1. Home
  2. Tag "Samachar Blog"

G7 માટે કેનેડા મુલાકાત પૂર્ણ થતા પીએમ મોદી ક્રોએશિયા જવા રવાના થયા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કેનેડા પ્રવાસ સફળ રહ્યો છે. હવે પીએમ મોદી તેમની ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ક્રોએશિયા જવા રવાના થયા છે. અગાઉ, તેમણે G7 સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ કેનેડાના લોકો અને સરકારનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે G7 સમિટમાં હાજરી આપવા માટે કેનેડાની તેમની સફળ મુલાકાત પૂર્ણ કરી. પ્રધાનમંત્રી […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 8 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ

ગાંધીનગરઃ હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત તેમજ મધ્યગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારમાં […]

સંસ્કૃત બોર્ડની પાંચ પ્રોત્સાહક યોજનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોંચ કરી

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠક મળી, સંસ્કૃત બોર્ડના લોગોનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરાયુ, સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના– સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના – સંસ્કૃત પ્રોત્સાહન યોજના  શરૂ કરાશે. ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે યોજના પંચકમ લોંચ […]

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની જાણ થતાં જ 108 સેવાની 80 ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી

બપોરે 1.41 વાગ્યે કૉલ મળતાં જ 4 એમ્બ્યુલન્સને તાત્કાલિક રવાના કરાઈ, દૂર્ઘટનાના 3 મિનિટમાં પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી, 10 મિનિટમાં જ 31 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર થઈ બચાવ કામગીરીમાં જોડાઈ ગઇ અમદાવાદઃ 12 જૂન 2025ના રોજ બપોરે લગભગ 1.40 વાગ્યે, અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને કારણે કારણે તાત્કાલિક અને વ્યાપક ઇમરજન્સી રિસ્પોન્સની આવશ્યકતા ઊભી થઈ હતી, ત્યારે 108 […]

ભારતઃ સેનાની ટુકડી ‘શક્તિ’ લશ્કરી કવાયતના 8માં સંસ્કરણમાં ભાગ લેવા ફ્રાન્સ રવાના થઈ

નવી દિલ્હીઃ ભારતીય સેનાની એક ટુકડી મંગળવારે દ્વિવાર્ષિક ભારત-ફ્રાન્સ સંયુક્ત લશ્કરી કવાયત શક્તિના 8મા સંસ્કરણમાં ભાગ લેવા માટે રવાના થઈ. આ કવાયત 18 જૂન 2025 થી 1 જુલાઈ 2025 સુધી ફ્રાન્સના લા કેવેલરીના કેમ્પ લાર્ઝાક ખાતે ચાલશે. આ કવાયતમાં ભાગ લેનાર ભારતીય ટુકડીમાં 90 સૈન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. ભારતીય ટુકડીમાં મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સની બટાલિયન […]

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લીધે કાલે બુધવારે શાળાઓ બંધ રહેશે

ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લીધે રેડ એલર્ટ અપાયું છે, ખાનગી, સરકારી સહિત તમામ શાળાઓમાં જાહેર રજા રહેશે, જિલ્લા કલેકટર દ્વારા લેવાયો નિર્ણય ભાવનગરઃ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે જળબંબોળ જેવી સ્થિતિ છે. મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા છે. શેત્રુજી ડેમ ઓવરફ્લો થતાં 59 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં […]

હારીજના કુકરાણા ગામ નજીક કારે અડફેટે લેતા મહિલાનું મોત

કુકરાણા શાળામાંથી મહિલા પોતાના બાળકોના દાખલા લેવા જતા હતા, મહિલા હારીજ તરફ જવા માટે રસ્તાની એક બાજુ વાહનની રાહ જોઈ રહ્યા હતા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી પાટણઃ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામ નજીક એક મહિલાનું કાર અકસ્માતમાં મોત થયું છે. જશવંતપુરા ગામના ગીતાબેન ભાવાજી ઠાકોર (ઉંમર 45) કુકરાણા શાળામાંથી પોતાના બાળકોના દાખલા […]

શ્રમ કલ્યાણ યોજનાઓ સમગ્ર ભારતમાં 50 લાખથી વધુ અસંગઠિત કામદારોને સહાય પૂરી પાડે છે

નવી દિલ્હીઃ શ્રમ અને રોજગાર મંત્રાલય, શ્રમ કલ્યાણ મહાનિર્દેશાલય (DGLW) દ્વારા ભારતમાં અસંગઠિત કામદારોના જીવનને સુધારવા માટે સમર્પિત અનેક કલ્યાણકારી યોજનાઓનો અમલ કરવાનું, ખાસ કરીને બીડી, સિનેમા અને ખાણકામ ક્ષેત્રોમાં ચાલુ રાખે છે. આ યોજનાઓ 50 લાખથી વધુ કામદારો અને તેમના પરિવારોને સીધી અસર કરે છે, જે સરકારની સમાવિષ્ટ અને કરુણાપૂર્ણ શ્રમ કલ્યાણ વ્યૂહરચનાનો આધારસ્તંભ […]

થરાદના માંગરોળ પાસે ભારતમાલા હાઈવે પરના સર્વિસરોડ પર પાણી ભરાયા

પાણી ભરાવાથી વાહનચાલકો-ખેડૂતો પરેશાન, સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે, યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ અને નાળાની વ્યવસ્થાની માંગ પાલનપુરઃ  થરાદ તાલુકાના માંગરોળ નજીક ભારતમાલા હાઈવેના સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિકો અને હજારો વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા […]

છાપીમાં બિલ્ડરને ડીવાયએસપીની ખોટી ઓળખ આપી છેતરપિડી કરનારો શખસ પકડાયો

બિલ્ડરે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ડીવાયએસપીના સ્વાંગમાં પોતે મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતો હોવાનું કહ્યુ હતુ. બિલ્ડર પાસેથી 38 લાખ ઉછીના લઈ ગયો હતો પાલનપુરઃ નકલી પોલીસના સ્વાંગમાં તોડબાજી અને છેતરપિંડની બનાવો બનતા હોય છે ત્યારે બનાસકાંઠામાં વધુ એક ડીવાયએસપીના સ્વાંગમાં છેતરપિંડી કરતા શખસને પોલીસે પકડી પાડ્યો છે. વડગામના છાપીમાં બિલ્ડરને સીએમ સુરક્ષામાં ડીવાયએસપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code