મ્યાનમારમાં બગડતી સ્થિતિ પર ભારતીય વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે મ્યાનમારમાં બગડતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, આની સીધી અસર ભારત પર પડી રહી છે. તેમણે કહ્યું હતું કે, મ્યાનમારના પાડોશી દેશ અને મિત્ર તરીકે ભારત લાંબા સમયથી મ્યાનમારમાં હિંસા અને સંઘીય લોકશાહીનો સંપૂર્ણ અંત લાવવાની હિમાયત કરી રહ્યું છે. […]