1. Home
  2. Tag "News in Gujarati"

રાજકોટ-ગાંધીનગર વચ્ચે 20મી જાન્યુઆરીથી એસટીની એસી લકઝરી બસ દોડશે

રાજકોટ,18 જાન્યઆરી 2026:  પાટનગર ગાંધીનગરથી રાજકોટ સુધીની એસટીની વાતાનુકૂલિત લકઝરી બસ સેવા આગામી તા. 20મી જાન્યુઆરીથી શરૂ કરાશે. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા ગાંધીનગર માટે પ્રથમ એ.સી. સીટર બસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટથી લકઝરી એસટી બસ ઉપડવાનો સમય સાંજે 4 વાગ્યે અને ગાંધીનગરથી ઉપડવાનો સમય સવારે 7.30 વાગ્યાનો નક્કી કરાયો છે. હાલ પ્રીમિયમ […]

ભાદર ડેમ-2માંથી સિચાઈ માટેનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર

રાજકોટ,18 જાન્યઆરી 2026: સૌરાષ્ટ્રના ભાદર-2 ડેમમાંથી કમાન્ડ વિસ્તારમાં રવિ સીઝન માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. કુતિયાણા અને રાણાવાવ વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સરકારમાં કરેલી સફળ રજૂઆત બાદ, શનિવારે સવારે વિધિવત રીતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા એને લઈને ડેમના હેઠવાસમાં આવતા ગામો અને ખેડૂતો સહિતના સૌ કોઈને મોટો ફાયદો થશે. રવિ […]

સુરતમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાતાં વિઝિબિલિટી ઘટી, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

સુરત,18 જાન્યઆરી 2026:  દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં થોડા વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યુ છે. પણ વહેલી સવારથી ગાઢ ધૂમ્મસ અને કેટલાક વિસ્તારમાં ઝાકળને લીધે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સુરત શહેરમાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આકાશચુંબી ઈમારતો ધુમ્મસમાં […]

ગુજરાતમાં ભાજપનું નહીં પણ ભયનું શાસન ચાલે છેઃ કેજરિવાલ

અમદાવાદ,18 જાન્યઆરી 2026:  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. શનિવારે સાંજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમદાવાદમાં એરપોર્ટ પર ઉતરતા કેજરિવાલનું આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. આમ […]

વૈષ્ણોદેવી સર્કલ પાસે ફોર્ચ્યુનર કાર ડિવાઈડ કૂદી ST બસ સાથે અથડાઈ, કારચાલકનું મોત

અમદાવાદ,18 જાન્યઆરી 2026: શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર વાહનોની તેજ રફતારને લીધે રોડ અકસ્માતના બનાવો વધતી જાય છે. ત્યારે આજે  વહેલી સવારે વૈષ્ણદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાતા ફોર્ચ્યુંનર કારચાલકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે યુવતી સહિત ત્રણેક લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં […]

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો 16મી ફેબ્રુઆરીથી થશે પ્રારંભ, 17મી ફેબ્રુઆરીએ રજુ થશે બજેટ

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026: ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આગામી 16મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. અને 17મી ફેબ્રુઆરીએ 2026-27ના વર્ષનું બજેટ ગૃહમાં નાણા મંત્રી દ્વારા રજુ કરવામાં આવશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 8માં સત્રનું આહ્વાન કર્યુ હતું. દરમિયાન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અગે ચર્ચા કરવામાં આવી હતી.  વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં […]

કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ રિજનલ સમિટમાં રૂ. 5.78 લાખ કરોડના રોકાણ માટે MoU થયા

ગાંધીનગર,16 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની સફળતા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધરૂપે યોજાયેલી કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ સમિટ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. આ બે દિવસીય રીજનલ સમિટ દરમિયાન […]

મોઢેરાના સૂર્યમંદિર ખાતે કાલે શનિવારથી દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે

મહેસાણા, 16 જાન્યુઆરી 2026: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આવતી કાલે તા.17 અને 18 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય […]

વડોદરા-હાલોલ હાઈવે પર ઈકોકારે બાઈકને ટક્કર મારતા બેનાં મોત

 વડોદરા,16 જાન્યુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વડોદરા-હાલોલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, વડોદરા-હાલોલ હાઈવે પર જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રેલીસ હોટલ નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ચાર લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ […]

સમગ્ર દેશમાં એક વર્ષ સુધી ઉજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

ગાંધીનગર,16 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના તાજેતરના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસની અભૂતપૂર્વ સફળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલું ‘સોમનાથ સ્વાભિમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code