ગુજરાતમાં વર્ષ 2020માં 4742 કાયદાના સ્નાતકોએ મેળવી સનદ, વકિલ બનવાનો યુવાનોમાં ક્રેઝ
અમદાવાદઃ કોરોનાના લીધે રાજ્યભરની કોર્ટો દોઢ વર્ષ બંધ રહેતા વકીલોની આર્થિક હાલત કફોડી બનતાં, કેટલાક જુનિયર વકીલોએ વ્યવસાય પણ બદલ્યો હતો. તેમ છતાં વર્ષ 2020માં રાજ્યભરમાંથી 4742 લોકોએ સ્ટેટ બાર કાઉન્સિલમાંથી વકીલાતની પ્રેક્ટિસ માટે નોંધણી સર્ટિફિકેટ(સનદ)મેળવી હતી. આ આંકડો જોતાં વકીલાતના વ્યવસાયમાં જોડાવા માટે યુવાઓમાં ક્રેઝ વધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2010 પછી […]