સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસમાં 8 લાખ શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન
અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાદામ સોમનાથ મહાદેવ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યાં હતા. પવિત્ર શ્રાવણ મહિનામાં આઠ લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યાં હતા. વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એટલું જ નહીં શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ના પડે તે માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. […]


