1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાન સાથેના તણાવને પગલે દેશના 24 એરપોર્ટ 14 મે સુધી બંધ રખાશે  
પાકિસ્તાન સાથેના તણાવને પગલે દેશના 24 એરપોર્ટ 14 મે સુધી બંધ રખાશે   

પાકિસ્તાન સાથેના તણાવને પગલે દેશના 24 એરપોર્ટ 14 મે સુધી બંધ રખાશે  

0
Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, કેન્દ્ર સરકારે દેશના 24 એરપોર્ટ 14 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અગાઉ નાગરીક ઉડ્ડયન મંત્રાલયે 10 મે સુધી એરપોર્ટ બંધ રાખવાની સૂચના આપી હતી. ગુરુવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી હતી કે 24 એરપોર્ટ 10 મે સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે. હવે તેની તારીખ લંબાવવામાં આવી છે.

ઘણી એરલાઇન્સે મુસાફરો માટે સલાહકાર જારી કરીને તેમને એરપોર્ટ બંધ થવા અને સલામતી પ્રોટોકોલ વિશે માહિતગાર રહેવા જણાવ્યું છે. અગાઉ, બધી એરલાઇન્સે કહ્યું હતું કે, કેન્દ્રની સૂચના મુજબ, મુસાફરોએ ફ્લાઇટ ઉપડવાના ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવું પડશે. ફ્લાઇટ પ્રસ્થાનના 75 મિનિટ પહેલા ચેક-ઇન બંધ થશે.

ઈન્ડિગોએ 10 મે સુધી શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધર્મશાલા, બિકાનેર, જોધપુર, કિશનગઢ અને રાજકોટની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર, લુધિયાણા, ભુંતર, કિશનગઢ, પટિયાલા, શિમલા, જેસલમેર, પઠાણકોટ અને અન્ય શહેરોના એરપોર્ટ 14 મે સુધી બંધ રહેશે.

દિલ્હીના IGI એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કડક સુરક્ષા પગલાંને કારણે ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ હતી. એક અહેવાલ મુજબ શુક્રવારે સવારે 5 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની વચ્ચે કુલ 66 સ્થાનિક ફ્લાઇટ્સ રવાના થવાની હતી તે તમામ રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય સ્થળોએથી આવતી 63 ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન વિદેશ જતી 5 ફ્લાઇટ્સ અને વિદેશથી ભારત આવતી 4 ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, દિલ્હી એરપોર્ટ પર બદલાતી એરસ્પેસ પરિસ્થિતિઓ અને સુરક્ષા પગલાંને કારણે કેટલાક ફ્લાઇટ શેડ્યૂલ અને સુરક્ષા પ્રક્રિયાના સમયને અસર થઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code