1. Home
  2. Tag "Campaign"

સોમનાથના દરિયા કિનારાને ચોખ્ખો-ચણાક બનાવવા માટે સાગમટે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન

વેરાવળ :  સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથને ચોખ્ખુ-ચણાક બનાવવા માટે તંત્ર દ્વારા સાગમટે અભિયાન આદરવામાં આવ્યું હતું. શહેરના સમુદ્ર કિનારે વેરાવળ કોસ્ટગાર્ડ, પોલીસ સ્ટાફ, નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા કલેકટર ગોહેલ, કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ સહિતના અધિકારીઓ સમુદ્ર સફાઈ અભિયાનમાં સામેલ થયા હતા. જુદા જુદા વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને […]

ગુજરાતભરમાં કાલે શુક્રવારથી કોરોના વેક્સિનેશનની મેગા ડ્રાઈવ યોજાશે, 100 ટકા રસિકરણનો લક્ષ્યાંક

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ખૂબજ ઘટાડો થઈ ગયો છે. કોરોનાના બીજા કાળે લગભગ વિદાય લઈ લીધી છે. પરંતુ કોરોનાના સેભવિત ત્રીજા કાળના આગમન પહેલા વધુને વધુ લોકોનું વેક્સિનેશન થાય તે માટે સરકારે ઝૂંબેશ હાથ ધરી છે. આવતી કાલે 17મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાહેરાત  આરોગ્ય વિભાગના અધિક મુખ્ય […]

UP વિધાનસભા ચૂંટણીઃ ગુજરાત ભાજપના 18 નેતાઓ ઉત્તરપ્રદેશમાં કરશે પ્રચાર

અમદાવાદઃ આગામી દિવસોમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. જેની ભાજપે તૈયારીઓ શરૂ કરીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની જવાબદારી ભાજપના કેટલાક સિનિયર નેતાઓને આપવામાં આવી છે. ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ભાજપના 18 જેટલા નેતાઓ આગામી […]

કોરોના સંકટઃ દેશમાં ડોર ટુ ડોર રસીકરણ અભિયાન ચલાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

60 ટકા લોકોએ કોવિડની રસી લીધી છેઃ કોર્ટ રસીકરણની કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે મેડિકલ બેદરકારીથી કોરોનામાં મોત થયાનો ઈન્કાર દિલ્હીઃ કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રરહ્યું છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે ડોર ટુ ડોર કોવિડ રસીકરણની માંગણી ઉપર સુનાવણીનો ઈન્કાર કર્યો હતો. તમજ અદાલતે કહ્યું હતું કે, રસીકરણ અભિયાન યોગ્ય રીતે […]

સ્ટેટ જીએસટી દ્વારા બોગસ પેઢીઓ શોધવા સ્થળ તપાસ કરાશે, ખરીદ- વેચાણમાં ગેરરીતિ કરનારા સામે તવાઈ

અમદાવાદઃ કરચોરો કોઈપણ તરકીબો અજમાવીને ચોરી કરી લેતા હોય છે. તાજેતરમાં ભાવનગરમાંથી કરચોરીનું મોટું કૌભાંડ પકડાયું હતું. અધિકારીઓની સંડોવણી વિના કૌભાંડ થતું નથી. આથી હવે સ્ટેટ જીએસટીના અધિકારીઓ પર  વોચ રાખવાનું નક્કી કરાયું છે. ઉપરાંત સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે ઇન્ટરનલ પરિપત્ર કરી દરેક સ્ટેટ અધિકારીને રજિસ્ટર્ડ કરદાતાના સ્થળની તપાસ કરવા તેમ જ તેમણે આપેલા દસ્તાવેજોની ખરાઈ […]

રસી લેવા અને કોરોનાનું સંક્રમણ તોડવા શિક્ષકોએ અનોખું અભિયાન આદર્યુ

જૂનાગઢઃ શિક્ષકો બાળકોથી લઈને યુવાનોને શિક્ષણ આપવા ઉપરાંત સમાજ ઘડતર અને સામાજિક જાગૃતિ માટે પણ કાર્ય કરતા હોય છે. જિલ્લાના શિક્ષકોએ કોરોનાની રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ આણવી તેમજ કોરોનાની ચેઈન તોડવા માટે સોશ્યલ ડિસ્ટન્સ, વગેરે માટેનું અભિયાન આદર્યુ છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, લોકોમાં કોરોના અંગે જનજાગૃત્તિ માટે શિક્ષકોનો વેબીનાર […]

‘મારૂં ગામ-કોરોનામુકત ગામ’ અભિયાનનો પ્રારંભઃ દરેક ગામને કોરોના મુક્ત કરવા CMનું આહવાન

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ 1 લી મે થી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો રાજ્યના ૧૭ હજાર ગામોમાં પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો કે, ગ્રામીણ જનશક્તિના સહયોગ અને જનજાગૃતિથી આગામી 15 દિવસ આ અભિયાન યુદ્ધના ધોરણે ઉપાડી આપણે ગુજરાતના હરેક ગામને કોરોનામુકત ગામ કરવા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યપ્રધાન […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પો.ની ચૂંટણીના પ્રચારમાં કોરોનાનું ગ્રહણઃ ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર

અમદાવાદઃ કોરોનાના વધતા કેસો વચ્ચે યોજાઈ રહેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે 12 દિવસ જ બાકી રહ્યાં છે. ભાજપ દ્વારા શક્ય હોય ત્યાં સુધી મોટી જાહેર સભા નહીં કરવાનો નિર્ણય લીધો છે. તો કોંગ્રેસમાં હજુ સુધી આવી કોઈ હલચલ જોવા મળી હતી. ત્યારે હાલ તો ભાજપ-કોંગ્રેસ અને આપ તમામ પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર […]

કોરોના રસીકરણઃ રાજકોટમાં ધન્વંતરી રથના ડ્રાઈવરને અપાઈ પ્રથમ રસી

અમદાવાદઃ ભારતમાં આજે કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના પ્રારંભ થયો છે. ભારતમાં સૌથી પ્રથમ રસી એઈમ્સના સફાઈ કર્મચારીને આપવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં સૌ પ્રથમ રસી રાજકોટના ધન્વતંરી રથના ડ્રાઈવર અશોક ગોંડલિયાને આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રથમ રસી લેનાર આરોગ્ય કર્મચારી અશોક ગોંડલિયાએ તમામ લોકોને રસી લેવા અને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા અપીલ […]

બ્રિટન-અમેરિકામાં અત્યાર સુધીમાં 16 લાખથી વધારે લોકોને અપાઈ કોરોનાની રસી

દિલ્હીઃ દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. તેમજ કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ બ્રિટન અને અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણનું કામ તેજીથી ચાલી રહ્યું છે. દરમિયાન બ્રિટનમાં અત્યાર સુધીમાં 6 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે અમેરિકામાં 10 લાખથી વધુ લોકોને રસીનો પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code