1. Home
  2. Tag "Samachar Blog"

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસના 5 મશીન 15 દિવસથી બંધ, દર્દીઓને મુશ્કેલી

ડાયાલિસિસ સેન્ટરમાં પ્રતિદિન 20થી વધુ ગરીબ દર્દીઓ આવે છે, અમદાવાદની IKDRC સંસ્થાના ઢીલા વલણને પગલે પખવાડિયા મશીન બંધ, દર્દીઓનો કલાકો સુધી બેઠા પછી નંબર આવે છે સુરતઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં 14 ડાયાલિસિસના મશીન પૈકી પાંચ મશીન છેલ્લા પખવાડિયાથી બંધ હોવાથી દર્દીઓને કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડે છે. અમદાવાદની IKDRC સંસ્થાના ઢીલા વલણને પગલે પખવાડિયા મશીન […]

પાન નંબરના રજિસ્ટ્રેશન માટે હવે આધાર નંબર આધારિત ઓટીપી ફરજિયાત

આવકવેરા વિભાગે પાન નંબરની નોંધણીની પદ્ધતિમાં મોટા ફેરફાર કર્યા, રિટર્ન ફાઇલ કરતી વખતે વધુ સુરક્ષા માટે નિયમમાં ફેરફાર કરાયો, મોબાઇલ નંબર આધાર સાથે લિંક નહીં હોય તો પ્રોસેસ અધૂરી રહેશે અમદાવાદઃ ઇન્કમટેક્સના પોર્ટલ પર વ્યક્તિગત પાન રજિસ્ટ્રેશન માટે આધાર નંબર બેઝ્ડ ઓટીપી ફરજિયાત કરવામાં આવ્યો છે.  આવકવેરા વિભાગે પાન નંબરની નોંધણીની પદ્ધતિમાં મોટા ફેરફાર કર્યા […]

પ્લેન ક્રેશમાં 92 મૃતકોના DNA મેચ થયા, મૃતકોના પરિવારોને 47 મૃતદેહ સોંપાયા

DNA મેચ થતા મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી રહી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ પર 170 કોફિન પણ તૈયાર રખાયા, મૃતદેહને ઘર સુધી સન્માન સાથે પહોંચડાવાની તંત્ર દ્વારા વ્યવસ્થા અમદાવાદઃ શહેરમાં એરપોર્ટ નજીક આઇજીપી કમ્પાઉન્ડમાં ગઈ તા. 12મીને ગુરૂવારે લંડન જતું પ્લેન તૂટી પડતા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. AI-171 પ્લેન […]

નરેન્દ્ર મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યો છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે તેમને ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III’ થી સન્માનિત કર્યા, જે દેશનો સર્વોચ્ચ સન્માન છે. આ સન્માન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને વૈશ્વિક નેતૃત્વમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યું છે. સાયપ્રસ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ નાગરિક […]

અદાણી ફાઉ. દ્વારા અત્યાધુનિક પશુ આરોગ્ય વાનનું અર્પણ

મુન્દ્રા : અદાણી ફાઉન્ડેશન દ્વારા સુવિધા ગૌ સેવા કેન્દ્રને અત્યાધુનિક પશુ આરોગ્ય વાનનું અર્પણ કરવામાં આવ્યું, જે અબોલ જીવોની તાત્કાલિક સારવાર માટે મહત્વનું પગલું છે. આ કેન્દ્ર રતનભાઈ ગઢવીના નેતૃત્વ હેઠળ મુંદ્રા ખાતે છેલ્લા 7-8 વર્ષથી કાર્યરત છે, જ્યાં અકસ્માતમાં ઘાયલ અથવા બીમારીથી ત્યજાયેલા પશુઓની દિલથી સેવા અને સારવાર કરવામાં આવે છે. રતનભાઈ અને તેમની […]

સ્વ. વિજય રૂપાણીના પાર્થિવ દેહને સન્માનભેર પરિવારને સોંપાતા રાજકોટ લઈ જવાયો

ગુજરાત સરકારે આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો, અંતિમ યાત્રામાં અમિત શાહ, નડ્ડા, મુખ્યમંત્રી સહિત રાજકીય નેતાઓ જોડાશે, રાજકોટમાં રૂપાણીના નિવાસસ્થાને ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ પહોંચ્યા અમદાવાદ:  શહેરના એરપોર્ટ નજીક આઇજીપી કમ્પાઉન્ડમાં ગઈ તા. 12મીને ગુરૂવારે લંડન જતું પ્લેન તૂટી પડતા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી […]

ઈરાન ટ્રમ્પને નંબર વન દુશ્મન માને છે અને તેમને મારવા માંગે છેઃ ઈઝરાયલી PM નેતન્યાહૂ

ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે ઈરાની સરકાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માંગતી હતી. નેતન્યાહૂએ કહ્યું કે, ઈરાની સરકાર ડોનાલ્ડ ટ્રમ્પને તેના પરમાણુ કાર્યક્રમ માટે ખતરો માને છે અને સક્રિયપણે ટ્રમ્પને ખતમ કરવા માંગે છે. એક અમેરિકન ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નેતન્યાહૂએ કહ્યું કે ઈરાન સરકાર ટ્રમ્પને મારવા માંગે છે. તેઓ તેમના […]

બિહારમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત અને 15 ઘાયલ

પટનાઃ વૈશાલીમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે. જ્યારે, લગભગ 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સારણ પોલીસ સ્ટેશન હેઠળના નયાગાંવના બાજીતપુર ચાર રસ્તા પાસે બની હતી. આ ઘટનાની માહિતી મળતાં જ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તમામ ઘાયલોને સોનપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ […]

ઈરાનના સમર્થનમાં ઈઝરાયલ ઉપર પરમાણુ હુમલાની ધમકી આપનાર પાકિસ્તાને પલટી મારી

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે તણાવની સ્થિતિ છે. ઇઝરાયલના હુમલાનો જવાબ ઇઝરાયલે ડ્રોન અને મિસાઇલોથી આપ્યો હતો. આ દરમિયાન, ઇરાન દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જો ઇઝરાયલ પરમાણુ હુમલો કરશે, તો પાકિસ્તાન તેને ટેકો આપશે અને ઇઝરાયલ પર પરમાણુ હુમલો કરશે, પરંતુ એક અહેવાલ મુજબ, પાકિસ્તાને આ વાતનો સ્પષ્ટ […]

વસ્તી ગણતરીને લઈને કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું, બે તબક્કામાં થશે ગણતરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે, ભારતની વસ્તી ગણતરી વર્ષ 2027 દરમિયાન કરવામાં આવશે. આ માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અગાઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વસ્તી ગણતરી હાથ ધરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, મહાપંચાયન અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણ અને અન્ય અધિકારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code