ગુજરાતમાં રેશનિંગના દુકાનદારોને એડવાન્સ જથ્થો મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે
ગાંધીનગર: રાજ્યના રેશનિંગના દુકાનદારોને પુરવઠા વિભાગ દ્વારા સમયસર પુરવઠો ફાળવવામાં આવતો ન હોવાની ફરિયાદો ઉઠી હતી. તુવેરદાળનો તો અડધો જથ્થો ફાળવવામાં આવતો હતો તેથી દુકાનદારોને ગ્રાહકો સાથે માથાકૂટ પણ થતી હતી. આ અંગે રેશનીંગના દુકાનદારોએ પુરવઠા વિભાગમાં રજુઆતો પણ કરી હતી. આથી રેશનિંગના દુકાનદારોને પડતી સમસ્યાઓ ઉકેલવા માટે પુરવઠા વિભાગ દ્વારા કેટલાક નિર્ણય લેવામાં આવશે. […]