1. Home
  2. Tag "iran"

ભારતીય નૌસેનાએ ઈરાન બાદ પાકિસ્તાનના જહાજને પણ દરિયાઈ ચાંચિયાઓથી બચાવ્યું

નવી દિલ્હીઃ અરબ સાગરમાં ભારતીય નૌસેનાની વીરતા ફરી એકવાર જોવા મળી છે. ભારતીય નેવીએ 24 કલાકમાં અરબ સાગરમાં બે જહાજોને દરિયાઈ ચાંચિયાઓથી બચાવ્યાં હતા. એટલું જ નહીં એક જહાજમાં 19 પાકિસ્તાની અને બીજા ઈરાની જહારમાં 17 ક્રુ મેમ્બર્સને બચાવ્યાં હતા. ભારતીય નેવીએ 28 અને 29 જાન્યુઆરીના રોજ અરબ સાગરમાં બે જહાજોને હાઈજેક થતા બચાવ્યાં હતા. […]

ન્યૂઝ જે છે ખાસ : ચીનની અકળામણ, ઈરાન-માલદીવમાં ચાલબાજી, પાકિસ્તાનની પળોજણ, મસ્કે ક્યાં મુદ્દે આપ્યું ભારતને સમર્થન

તાઈવાનની સરકારને શુભેચ્છા ચીનની અકળામણ ભારત અને ચીન વચ્ચે 2020થી ચાલી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવ વચ્ચે નવો ફણગો ફૂટયો છે. તાઈવાનની નવી સરકારે ભારતને શુભેચ્છા પાઠવી છે. આને લઈને ચીનના પેટમાં નિશ્ચિતપણે તેલ રેડાવાનું છે. ન્યૂઝ એજન્સી ફોકસ તાઈવનના અહેવાલ મુજબ, તાઈવાનમાં ભારતના પ્રતિનિધિ મનહરસિંહ લક્ષ્મણભાઈ યાદવે નવનિર્વાચિત નેતાઓને અભિનંદન આપ્યા છે. ન્યૂઝ એજન્સી […]

પાકિસ્તાન સાથેની લડાઈની વચ્ચે ઈરાને જણાવી ઈસ્લામિક દુનિયાની સૌથી મોટી મુશ્કેલી

તહેરાન: પાકિસ્તાન તરફથી ઈરાનમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર ઈરાને આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બંને દેશોની સીમા પર વિદેશી નાગરિકો પર પાકિસ્તાનના અસંતુલિત અને અસ્વીકાર્ય ડ્રોન હુમલાની ઈરાન આકરી નિંદા કરે છે. ઈરાની વિદેશ મંત્રાલયે નિવેદનમાં એમ પણ કહ્યું છે કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બંને દેસોની સરકારો વચ્ચે સારા […]

ઈરાનમાં આતંકવાદી ઠેકાણા ઉપર પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈકને અમેરિકાએ આપ્યું સમર્થન

નવી દિલ્હીઃ ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાનો નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. જે બાદ ગુરુવારે ઈરાન પર પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ યથાવત છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે ‘માર્ગ બાર સરમાચાર’ ઓપરેશન અંગે માહિતી આપતા કહ્યું કે, ઈરાનમાં ઉભા થયેલા પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે આતંકવાદી ગતિવિધિઓ કરવાની ગુપ્ત […]

ઈરાન-પાકિસ્તાન તણાવ પર એક્સપર્ટ્સ ચિંતિત, કહ્યુ- મુસ્લિમ દેશ ખુદનો તો બચાવ કરી શકતા નથી, એકબીજા પર કરે છે હુમલા

નવી દિલ્હી : ઈરાને મંગળવારે પશ્ચિમ પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો પર મિસાઈલો અને ડ્રોન્સથી હુમલા કર્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાને પણ ઈરાનના કેટલાક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં કથિતપણે આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ હુમલામાંથી બંને ઈસ્લામિક દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. પાકિસ્તાને કહ્યું છે કે ઈરાનના હુમલામાં બે બાળકોના […]

ઈરાને પહેલા ભારત અને અમેરિકાએ પણ પાકિસ્તાન આર્મીની પોલ ખોલી કરી હતી સૈન્ય કાર્યવાહી

