1. Home
  2. Tag "devotees"

ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં અષાઢી બીજથી ભક્તો કરી શકશે દર્શન

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે ધાર્મિક સ્થળો પણ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં હતા. જો કે, હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા જ ફરીથી જીવન પાટે ચડી રહ્યું છે. તેમજ સરકારે પણ નિયંત્રણો હળવા કર્યાં છે. દરમિયાન ગાંધીનગરમાં સુપ્રસિધ્ધ અક્ષરધામ મંદિર સોમવારથી ભક્તોના દર્શન માટે ખુલ્લુ મુકાશે. જો કે, દર્શનાર્થીઓએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. […]

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરના દ્વારા ખૂલતા ભાવિકો ભાવ વિભોર બન્યા

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલતા આજે વહેલી સવારથી જ મહાદેવજીના દર્શન કરવા ભાવીકો ઉમટી પડ્યા હતા. કોરોના મહામારીને લઇ સોમનાથ મહાદેવ મંદિર રાજય સરકારની જાહેર નવી ગાઇડ લાઇન મુજબ ભાવિકોને પ્રવેશ સાથે દર્શનનો લ્‍હાવો મળતા શિવભકતોમાં ખુશીની લહેર જોવા મળતી હતી. કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને સોમનાથ […]

અમદાવાદમાં બે મહિના બાદ આજથી મંદિરો ખૂલતા ભાવિકો દર્શન માટે ઉમટ્યાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો હળવા કરીને મંદિરો,હોટલ રેસ્ટોરન્ટ્સ જીમ વગેરે ખોલવાની મંજુરી આપતા આજથી આશરે બે મહિના બાદ મંદિરો ખુલી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલા તમામ મોટા મંદિરોમાં આજથી ભક્તો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલું જગન્નાથ મંદિર, મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર, માધુપુરા અંબાજી મંદિર, મણિનગર સ્વામિનારાયણ મંદિર ગાદી […]

કુંભમેળામાં ગયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓનો RTPCR ટેસ્ટ કરાશે

રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય રિપોર્ટ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટી રહેવુ પડશે શ્રદ્ધાળુઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે લેવાયો નિર્ણય અમદાવાદઃ હરિદ્વારમાં કુંભમેળોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા કુંભમેળોની સમાપ્તની કેટલાક અખાડાઓએ જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભમેળામાં ગયા હતા. કુંભમેળામાં ગયેલા ગુજરાતના નાગરિકો પરત આવે ત્યારે સીધો પ્રવેશ નહીં આપવામાં આવે. આ […]

કોરોનાને પગલે દ્રારકામાં ભક્તો તા. 30મી એપ્રિલ સુધી દ્વારકાધીશના દર્શન નહીં કરી શકે

ભક્તોના દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા પગલે લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ સ્વામિનારાયણ મંદિર સહિતના અનેક મંદિરો ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં છે. ગુજરાતનું સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર પણ હવે ભક્તોના દર્શન […]

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હવે રૂ. 11 હજારમાં જ થશે વેદોકત પુરાણોકત લગ્‍નઃ તમામ વ્યવસ્થા ટ્રસ્ટ કરશે

વેરાવળઃ દેશ-વિદેશના લોકો હવે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યે ફકત રૂ.11 હજાર ભરી વેદોકત પુરાણોકત લગ્‍ન કરી શકશે. લગ્‍નવિઘિ માટે જરૂરી હોલ, મંડપ જેવી સુવિઘા સોમનાથ મંદિર ટ્રસ્‍ટ ઉપલબ્‍ઘ કરાવશે. આ સુવિઘાથી આગામી દિવસોમાં યાત્રાઘામ સોમનાથ વેડીંગ ડેસ્‍ટીનેશન બની રહેશે. યાત્રાધામ સોમનાથ મહાદેવજીના સાનિધ્યમાં હવે માત્ર રૂપિયા 11 હજાર ભરી લગ્ન કરી શકાશે. વર્તમાન સમયમાં […]

વૈષ્ણોદેવી મંદિરને 20 વર્ષમાં 1800 કિલો સોનુ દાનમાં મળ્યું

દિલ્હીઃ ભારતના સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દરમિયાન છેલ્લા 20 વર્ષના સમયગાળામાં મંદિરને 1800 કિલો સોનુ ભક્તોએ દાન કર્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં 4700 કિલો ચાંદી અને રૂ. બે હજાર કરોડ દાનમાં ભક્તોએ માતાજીના ચરણોમાં અર્પણ કર્યાં હોવાનું આરટીઆઈમાં ખુલાસો થયો છે. વૈષ્ણો દેવી મંદિર […]

શામળાજી મંદિરમાં ટુંકા વસ્ત્રો પહેરીને આવતા શ્રદ્ધાળુઓને નહીં અપાય પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. જો કે, હવે ટુંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકા વસ્ત્રો પહેરી આવતા શ્રદ્ધાળુઓને પિતામ્બર લપેટ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીમાં શામળાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને સરકારની ગાઈડલાઈન અનુસાર દર્શન કરવા […]

સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ધાર્મિક વાતાવરણમાં કરાશે ઉજવણીઃ મહામૃત્યુંજય યજ્ઞ યોજાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સોમનાથમાં ધાર્મિક માહોલમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મહા મૃત્યુંજય યજ્ઞ, જ્યોતપૂજન, ચાર પ્રહરના વિશેષ પૂજન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ સોમનાથ મંદિર 42 કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. સોમનાથમાં તા.10 થી તા.12 […]

મંદિરોમાં હવે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પર પ્રતિબંધ, ભક્તોએ માત્ર હાથ જોડીને કરવી પડશે પ્રાર્થના

મંદિરમાં હવે ભક્તો ભગવાન આગળ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ નહીં કરી શકે કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે મોટા ભાગના મંદિરમાં દંડવત્ પ્રણામ પર પ્રતિબંધ મોટા ભાગના મંદિરોએ કોરોનાને લઇને ગાઇડલાઇન્સ બહાર પાડી અમદાવાદ: મંદિરમાં તમે ભક્તોને ભગવાન આગળ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં જોયા હશે. પરંતુ કોરોના મહામારીના કારણે ગુજરાતના મોટા ભાગના મંદિરોમાં સાષ્ટાંગ પ્રણામ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code