અમદાવાદના ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં ઝૂલણ ઉત્સવ, ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં
અમદાવાદઃ શહેરના ભાડજ ખાતે હરેકૃષ્ણ મંદિરમાં ઝૂલન ઉત્સવની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન કૃષ્ણ અને રાધારાનીને પાંચ દિવસ સુધી ઝૂલા પર બિરાજમાન કરાયા હતા. મોટી સંખ્યામાં ભાવિકો ભગવાનને ઝૂલાવવા ઉમટી પડ્યા હતા. તેમજ ભગવાન કૃષ્ણ અને રાધારાનીના શૃંગારના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા. ઝૂલન ઉત્સવ શ્રાવણ મહિનામાં તેજસ્વી પખવાડિયાની અગિયારસથી પૂર્ણિમા સુધી ઊજવવામાં […]