1. Home
  2. Tag "TEACHERS"

રાજ્યમાં 7 જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશેઃ બ્રીજ કોર્ષ માટે શિક્ષકોને બાયસેગ દ્વારા ઓનલાઈન તાલીમ અપાશે

અમદાવાદઃ આગામી નવા શૈક્ષણિક સત્ર 2021 -22નો પ્રારંભ 7મી જુનથી થશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં પ્રથમ મહિનો જ્ઞાનસેતુ સાહિત્યનું અધ્યન કાર્ય અને બ્રીજ કોર્સ ક્લાસ રેડીનેશન અંતર્ગત કરવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.આ માટે શિક્ષકોને આગામી તારીખ 7 જૂનથી 9 જૂન દરમિયાન બાયસેગના માધ્યમથી વિશેષ તાલીમ આપવામાં આવશે. જેનું પ્રસારણ ગુજરાતી ચેનલ […]

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોની ભરતીઃ 1 જૂને ડ્રાઈવ થ્રૂ પદ્ધતિથી અપાશે નિમણૂક પત્રો

અમદાવાદઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા જ શિક્ષકોની ભરતી કરવાનું સરકારે નક્કી કર્યુ છે. જે અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2398 શિક્ષકોને નિમણૂક અપાશે. આ માટે 1 જૂનના રોજ શિક્ષકોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમો અપાશે. કોવિડ-19ના પગલે શિક્ષકોને ડ્રાઈવ થ્રૂ પદ્ધતિથી નિમણૂક હુકમ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. 1 જૂનના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી […]

અમદાવાદના મ્યુનિ. શાળાઓના શિક્ષકોને રેશનિંગના અનાજ વિતરણની કામગીરી સોંપવા સામે વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યનિ.કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓના શિક્ષકોને કોરોનાની કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરીનો શાળાના શિક્ષકોએ વિરોધ પણ કર્યો હતો. શિક્ષકોને કોવિડ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની નોંધણી થતા દર્દીઓના સગાઓને માહિતી આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં શિક્ષકોને કોરોના કાળમાં અલગ અલગ ડ્યુટી સોંપવામાં આવી હતી. ત્યારે આગામી સમય માટે વધુ એક […]

કોવિડની ઉત્તમ કામગીરીની શિક્ષકો પાસેથી માહિતી મંગાવી તેનું ડોક્યુમેન્ટેશન કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોવિડના કપરા કાળમાં દર્દીઓની સેવા માટે મેડિકલ ટીમની સાથોસાથ શિક્ષકોને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  જેમા શિક્ષકો ડ્યુટી સિવાયની પણ વિશિષ્ટ કામગીરી કરી રહ્યા છે. આવા શિક્ષકોની કોવિડને લગતી વિશિષ્ટ કામગીરીનું ડોક્યુમેન્ટેશન કરવાનો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા નિર્ણય લેવાયો છે. આ માટે શિક્ષકોએ 10 જૂન સુધીમાં જિલ્લાના નક્કી કરેલા સંકલન અધિકારીને પોતાની […]

રસી લેવા અને કોરોનાનું સંક્રમણ તોડવા શિક્ષકોએ અનોખું અભિયાન આદર્યુ

જૂનાગઢઃ શિક્ષકો બાળકોથી લઈને યુવાનોને શિક્ષણ આપવા ઉપરાંત સમાજ ઘડતર અને સામાજિક જાગૃતિ માટે પણ કાર્ય કરતા હોય છે. જિલ્લાના શિક્ષકોએ કોરોનાની રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ આણવી તેમજ કોરોનાની ચેઈન તોડવા માટે સોશ્યલ ડિસ્ટન્સ, વગેરે માટેનું અભિયાન આદર્યુ છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, લોકોમાં કોરોના અંગે જનજાગૃત્તિ માટે શિક્ષકોનો વેબીનાર […]

ગુજરાતમાં ઓનલાઈન-ઓફલાઈન એજ્યુકેશનથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મુઝવણમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલોમાં ધો-6થી 12ના વર્ગો ચાલી રહ્યાં છે. જો કે, કોરોનાના સંક્રમણના ડરના પગલે કેટલાક વાલીઓ હજુ સંતાનોને સ્કૂલ મોકલતા નથી. જેથી આવા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. આમ ઓનલાઈન અને ઓફલાઈન સમાંતર ધોરણે ભણાવવાનું શિક્ષકો મુશ્કેલ બન્યું હોવાનું જાણવા મળે છે. તેમજ શિક્ષકો ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓ પર પુરતુ ધ્યાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code