1. Home
  2. Tag "leader"

‘ઓલ થિંગ્સ ટેક્નોલોજી’માં ભારત વિશ્વમાં અગ્રેસર દેશ બનશેઃ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકારનું ધ્યાન ભારતને વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં એક ગંભીર, સ્પર્ધાત્મક સહભાગી બનાવવા પર છે. નવી દિલ્હીમાં પબ્લિક અફેર્સ ફોરમ ઓફ ઈન્ડિયા (PAFI) ની 15મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા, રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]

કર્ણાટક ચૂંટણીઃ ખડગે બાદ હવે BJP નેતા બોલવામાં ભાન ભૂલ્યાં, સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યાં

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને હાલ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે,પ્રચાર દરમિયાન રાજકીય નેતાઓ ભાન ભૂલી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે, તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝેરી સાપની સાથે સરખામણી કરી હતી. આ વિવાદ હજુ શાંત પડ્યો […]

ગુજરાત ભાજપના નેતાને આપ સાથે સંબંધ રાખવાનું ભારે પડ્યું, પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ

અમદાવાદઃ ગુજરાત ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે. અને એટલે જ પાર્ટી લાઈન ક્રોસ કરાવામાં કાર્યકર્તાઓથી લઈને નેતાઓ ડરતા હોય છે. ભાજપમાં અશિસ્ત દાખવનારાને સસ્પેન્ડ કરવાના નિર્ણયો પણ ઝડપથી લેવાતા હોય છે. ભાજપના જિલ્લા પૂર્વ મહામંત્રી કિશનસિંહ સોલંકીને આમ આદમી પાર્ટી સાથે સંબંધ રાખવાનું ભારે પડ્યું છે. કિશનસિંહએ પંજાબના સીએમ અને આપ’ના નેતા ભગવંતસિંહ માન […]

ગુલામ નબી આઝાદના સમર્થનમાં વધુ 40 નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો

નવી દિલ્હીઃ ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યા બાદ તેમના સમર્થકો પણ પાર્ટીનો સાથ છોડી રહ્યાં છે. ગુલામ નબી આઝાદના સમર્થનમાં મંગળવારે 65 નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે બુધવારે પણ 42 નેતાઓએ પાર્ટી છોડી હોવાનું જાણવા મળે છે. આ તમામ નેતાઓનું કહેવું છે કે, તેઓ ગુલામ નબી આઝાદની નવી બનનારી પાર્ટીમાં જોડાશે. આ રીતે […]

‘ઓપન ગુજરાત સ્ટેટ તાઈક્વોન્ડા ચેમ્પીયનશીપ’માં વડોદરાની ટીમ 13 ગોલ્ડ મેડલ મેળવી અગ્રેસર રહી

અમદાવાદઃ સુરતમાં તાજેતરમાં ‘ઓપન ગુજરાત સ્ટેટ તાઈકવોન્ડો ચેમ્પીયનશીપ’ યોજાઈ હતી. જેમાં વડોદરાની તાઈક્વોન-ડો ટીમે સનિયર અને સબ જુનિયર ગ્રુપમાં 13 ગોલ્ડ મેડલ મેળવીને રાજ્ય સ્તરે અગ્રેસર સ્થાન મેળવ્યું હતું. 13 ગોલ્ડ મેટલ પુમ્સેમાં મળ્યાં હતા. બ્લેક બેલ્ટમાં મિમાંશા ભટ્ટે બે ગોલ્ડ મેડલ (ગ્રુપ અને પૈર પુમ્સે)માં જીત્યાં હતા. આવી જ રીતે કલર બેલ્ડમાં ભાવિની સુતારએ […]

નુપુર શર્માના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરનારા મુસ્લિમ દેશો-નેતાઓને SPના પૂર્વ મહિલા નેતાના અણિયારા સવાલો

ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માના વિવાદીત નિવેદનથી ઓવૈસી ભાઈઓ અને અરબ દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સમાજવાદી પાર્ટીના પૂર્વ મહિલા નેતા રૂબીના ખાનમએ ઓવૈસી બંધુઓ અને મુસ્લિમ દેશોને ઉપર આકરા પ્રહાર કરીને અણિયારા સવાલ કર્યાં હતા. તેમણે કહ્યું કે 100 કરોડ હિન્દુઓની મૂર્તિઓને અપશબ્દો કહેવામાં આવે છે. તેમનું અપમાન કરવામાં આવે છે, તેમની […]

કોંગ્રેસને વધુ એક ફટકો, સિનિયર નેતા અશ્વિની કુમારે આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન આજે કોંગ્રેસને વધુ એક ફકટો પડ્યો હતો. પંજાબમાં મતદાન પૂર્વે જ સિનિયર નેતા અશ્વિની કુમારે રાજીનામું આપ્યું હતું. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કાયદા મંત્રી અશ્વિની કુમારે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. આમાં અશ્વિ કુમારે લખ્યું છે કે, તેઓ […]

કોંગ્રેસમાં હવે ઉપપ્રમુખ, મહામંત્રી,સહિતના નેતાઓની જવાબદારી નક્કી કરી કામગીરી સોંપાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 11 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી માટે કોંગ્રેસ હવે પ્રદેશથી માંડીને તાલુકા સ્તર સુધીના પ્રમુખ ઉપરાંત મહામંત્રી, ઉપપ્રમુખ ને મંત્રી સહિતના અન્ય હોદ્દેદારોની પદની સાથે જવાબદારી નક્કી કરાશે. કામગીરીની સમીક્ષામાં પણ માત્ર પ્રમુખ જ નહીં, પરંતુ અન્ય હોદ્દેદારો પણ જવાબદાર […]

છોટાઉદેપુર નગરપાલિકાઃ કોંગ્રેસના નેતા પ્રમુખ તરીકે બિનહરિફ ચુંટાયા

અમદાવાદઃ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સામે અશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ ચુંટાયાં હતા. કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બસપાના સહયોગથી બિનહરિફ જાહેર થયાં હતા. છોટાઉદેપુરમાં કોંગ્રેસ અને બસપાએ ગઠબંધન કરીને પાલિકામાં સત્તા હાંસલ કરી છે. આગામી દિવસોમાં હવે બોર્ડની રચના કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી યોજાતાં કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બહુજન […]

પડકાર અને સમસ્યાઓને અવસરમાં બદલી જાણે તે જ લીડરઃ નીતિન ગડકરીનો મંત્ર

દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પોતાની બેબાકી અને ગુણવત્તા પૂર્ણ કામનેને લઈને જાણીતા છે. માર્ગના કોન્ટ્રક્શનમાં ગુણવત્તામાં કોઈ સમાધાન તેમને પસંદ નથી. જે માટે ટેસ્ટીંગ પણ પોતાના અલગ અંદાજમાં કરે છે. એવો જ એક ટેસ્ટ તેમણે આજથી વર્ષો પહેલા મુંબઈ-પૂના એક્સપ્રેસમાં કર્યું હતું. જ્યારે તેમણે 130 કિમિ પ્રતિ કલાકની ઝડફથી દોડતી કારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code