1. Home
  2. Tag "Samachar Samachar"

અમદાવાદમાં આવાસ યોજનામાં ભાડે અપાયેલા 21 મકાનોને હાઉસિંગ એસ્ટેટ વિભાગે સીલ કર્યા

ગેરકાયદે રહેતા 174 લોકોને નોટિસ ફટકારી, શહેરના 3,940 મકાનોમાં એસ્ટેટ હાઉસિંગ સેલની ટીમ દ્વારા તપાસ, લાભાર્થીઓ મકાનોને બીજાને ભાડે આપીને પૈસા કમાઈ રહ્યા હતા અમદાવાદઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા વર્ગના મકાન વિહોણા લોકોને સસ્તાદરે  મકાનો આપવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવાસ યોજનાઓ બનાવીને લાભાર્થીઓને મકાન ફાળવવામાં […]

ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ વલસાડમાં એક સાથે 5 બ્રિજ ભારે વાહનો માટે કરાયા બંધ

નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ સાથે બેઠક કરીને નિર્ણ લેવાયો, જિલ્લા કલેક્ટર દ્વારા 5 મુખ્ય બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવાની સૂચના, તમામ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ શરૂ કરવામાં આવ્યું વલસાડઃ  મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21 લોકોનો ભોગ લેવાયા બાદ સરકાર વધુ એલર્ટ બની છે. અને આવા કોઈ બનાવો ફરીવાર ન […]

રાધનપુર મહેસાણા હાઈવે પર સમીના ગોચનાથ પાસેનો જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો

બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો, જિલ્લાના તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા સૂચના, ટ્રાફિકને પુલ ઉપરથી પ્રતિબંધિત કરી અન્ય માર્ગ પર ડાયવર્ઝન અપાયુ ભૂજઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21ના મોત નિપજ્યા બાદ હવે સરકાર એલર્ટ બની છે. અને બ્રિજ જર્જરિત લાગે તો વિલંબ કર્યા વિના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ […]

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ બ્રિજની મજબુતાઈની તપાસ કરીને રિપોર્ટ આપવા કલેકટરનો આદેશ

ગંભીરા બ્રિજ ઘટના બાદ જિલ્લાના જર્જરિત બ્રિજનો રિપોર્ટ મંગાવાયો, સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયત હસ્તકના અનેક બ્રિજ વર્ષો જુના છે, બ્રિજમાં ખામી જણાશે ત્યાં રીપેરીંગ કરવામા આવશેઃ કલેકટર સુરેન્દ્રનગરઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીર બ્રિજ તૂટી જતા 21ના મોત નિપજ્યા હતા. આવી ઘટના ફરી ન બને તે માટે રાજ્યના તમામ વર્ષો જુના બ્રિજની […]

વિજાપુર તાલુકામાં ભારે વરસાદને લીધે કાળા તલનો પાક નિષ્ફળ

વિજાપુર તાલુકામાં 700 વિઘામાં વાવેતર થયુ હતું, ખેડૂતોને 2 કરોડથી વધુનું નુકશાનનો અંદાજ, નુકશાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માગ મહેસાણાઃ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતોએ ગત ફેબ્રુઆરીના અંતમાં કાળા તલનું વાવેતર કર્યું હતું જેમાં વિજાપુર તાલુકામાં લગભગ 700 વિઘા જમીનમાં કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. પણ ભારે વરસાદને લીધે કાળ તલનો […]

ગાંધીનગરમાં જૂની આરટીઓ કચેરી સામે 2000 રોપાનું વાવેતર કરાયું

મિયાવાકી પદ્ધતિથી વિવિધ પ્રજાતિના રોપી વવાયા, સેક્ટર-28 અને 29ની પ્રાથમિક શાળાઓમાં ઔષધીય અને ફળઝાડના રોપાનું વાવેતર, ‘એક પેડ માં કે નામ‘ અને ‘કેચ ધ રેઈન‘ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરને ગ્રીનસિટી બનાવવા માટેના પ્રસાયો હાથ ધરાયા છે. અને ચોમાસા દરમિયાન વધુને વધુને વૃક્ષારોપણ કરવામાં આવશે. ગાંધીનગર શહેરને ફરી હરિયાળું બનાવવાના પ્રયાસ રૂપે સેક્ટર-30માં […]

રંગીલા રાજકોટનો લોકમેળો આ વખતે કડક SOPને લીધે ચગડોળ વિના યોજાશે

કડક SOPના પગલે એક પણ યાંત્રિક રાઈડ ધારકોએ ફોર્મ ન ભર્યા, કલેકટર દ્વારા ચકડોળ વિનાનો જ લોકમેળો યોજવાનો નિર્ણય લેવાયો, ચંકડોળના સંચાલકોએ આજીજી કરી પણ કલેકટર મક્કમ રહ્યા રાજકોટઃ શ્રાવણ અને ભાદરવા મહિના દરમિયાન સૌરાષ્ટ્રમાં લોકમેળાની મોસમ ખીલી ઊઠતી હોય છે. જેમાં સાતમ-આઠમના પર્વમાં તો ગામેગામ લોકમેળા યોજાતા હોય છે. જેમાં રાજકોટનો લોકમેળો સૌથી મોટો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફી નિયમન કમીટીની રચના, 235 કોલેજોની ફી નક્કી કરાશે

ફી નિર્ધારણ કમિટીના ચેરમેન તરીકે કૂલપતિ રહેશે, FRCની પ્રથમ બેઠકમાં તમામ કોલેજો પાસેથી આવક અને ખર્ચનો રિપોર્ટ મંગાશે, ખાનગી અને ગ્રાન્ટેડ કોલેજોની ફી નક્કી કરાશે રાજકોટઃ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટના અમલીકરણ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી તેમજ ગ્રાન્ટેડ કોલેજોમાં ફીના માળખાના ગઠન માટે ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીના અધ્યસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૂલપતિ […]

રાજસ્થાનમાં માર્કેડેશ્વર મહાદેવના દર્શને ગયેલા ગુજરાતી પરિવારની કાર પર હુમલો

દર્શન કરીને પરત ફરતા પરિવારની કાર પર પથ્થરમારો કરાયો, પથ્થરમારામાં કારના કાચ તૂટી ગયા, કારમાં પ્રવાસ કરી રહેલી યુવતીને ઈજા અંબાજીઃ રાજસ્થાનના જાંબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવારની કાર પર અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો. અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કેંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ગભરાયેલો પરિવાર કારમાં […]

ભૂજના એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 15 પ્રવાસીઓનું બુકિંગ છતાં સીટ ન મળી

એર ઈન્ડિયા દ્વારા વૈકલ્પિક અન્ય વ્યવસ્થા ન કરાતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા, પ્રવાસીઓને બોર્ડિંગ પાસ ન અપાતા હોબાળો મચ્યો, ફ્લાઈટની કૂલ બેઠક કરતા વધારે બુકિંગ લેતા અવ્યવસ્થા સર્જાઈ ભુજઃ કચ્છના ભૂજ એરપોર્ટ પર મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પ્રવાસીઓનું બુકિંગ હોવા છતાયે બોર્ડિંગ પાસ ન અપાયા 15 પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. એર ઈન્ડિયાના સ્ટાફની બેદરકારીને લીધે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code