નવી દિલ્હીઃ આતંકવાદીઓનું આકા ગણાતુ પાકિસ્તાન સમગ્ર દુનિયામાં પોતાની આર્મી અને પરમાણુ બોમ્બને લઈને મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ ઈરાને પાકિસ્તાનમાં ધુસીને આતંકવાદી ઠેકાણો ઉપર બોમ્બમારો કર્યો છે. પાકિસ્તાનના મોટા મોટા દાવાઓ વચ્ચે આ પ્રથમવાર નહીં કે કોઈ દેશ પાકિસ્તાનમાં ઘુસીને સૈન્ય કાર્યવાહી કરી છે. અગાઉ અમેરિકા અને ભારતે પણ પાકિસ્તાનમાં ઘુસીને સૈન્ય કાર્યવાહી […]

પાકિસ્તાનમાં આતંકવાદી સમૂહ જૈશ-અલ-અદલના ઠેકાણા પર ઈરાનનો હવાઈ હુમલો

નવી દિલ્હી: ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી સમૂહ જૈશ-અલ-અદલના ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો. જેમાં બે બાળકોના મોત અને ત્રણ બાળકીઓ ઘાયલ થઈ છે. આ હુમલા બાદ પાકિસ્તાને ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, આના પરિણામો સારા નહીં આવે. ઈરાનની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં જૈશના આતંકવાદી અડ્ડાઓને મિસાઈલ, ડ્રોનથી નિશાન બનાવાયા અને અને તેનો નાશ કરાયો. ઈરાનનો દાવો […]

ઈરાક ઉપર ઈરાને બેલેસ્ટિક મિસાઈલોથી કર્યો હુમલો, ચારના મોત

નવી દિલ્હીઃ ઈરાને ઉત્તરી ઈરાક અને સીરિયામાં અનેક ટાર્ગેટ પર હુમલો કર્યો. ઈરાને કહ્યું કે તેણે આર્બિલમાં જાસૂસોના હેડક્વાર્ટર અને ઈરાન વિરોધી આતંકવાદી જૂથોના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. કુર્દિસ્તાન સરકારની સુરક્ષા પરિષદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાનના હુમલામાં ચાર નાગરિકો માર્યા ગયા હતા અને છ ઘાયલ થયા હતા. આ મિસાઈલો અમેરિકન કોન્સ્યુલેટ પાસે પડી […]

ઈરાને અરબી સમુદ્રમાં ઓઈલ ટેંન્કર પર ડ્રોન હુમલાના આરોપને નકાર્યો

નવી દિલ્હીઃ શનિવારે હિંદ મહાસાગરમાં માલવાહક જહાજ પર ડ્રોન હુમલા પછી ભારતીય નેવી સતર્ક થઈ ગઈ છે. અમેરિકાએ આ હુમલાનો આરોપ ઈરાન પર લગાવ્યો છે. આ દરમ્યાન સોમવારે ઈરાને અમેરિકાના ગંભીર આરોપને ફગાવી દિધો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમેરિકાએ લગાવેલા બધા આરોપો પાયાવિહોણા છે. 23 ડિસેમ્બરના રોજ ગુજરાતના દરીયાકાંઠા નજીક અરબી […]

ભારતીય પાસપોર્ટની તાકાત વધી, વિઝા વિના હવે ભારતીયો ઈરાનનો પ્રવાસ કરી શકશે

નવી દિલ્હીઃ ભારતનો પાસપોર્ટ વધારે મજબુત બન્યો છે, હવે ભારતીયો વિઝા વિના પણ ઈરાનનો પ્રયાસ કરી શકશે. ઈરાને ભારત અને સાઉદી અરબ સહિત 33 દેશો માટે વિઝાની વ્યવસ્થા દુર કરી છે. ઈરાની પર્યટન મંત્રાલયનું માનવુ છે કે, ખુલ્લા દ્વાર નીતિ દુનિયાના વિવિધ દેશો સાથે ઈરાનને જોડવાના દ્રઢ સંકલ્પને દર્શાવે છે. આઈએસએનએ કહ્યું હતું કે, આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code