રત્ન કલાકારોને બાળકો માટે શિક્ષણ સહાય મેળવવા બેરોજગારીનો પુરાવો આપવો નહી પડે
નવા શૈક્ષણિક સત્રથી રત્નકલાકારે સ્કૂલમાં સહાય મેળવવા અરજી કરવાની રહેશે, મહત્તમ સહાય રૂ.13500 અપાશે, રત્નકલાકારોએ રોજગાર અધિકારી અથવા ડાયમંડ એસો.નું પ્રમાણપત્ર હશે તો જ સહાય મળશે સુરતઃ ગુજરાતનો હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. મંદીને લીધે અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. […]