃ ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના 206 જળાશયોમાં 95 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 3,30,213 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 99 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો […]