1. Home
  2. Tag "student"

કોરોના કાળઃ ઓનલાઈન એજ્યુકેશનથી બાળકોમાં ડીજીટલ આઈ સ્ટ્રેન બીમારીનો ખતરો વધ્યો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં હાલ સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં નથી આવતું. વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. બાળકો મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટરમાં સતત જોતા હોવાથી તેમની આંખોની રોશનીને અસર પડે છે. તેમજ આંખો સુકાવાની ફરિયાદો વધતા તબીબો પણ ચિંતામાં મુકાયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સતત લેપટોપ કે મોબાઈલ […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવી અનોખી સાયકલ

સૌર ઊર્જાથી ચાલતી સાયકલ ડિઝાઈન એકવાર ચાર્જ કર્યાં બાદ ચાલે છે 50 કિમી સુધી 50 કિમીના પ્રવાસનો ખર્ચ માત્ર રૂ. 1.50 બેંગ્લોરઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાને પગલે વાહન ચાલકોના ખિસ્સાને અસર પડી રહી છે. દરમિયાન તમિલનાડુમાં મદુરાઈ કોલેજના ધનુષ નામના એક વિદ્યાર્થીએ સૌર ઊર્જાથી ચાલતી ઈલેકટ્રીક સાઈકલ ડિઝાઈન કરી છે. સોલર પેનલની મદદથી સાઈકલ […]

ધોરણ 10માં બધા વિષયોમાં ઝીરો માર્ક છતા 100 વિદ્યાર્થીઓને પાસ કરવા પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં કોરાનાને લીધે ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પણ હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે ધો. 9ના માર્ક્સ તેમજ ધો 10ની આંતરીક પરીક્ષાના માર્કસ, વગેરેને આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 100 વિદ્યાર્થીઓ એવા છે, જેમણે એક પણ વિષયમાં કોઈ જ માર્ક મેળવ્યા વગર […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ તા. 3જી જુલાઈએ જાહેર થવાની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાને કારણે ધોરણ 10 અને 12માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાય પણ તમામ વિદ્યાર્થીઓને માર્ક્સ અપાશે. બોર્ડ પરિણામ તૈયાર કરવા માટે એક ફોર્મ્યુલા બનાવી છે. જેમાં ધોરણ 9માં મેળવેલા માર્કસ તેમજ ધોરણ 10ની પ્રિલિમ પરીક્ષા વગેરેમાં મેળવેલા માર્ક્સના આધારે પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે […]

વિદેશમાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓને કઈ વેક્સિન મુકવી તે અંગે મુંઝવણ

અમદાવાદઃ યુરોપિયન યુનિયને જાહેર કરેલી વેક્સિન પાસપોર્ટની ગાઇડલાઇન પ્રમાણે પ્રવાસ કરવા માટે ચાર વેક્સિનને માન્યતા અપાઈ છે, જેમાં કોવિશિલ્ડ કે કોવેક્સિનનો સમાવેશ કરાયો નથી. યુરોપિયન યુનિયનના નિર્ણયની અસર ગુજરાતના 18 હજાર વિદ્યાર્થીઓને થશે. યુરોપિયન યુનિયને ફાઇઝર, મોર્ડના, એસ્ટ્રાજેનિકા અને જોહ્નસન એન્ડ જોહ્નસનની વેક્સિનને માન્ય રાખી છે. આ નિર્ણયની સૌથી વધુ અસર વિદેશમાં અભ્યાસ કરવા જતા […]

વેક્સિન લીધી ન હોય તેવા વિદ્યાર્થીઓને ઓફલાઈન પરીક્ષામાં બેસવા દેવાશે કે કેમ ?

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની બાકી રહેલી પરીક્ષાઓ ઓફલાઈન લેવા મંજૂરી તો આપી છે પરંતુ સાથે સાથે કેટલાક નિયમો પણ જાહેર કર્યા છે, જેમાં સૌથી વધુ મહત્ત્વની બાબત એ છે કે પરીક્ષાનું આયોજન કરતા પહેલા તમામ યુનિવર્સિટીઓ અને કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓએ વેક્સિન લીધી […]

GTU ઈન્ક્યુબેટર્સના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ઈન્ટરનેશનલ લેવલે દ્રિતિય સ્થાન મળ્યું

અમદાવાદઃ ગ્લોબલ વોર્મિંગ એ સમગ્ર વિશ્વની પડકાર જનક સમસ્યા છે. વર્તમાન સમયમાં ભારત જેવા વિકાસશીલ દેશમાં ઔદ્યોગીકરણની જરૂરીયાત પણ એટલી જ છે. ઔદ્યોગીક એકમ અને ઘરગથ્થુ વપરાશથી ઉત્ત્તપન્ન થતાં વિવિધ પ્રકારના ધન, પ્રવાહી અને રાસાયણીક કચરાનો યોગ્ય નિકાલ થવો પણ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તેમાં વપરાયેલ પાણીનો પણ પુન:ઉપયોગ શક્ય બને તે અતિ […]

ધો.૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રક અને પ્રમાણપત્રનું વિતરણ જુલાઇની આખરમાં કરાશે

અમદાવાદઃ રાજ્ય સરકાર  દ્વારા  તાજેતરમાં ધોરણ 12 ની જાહેર પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ સરકાર દ્રારા ધોરણ 12ના નિયમિત વિધાર્થીઓના પરિણામ તૈયાર કરવા અંગેની નીતિ કરવા માટે શિક્ષણવિદોની સમિતિની રચના કરી હતી. આ સમિતિ દ્વારા ધોરણ  12ના પરિણામને લઈ બેઠકોનો દોર હાથ ધર્યા બાદ પોતાની ભલામણો સરકારને સુપરત કરી છે. […]

ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના એલ.સીમાં હવે માસ પ્રમોશન નહીં લખાય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો હતો. તેમજ ધો-10ના વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, શિક્ષણ વિભાગના આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે. જેથી વિવાદ વધુ ના વકરે તે માટે ધો-10ના વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશનને […]

ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના પ્રમાણપત્રમાં માસ પ્રમોશનનો કરાશે ઉલ્લેખ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. દરમિયાન ધો-10ના વિદ્યાર્થીઓના શાલા છોડ્યાના પ્રમાણપત્રમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીઓને આપવામાં આવ્યો છે. જેથી હવે ધો-10માં માસપ્રમોશન મેળવનારા વિદ્યાર્થીઓના એસલીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે સરકારે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા નહીં લેવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code