1. Home
  2. Tag "Fraud case"

970 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં સોનુ સૂદને ત્રીજી નોટિસ

કાનપુર: 10 દેશોના હજારોથી વધુ લોકો સાથે 970 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર રવિન્દ્રનાથ સોની વિરુદ્ધ ફરિયાદો વધી રહી છે, અત્યાર સુધીમાં તેમની સામે દસ કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં બે કેસનો સમાવેશ થાય છે જેમાં ઠગના સહ-અભિનેતા સૂરજ જુમાની પણ આરોપી છે. મહિલા સહિત ત્રણ પીડિતોએ પોલીસ કમિશનરને મળીને આ મામલે ફરિયાદ નોંધાવી […]

અનિલ અંબાણીના પુત્ર અનમોલ પર છેતરપિંડીના કેસમાં FIR દાખલ

નવી દિલ્હી: પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઈએ તેમની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. તેમના પર 228 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ જય અનમોલ સહિત રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જય અનમોલ અને તેની કંપની પર યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે […]

છેતરપીંડીના કેસમાં શિલ્પા અને રાજ કુન્દ્રાની કંપનીના ચાર કર્મચારીઓને સમન્સ

મુંબઈઃ એક વેપારી સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રાના કેસમાં નવું અપડેટ આવ્યું છે. આર્થિક ગુના શાખાએ અભિનેત્રીની કંપનીમાં કામ કરતા ચાર પૂર્વ કર્મચારીઓને પૂછપરછ માટે સમન્સ જારી કર્યા છે. ચારમાંથી એકનું નિવેદન નોંધવામાં આવ્યું છે. બેસ્ટ ડીલ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા 4 કર્મચારીઓને સમન્સ મોકલવામાં આવ્યું […]

મુંબઈ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ભ્રષ્ટાચાર અને છેતરપીંડી કેસમાં બે શખ્સોને ઝડપી લેવાયાં

મુંબઈઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને ગુરુવારે લોઅર પરેલ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK)માં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના સંબંધમાં 2 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક જુનિયર પાસપોર્ટ સહાયક અને એક ખાનગી એજન્ટનો સમાવેશ થાય છે. બન્ને પર નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ જાહેર કરવાનો અને લાંચ લેવાનો આરોપ છે. CBIના જણાવ્યા અનુસાર, આ મામલો 2023-2024 […]

છેતરપીંડી કેસમાં બેંક મેનેજર સહિત સાત આરોપીઓને કોર્ટે 3 વર્ષની સજા ફરમાવી

ગાંધીનગરઃ અમદાવાદ સ્થિત સીબીઆઈ કેસના સ્પેશિયલ જજે કે.આર. ગોયલ અને રાકેશ બહેલ, બંને તત્કાલીન મેનેજરો અને શિવરામ મીણા, ત્રણેય પંજાબ એન્ડ સિંધ બેંક, સુરત શાખા (ગુજરાત) ના તત્કાલીન અધિકારી તેમજ મનજીત સિંહ બક્ષી, મનીષ જી. પટેલ, પવન કુમાર બંસલ અને સંદીપ કુમાર બંસલ નામના ચાર ખાનગી વ્યક્તિઓ સહિત સાત આરોપીઓને બેંક છેતરપિંડીના કેસમાં ત્રણ વર્ષની […]

બિહાર સહકારી બેંક છેતરપિંડી કેસમાં EDએ RJD ધારાસભ્ય અને અન્ય લોકોના ઠેકાણા પર દરોડા પાડ્યા

પટનાઃ સહકારી બેંકમાં કથિત ઉચાપત સાથે જોડાયેલા મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે બિહારના મુખ્ય વિપક્ષી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના ધારાસભ્ય અને અન્ય લોકોના પરિસરમાં દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બિહાર, પશ્ચિમ બંગાળ (કોલકાતા), ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં લગભગ 18 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા […]

પશ્ચિમ બંગાળમાં કરોડોની છેતરપીંડી કેસમાં આઠ સ્થળો ઉપર ઈડીના દરોડા

કોલકાતા: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના અધિકારીઓએ ગુરુવારે તામિલનાડુમાં રૂ. 1,000 કરોડથી વધુની સાયબર છેતરપિંડીના કેસની તપાસના સંબંધમાં પશ્ચિમ બંગાળમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કોલકાતાના પાર્ક સ્ટ્રીટ, સોલ્ટ લેક અને બગુહાટી વિસ્તારોમાં એક સાથે પાંચ સ્થળોએ અને જુદા જુદા જિલ્લાઓમાં અન્ય ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. […]

છેતરપિંડીના કેસમાં અભિનેતા ધર્મેન્દ્રની મુશ્કેલી વધી, કોર્ટે સમન્સ પાઠવ્યું

નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે ગરમ ધરમ ધાબા ફ્રેન્ચાઇઝી સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બેને સમન્સ પાઠવ્યા છે. એડવોકેટ ડીડી પાંડેએ જણાવ્યું હતું કે, ન્યાયિક મેજિસ્ટ્રેટ યશદીપ ચહલે દિલ્હીના બિઝનેસમેન સુશીલ કુમારની ફરિયાદ પર 89 વર્ષીય અભિનેતા વિરુદ્ધ સમન્સ પાઠવ્યું હોવાનું જાણવા મળે છે. સુશીલ કુમારે આરોપ લગાવ્યો હતો કે, તેમને […]

ગુજરાતઃ છેતરપીંડી કેસમાં દેના બેંકના તત્કાલિન બ્રાંચ મેનેજર સહિત 3 આરોપીને 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ

અમદાવાદઃ સીબીઆઈ કેસના સ્પેશિયલ જજે આરોપી શિશિર કુમાર, તત્કાલીન બ્રાન્ચ મેનેજર, દેના બેંક, સિલ્વાસા અને બાબુ જયેશ સિંહ ગણેશ સિંહ ઠાકુર અને  સુમનભાઈ ભાઈલાલભાઈ શેઠ નામના બે ખાનગી વ્યક્તિઓ મળી ત્રણ આરોપીઓને બેંક છેતરપિંડીના કેસમાં 3.8 લાખ રૂપિયાના દંડની સાથે સખત કેદની સજા ફટકારી હતી. કેસની હકીકત અનુસાર, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2002-2003 […]

બેંક સાથે છેતરપીંડી કેસમાં 20 બાદ અંતે આરોપી ઝડપાયો, કોર્ટે તેને મૃત જાહેર કર્યો હતો

બેંગ્લોરઃ સીબીઆઈએ એક વ્યક્તિની ધરપકડ કરી છે જે છેલ્લા 20 વર્ષથી ફરાર હતો અને કોર્ટે તેને મૃત જાહેર પણ કર્યો હતો, પરંતુ આખરે તે સીબીઆઈના હાથે ઝડપાઈ ગયો હતો. આરોપીની ઓળખ વી ચલપતિ રાવ તરીકે થઈ છે, જે એસબીઆઈ બેંક સાથે છેતરપીંડીના 20 વર્ષ પહેલાના કેસમાં આરોપી હતો. ધરપકડથી બચવા માટે તેણે પોતાના મૃત્યુનું નાટક કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code