સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શુક્રવારે પદવીદાન સમારોહ, 126 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આગામી તારીખ 20 જાન્યુઆરીને શુક્રવારના રોજ યોજાનારા 57મા પદવીદાન સમારોહ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ નવનિયુક્ત શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસુરીયા ઉપસ્થિતમાં પદવીદાન યોજાશે. પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 126 વિદ્યાર્થીઓને 145 ગોલ્ડ મેડલ એનાયત કરાશે. અને કુલ 43,062 વિદ્યાર્થીઓને પદવી એનાયત […]


