1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરની સ્કૂલમાં વિદ્યાર્થિનીને લાફો મારવાના કેસમાં શિક્ષિકાને 3 વર્ષની કેદ

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2026:  ગાંધીનગરના દેહગામમાં આવેલી એક સ્કૂલની 14 વર્ષની વિદ્યાર્થિનીને હોમવર્ક ન લાવતા શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલે લાફો માર્યો હતો, આથી વિદ્યાર્થિનીને ડાબા કાનમાં ગંભીર ઈજા થતાં બહેરાશની તકલીફ થઈ હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી, તેનો કેસ ચાલી જતા આરોપી શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલને ફોજદારી […]

ગાંધીનગરનું નવું ‘ઓક્સિજન હબ’: ડમ્પિંગ સાઈટમાંથી નિર્મિત ભવ્ય અમૃત સરોવર

ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: ગાંધીનગરના કોલવડામાં આવેલું ‘અમૃત સરોવર’ આજે વિકાસ અને પર્યાવરણના સુમેળનું જીવંત ઉદાહરણ બનીને સામે આવ્યું છે. જે સ્થળ અગાઉ માત્ર એક ડમ્પિંગ સાઈટ તરીકે ઓળખાતું હતું, તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 8.47 કરોડના ખર્ચે 1.10 લાખ ચોરસ મીટરના વિશાળ અને આકર્ષક પિકનિક સ્પોટમાં રૂપાંતરિત થઈ ચૂક્યું છે. ‘અમૃત 2.0’ […]

ગાંધીનગરમાં રાત્રે 3 વાગ્યે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું, અગ્રણીઓએ શુ કહ્યું, જાણો

ગાંધીનગર, 27 જાન્યુઆરી 2026: પાટનગર ગાંધીનગરમાં રામકથાના મેદાનમાં ગત મધરાત બાદ 3 વાગ્યે ઠાકોર ક્ષત્રિય સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા પહેલાથી જ હજારોની સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા અને સંમેલનના મુખ્ય એજન્ડા સમાજની એક્તા અને શિક્ષણને લઈને જાગૃતતાને સમર્થન આપ્યુ હતું. ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓએ પોતાના […]

ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર દ્વારા મંગળવારે વહેલી પરોઢે 3 વાગ્યે સંમેલન યોજાશે

ગાંધીનગર, 25 જાન્યુઆરી 2026: ગાંઘીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના નેતૃત્વવાળી ઠાકોરસેના દ્વારા આગામી તા,27મી ને મંગળવારે સવારે ત્રણ વાગ્યે ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય નામે સંમેલન યોજાશે, આ સંમેલન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સંમેલન વહેલી સવારે 3 વાગ્યે યોજાનાર હોવાથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જાગી છે.  ગુજરાતમાં સ્થાનિક […]

ગાંધીનગર ખાતે ‘એડવાન્સિસ ઈન અર્થક્વેક સાયન્સની ત્રિદિવસીય વૈશ્વિક પરિષદનો‌ પ્રારંભ

ગાંધીનગર, 23 જાન્યુઆરી 2026:  દેશ-દુનિયામાં આવતા ભૂકંપ સામે અર્લી વોર્નિંગ સિસ્ટમ અને સંશોધન માટે આ ત્રિદિવસીય વૈશ્વિક પરિષદ મહત્વની ભૂમિકા ભજવશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશમાં સૌ પ્રથમવાર વર્ષ ૨૦૧૧માં ગુજરાતના ગાંધીનગરમાં ભૂકંપ સંશોધન કેન્દ્ર-ISRની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે ભૂકંપ સંશોધન ક્ષેત્રે દેશ- દુનિયાને માર્ગદર્શન કરી રહી છે. આ વૈશ્વિક […]

પાટનગર ગાંધીનગરમાં આડેધડ વાહનો પાર્કિંગ કરનારા સામે ટ્રાફિક પોલીસની ઝૂંબેશ

ગાંધીનગર, 21 જાન્યુઆરી 2026:  પાટનગર ગાંધીનગરમાં જાહેર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરાતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. આથી ટ્રાફિક પોલીસે રોડ પર આડેધડ થતાં પાર્કિંગ સામે ઝૂંબેશ હાથ ધરી છે. શહેરના પીડીપીયુ અને ભાઈજીપુરા રોડ પર આડેધડ પાર્કિંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરીને 30થી વધુ વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા. ગાંધીનગર શહેરમાં […]

ગાંધીનગરના વલાદ પાસે રોડ ક્રોસ કરતા પ્રૌઢને કારે અડફેટમાં લેતા મોત

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026:    ગાંધીનગર-અમદાવાદ હાઇવે પર વલાદ ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા પ્રોઢને પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા પ્રોઢનું મોત નિપજ્યુ હતું. આ મામલે મૃતકના પૌત્રએ કારચાલક વિરુદ્ધ ડભોડા પોલીસ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની એવી વિગતો છે કે, ગાંધીનગરના વલાદ ગામની સીમમાં […]

નરેન્દ્ર મોદીઅને જર્મનીના ચાન્સલર વચ્ચે દ્વીપક્ષીય બેઠક યોજાઈ, મહત્વના કરાર થયાં

અમદાવાદ, 12 જાન્યુઆરી, 2026: ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ફ્રેડિરક મર્જ વચ્ચે પાટનગર ગાંધીનીગરમાં દ્રીપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત-જર્મની નજીકના સહયોગી છે. એટલા માટે જ આજે ભારતમાં 2000 કરતા વધારે જર્મન કંપની કાર્યરત છે. આ જર્મનીની ભારત પ્રત્યેની અતૂટ વિશ્વાસ દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર […]

ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની દોડધામ છતાંયે ટાઈફોડના કેસમાં વધારો

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2026:  પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે  ટાઈફોડ રોગચાળો વકર્યો છે. મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સર્વે કરીને ત્વરિત પગલાં લેવા છતાંયે ટાઈફોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી તંત્ર આ રોગચાળાને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે, ત્યારે આદિવાડા વિસ્તારની 8 વર્ષની બાળકીના મોતને લઈને આમ આદમી પાર્ટીએ તંત્ર […]

ગાંધીનગરમાં ટાઈફોડના કેસમાં વધારો, કોંગ્રસ પ્રતિનિધિ મંડળે દર્દીઓના ખબર-અંતર પૂછ્યાં

ગાંધીનગર, 9 જાન્યુઆરી 2026: પાટનગર એવા ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ટાઈફોડના કેસમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈ તેમની પૂછપરછ કરી હતી અને તંત્રની કામગીરી સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code