1. Home
  2. Tag "Samachar Samachar"

વીમા ધારકોને વધુ સારી સેવા પૂરી પાડવી જોઈએ અને દાવાઓને ઝડપી બનાવવા જોઈએઃ સરકાર

નવી દિલ્હીઃ નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ. નાગરાજુએ આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ફુગાવા અને વધતા પ્રીમિયમ ખર્ચ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વીમા કંપનીઓ અને હોસ્પિટલો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ, એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર ઇન ઇન્ડિયા (AHPI), મેક્સ હેલ્થકેર, ફોર્ટિસ હેલ્થકેર, એપોલો હોસ્પિટલ્સ અને ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સ્ટાર […]

રાજકોટના નવાગામમાં માતાએ બે માસુમ દીકરીઓ સાથે આપઘાત કર્યો

માતાએ પોતાની બે માસુમ દીકરીઓને ગળાટુપો આપ્યા બાદ આપઘાત કર્યો, સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ શરૂ, પોલીસે પતિ જયેશભાઈ સહિત સંબંધીઓના નિવેદનો લીધા રાજકોટઃ  શહેરના નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસુમ દીકરીઓને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની […]

વડોદરાના વરણામા ગામે 10 ફુટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયુ

મહાકાય મગર જોઈ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો, વન વિભાગની ટીમે મગરને પાંજરે પુરવા ભારે જહેમત ઉઠાવી, મગરના ગળામાં ગાળિયો નાખતા જ બેકાબુ બન્યો હતો, વડોદરાઃ શહેર અને જિલ્લામાં નદી-તળાવોમાં મગરોની વસતી વધતી જાય છે. વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરોનો વસવાટ છે. મગરો ક્યારે રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. ત્યારે શહેર નજીકના વરણામા ગામમાં […]

ચેન્નાઈ : ભારતીય વાયુસેનાનું ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટનો બચાવ

ચેન્નાઈ : ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટસ બેસિક ટ્રેનર વિમાન શુક્રવારે તામ્બરમ નજીક નિયમિત તાલીમ ઉડાન દરમ્યાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સદનસીબે પાયલટ સમયસર ઇજેક્ટ થઈ ગયો હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. વાયુસેનાએ જણાવ્યું કે આ ઉડાન સામાન્ય તાલીમ મિશનનો ભાગ હતી. ઘટના બાદ તરત જ રાહત અને સુરક્ષા ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, જ્યારે સ્થાનિક પ્રશાસને […]

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતના શ્રમિકો પરત ન ફરતા ઉત્પાદનને અસર

દિવાળી અને છઠ્ઠના પર્વમાં બિહાર ગયેલા શ્રમિકો હજુ પરત ફર્યા નથી, શ્રમિકોને પરત બોલાવવા ટિકિટ ભાડા પણ મોકલાઈ રહ્યા છે, ટેક્સટાઈલમાં 30%થી વધુ કામદારોની અછત, સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગો અનેક લોકોને રોજગારી આપે છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતના અનેક શ્રમિકો કામ કરી રહ્યા છે. દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોને લીધે બિહારના અનેક શ્રમિકો પોતાના માદરે વતન […]

અમદાવાદમાં છેલ્લા 9 મહિનામાં 250 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા

રોડ પર પૂરઝડપે વાહન ચલાવીને સ્ટંટ કરતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ, અકસ્માતમાં નિર્દોષ લોકોના મોત થતાં 110 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા, જોખમી અકસ્માતોને રોકવા RTO દ્વારા કરાતી કડક કાર્યવાહી અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકભંગના ગુનાઓ વધતા જાય છે. પૂરફાટ ઝડપે અને બેદરકારીથી વાહનો ચલાવવાને લીધે નિર્દોષ લોકોનો ભોગ લેવાય રહ્યો છે. ઉપરાત કેટલાક યુવા વાહનચાલકો રિલ બનાવવાના […]

મહિલાને સ્વપ્ન આવ્યા બાદ ઊંઘમાંથી સફાળી જાગીને તેના બે બાળકની હત્યા કરી

નવસારીના બીલીમોરાના દેવરસ ગામે બન્યો બનાવ, રાત્રે મહિલાને સ્વપ્ન આવ્યા બાદ મહિલાઓ રૌદ્રરૂપ ધારણ કર્યુ, પોલીસે મકાનનો દરવાજો તોડીને આત્મહત્યા કરે તે પહેલા મહિલાને પકડી લીધી નવસારીઃ જિલ્લાના બીલીમોરામાં ભરઊંઘમાં એક મહિલાને સ્વપ્નમાં કોઈ આદેશ થતાં સફાળી જાગેલી મહિલાએ તેના જ બે માસુમ બાળકોની ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેના સસરાને પણ મારવાનો પ્રયાસ […]

પ્રાકૃતિક ખેતી માનવ જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારી કૃષિ સંસ્કૃતિ સમાન છેઃ રાજ્યપાલ

રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે મહત્વની બેઠક યોજાઈ, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા કૃષિ મંત્રીની હિમાયત, પ્રાકૃતિક કૃષિ અન્વયે કામગીરીની વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ   ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ […]

વર્લ્ડ કપ જીત્યા પછી શેફાલી વર્માએ માનસા માતાના મંદિરમાં શીશ ઝુકાવ્યું

નવી દિલ્હીઃ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના અંતિમ બે મેચોમાં અચાનક ટીમમાં સામેલ થતાં જ ભારતીય ટીમને વિજય અપાવનારી શેફાલી વર્માએ ગુરુવારે પોતાના વતન કોટપૂતલી-બહોરોડ જિલ્લાના દહમી ગામમાં પહોંચીને કુલદેવી માનસા માતાના દરબારમાં પૂજા-અર્ચના કરી હતી. જીત બાદ મળેલો મેડલ પણ તેમણે માતાના ચરણોમાં સમર્પિત કર્યો અને 56 ભોગનો પ્રસાદ અર્પણ કર્યો હતો. શેફાલીએ જણાવ્યું કે […]

બિહાર ચૂંટણીમાં કોંગ્રેસે હારનું ઠીકરુ ચૂંટણીપંચ અને SIR ઉપર ફોડ્યું

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા 2025નાં પરિણામો અંતિમ તબક્કામાં છે અને વલણો મુજબ NDA ફરી સત્તા સ્થાપિત કરતી નજરે પડે છે, જ્યારે મહાગઠબંધનને ભારે ઝટકો લાગ્યો છે. આ વચ્ચે કોંગ્રેસે પોતાના નબળા પ્રદર્શન માટે ચૂંટણી પંચ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને જવાબદાર ગણાવી છે. બીજી તરફ એનડીએમાં જીતનો માહોલ છે અને આગામી સરકારને લઈને રણનીતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code