તરણેતરનો સુપ્રસિદ્ધ લોકમેળો 6ઠ્ઠી સપ્ટેમ્બરથી યોજાશે
જિલ્લા કલેકટરે કરી જાહેરાત, મેળા દરમિયાન ગ્રામીણ ઓલમ્પિક અને પશુ હરિફાઈ યોજાશે, કલેકટરે મેળાની તૈયારીઓ અંગે કરી સમીક્ષા સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા મહિનાઓમાં અનેક સ્થળોએ લોકમેળાઓ યોજાતા હોય છે. જોકે વરસાદને લીધે ઘણા મેળાઓ આ વખતે યોજી શકાયા નથી. ઝાલાવાડનો સુપ્રસિદ્ધ અને ભાતીગળ મેળાથી ઓળખાતો તરણેતરનો લોકમેળો આ વખતે ન યોજવા ગ્રામ પંચાયતે ઠરાવ […]