1. Home
  2. Tag "Taja Samachar"

જમ્મુ-કાશ્મીરમાંથી બીએસએફ કોન્સ્કેટબલ ભેદીં સંજોગોમાં થયો ગુમ, અંતે દિલ્હીથી મળ્યો

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક કોન્સ્ટેબલ, જે ગુમ થઈ ગયો હતો, તે હવે મળી આવ્યો છે. તે સત્તાવાર પરવાનગી વિના દિલ્હીમાં તેના ઘરે જતો હતો ત્યારે મળી આવ્યો હતો. BSF કાશ્મીરના જનસંપર્ક અધિકારી (PRO) એ માહિતી આપી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જવાન પોતાના સિનિયરને જાણ કર્યા વિના પાંથા ચોક સ્થિત […]

પહેલગામ હુમલાનો આતંકવાદી અફઘાની POK અને સુલેમાન લાહોરનો રહેવાસી, ભારતીય સેનાને મળ્યા મહત્વના પુરાવા

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવણીને લઈને પાકિસ્તાન અને લશ્કર-એ-તૈયબા પહેલાથી ઈન્કાર કરી રહ્યાં હતા. જો કેસ ઓપરેશન મહાદેવ દરમિયાન ઠાર મરાયેલા પહેલગામ હુમલાના 3 આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની હોવાના પુરાવા મળ્યાનું જાણવા મળે છે. એટલું જ નહીં 3 પૈકી એક આતંકવાદી હમજા અફઘાની ઉર્ફે બબીબ તારિકનો લશ્કર-એ-તૈયબાના હેડક્વાર્ટરમાં તાલીમ લેતો વીડિયો પણ સામે આવ્યાનું જાણવા […]

મુંબઈના ભાયખલામાં પોલીસે 3.46 કરોડ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ અને ચરસ જપ્ત કર્યું

મુંબઈના ભાયખલા વિસ્તારમાં ડ્રગ્સ સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ કારમાંથી 3.46 કરોડ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ અને હશીશ જપ્ત કર્યા છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ 24 વર્ષીય સાહિલ જુનૈદ અંસારી તરીકે થઈ છે, જે ભિવંડી (થાણે)નો રહેવાસી છે. પ્રાથમિક માહિતી મુજબ, […]

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં નામાંકન થશે

ચૂંટણી પંચે જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેથી, તેમના રાજીનામા બાદ આ પદ ખાલી પડી ગયું છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, 7 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી નામાંકન દાખલ કરવામાં આવશે. આ પછી, 9 […]

રાજસ્થાનના ભરતપુરમાં કમિશનરે પોતે ગટરમાં ઉતરીને સફાઈ કરી, લોકોએ તેમની પ્રશંસા કરી

રાજસ્થાનના ભરતપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રવણ કુમાર વિશ્નોઈ પાણી ભરાવાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બહાર ગયા હતા. આ દરમિયાન શ્રવણ કુમાર વિશ્નોઈએ પોતાના હાથે ગટરની અંદરથી પથ્થર અને પોલીથીનના ટુકડાઓ દૂર કર્યા. લોકો કમિશનર દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા કરી રહ્યા છે. ખરેખર, ભરતપુરમાં રાતથી જ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. શહેરની મોટાભાગની વસાહતો પાણીમાં […]

બળાત્કારના કેસમાં પૂર્વ સાંસદ પ્રજવલ રેવન્નાને કોર્ટે કસુરવાર ઠરાવ્યાં, શનિવારે સજાનો કરાશે આદેશ

બેંગ્લોરઃ હાસન જિલ્લાના હોલેનારસીપુરામાં એક ફાર્મહાઉસમાં નોકરાણી પર બળાત્કારના કેસમાં બેંગલુરુમાં વિશેષ અદાલત દ્વારા જેડીએસ પૂર્વ નેતા અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ પ્રજ્વલ રેવન્નાને દોષિત ઠેરવવામાં આવ્યો છે. હાસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ કોર્ટે ચુકાદો સંભળાવતા જ તેઓ કોર્ટમાં જ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા હતા. એફઆઈઆર નોંધાયાના 14 મહિના પછી જ આ ચુકાદો […]

લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જનરલ ઓફિસર આર્મી હેડક્વાર્ટરમાં ડિરેક્ટર જનરલ, ઓપરેશનલ લોજિસ્ટિક્સ અને સ્ટ્રેટેજિક મૂવમેન્ટ તરીકે સેવા આપી રહ્યા હતા. જનરલ ઓફિસરને ડિસેમ્બર 1987માં પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સીસ)ની ચોથી બટાલિયનમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેઓ લખનઉની લા માર્ટિનિયર કોલેજ, લખનઉ યુનિવર્સિટી અને પ્રતિષ્ઠિત ભારતીય લશ્કરી […]

કોલાકાતામાં ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી અભિનેત્રી ઝડપાઈ

નવી દિલ્હીઃ ભારતમાં ગેરકાયદે વરસાદ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન પશ્ચિમ બંગાળના કોલકાતામાંથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી એક્ટ્રેસની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી નકલી આધારકાર્ડ અને મતદાર કાર્ડ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. મહિલા પાસેથી બાંગ્લાદેશના પણ કેટલાક પુરાવા મળી આવ્યા હોવાનું […]

ચૂંટણી પંચે બિહારમાં ખાસ સઘન સુધારણા પ્રક્રિયા પછી પ્રથમ સુધારેલી મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કર્યો

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે શુક્રવારે બિહારમાં ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા પછી પ્રથમ સુધારેલી મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. ગુરુવારે બિહારના 38 જિલ્લા મેજિસ્ટ્રેટે 243 વિધાનસભા મતવિસ્તારોના 90,817 મતદાન મથકો માટે તૈયાર કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદીને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે શેર કરવાનું શરૂ કર્યું. ચૂંટણી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ સત્તાવાર […]

ગુજરાતઃ બે મહિનામાં એસટી બસની 24 લાખથી વધારે ટ્રીપમાં 9 કરોડ પ્રવાસીઓએ કરી મુસાફરી

ગાંધીનગરઃ કુદરતી આપદા જેમ કે ભારે વરસાદ પૂર જેવી પરિસ્થિતિઓમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ-GSRTCની બસ મુસાફરોને સમયસર અને સલામત રીતે પોતાના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે કટિબદ્ધ રહી છે. હાલ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં તા.1 જૂન 2025થી લઈને અત્યારસુધી એટલે કે, 30 જૂલાઈ 2025 સુધીમાં રાજ્યના 125 એસ.ટી ડેપોમાંથી 24 લાખથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code