1. Home
  2. Tag "gujarat"

રાજ્યમાં મનપા-ન.પામાં વિકાસ કાર્યો માટે સરકારે રૂ. 1512 કરોડની ફાળવણી કરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોનાં સર્વાંગી વિકાસ માટે કાર્યદક્ષતાથી ગુણવત્તાયુક્ત જન સુવિધા કામો હાથ ધરવાનું પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન  નરેન્‍દ્ર મોદીના શાસનના 9 વર્ષ સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણના રહ્યા છે. સેવા અને સુશાસન પરસ્પર જોડાયેલા છે તેથી સેવાના ભાવ સાથે થતાં જનસુવિધાના  વધુ ને વધુ કામોથી જ સેવા-સુશાસન […]

ગુજરાતમાં સતત વરસાદ વચ્ચે 67 ડેમ 90 ટકાથી વધારે ભરાયાં

સરદાર સરોવર ડેમમાં 66 ટકા પાણીનો સંગ્રહ સૌરાષ્ટ્રના 141 ડેમમાં 73 ટકા પાણીનો જથ્થો અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસી રહ્યો છે, જેથી જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 66 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના લગભગ 67 જેટલા ડેમ […]

રાજ્યમાં અત્યાર સુધીમાં 61.62 ટકા વરસાદ વરસ્યો, સૌથી વધારે કચ્છમાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હાલ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 62 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધારે 112 ટકા, સૌરાષ્ટ્રમાં 90 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.56 ટકા, દક્ષિણ ગુજરાતમાં 47.68 ટકા અને પૂર્વ ગુજરાતમાં […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, દ્વારકામાં 9.1 ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. દ્વારકામાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે દ્વારકાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન પોરબંદરમાં 6.4 […]

ગુજરાતમાં આજથી એક મહિના સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત લઈ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરાશે

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા ચૂંટણીઓને અનુલક્ષીને મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા કરાવવા અને નામ કમી કરવા માટેનો ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે તા.1લી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય તેવા યુવાનો મતદાર તરીકે નોંધણી કરાવી આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.1લી જાન્યુઆરી, […]

ગુજરાતમાં પ્રતિ 1 લાખની વસતીએ ટીબીના 189 દર્દીઓ, વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્તિનો સંકલ્પ

ગાંધીનગરઃ ગુજરાતમાં એક લાખ વ્યક્તિએ પ્રતિવર્ષ ટી.બી.ના હવે માત્ર 189 દર્દીઓ મળી રહ્યા છે. ટી.બી.ના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ગુરૂવારે રાજભવનમાં રાષ્ટ્રીય ટી.બી. ઉન્મૂલન કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં થઈ રહેલા કાર્યની સમીક્ષા કરી હતી. સમગ્ર દેશમાં ગુજરાત શ્રેષ્ઠ કામગીરીમાં બીજા ક્રમે છે, તે માટે આરોગ્યતંત્રને બિરદાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાંથી […]

ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર

અમદાવાદઃ સરકારે ટ્રેક્ટર ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે. 52,516 ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે રૂ.315.09 કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે. ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. માનવશ્રમ ઘટાડતા આ સાધનોની બજાર કિંમત વધુ હોવાથી […]

ગુજરાતઃ 61 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર, કપાસનું સૌથી વધુ 25.39 લાખ હેક્ટરમાં વાવેતર

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થતા રાજ્યમાં 61.30 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે, જે ગતવર્ષની સરખામણીએ 110 ટકા જેટલું વાવેતર થયું છે,તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક […]

ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ યોજાશે, પ્રવાસન નિગમે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કર્યા MOU

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રથમવાર આયોજિત થનારા 69મા ફિલ્મફેર એવોર્ડસ દ્વારા ગુજરાત દેશમાં ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ થશે. આ 69મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે રાજ્ય સરકારના સાહસ ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MOU કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે […]

ગુજરાતમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે 29મી સપ્ટેમ્બરે પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC), અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે એનટીએ (National Testing Agency)  દ્વારા તા.29 સપ્ટેમ્બર-2023ના રોજ શુક્રવારે પેન અને પેપર મોડ (OMR Based) પરીક્ષા યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-2023 યોજાશે.  આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને હિંદી રહેશે. જે માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code