1. Home
  2. revoinews
  3. અભિનેત્રી જાન્હવી કપૂરે 50મી વાર તિરુપતિ બાલાજીના દર્શન કર્યા, ખુલ્લા પગે ઘૂંટણિયે બેસીને ચઢયા પગથિયા
અભિનેત્રી જાન્હવી કપૂરે 50મી વાર તિરુપતિ બાલાજીના દર્શન કર્યા, ખુલ્લા પગે ઘૂંટણિયે બેસીને ચઢયા પગથિયા

અભિનેત્રી જાન્હવી કપૂરે 50મી વાર તિરુપતિ બાલાજીના દર્શન કર્યા, ખુલ્લા પગે ઘૂંટણિયે બેસીને ચઢયા પગથિયા

0
Social Share

હૈદરાબાદ: બોલીવુડના અભિનેત્રી અને શ્રીદેવીના પુત્રી જાન્હવી કપૂરે તાજેતરમાં પોતાના રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા અને મિત્ર ઑરી સાતે તિરુપતિ બાલાજીના દર્શન કર્યા છે. આ આખી યાત્રાનો એક નાનકડો બ્લોગ પણ ઓરીએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર મૂક્યો છે.

વીડિયોની વચ્ચે જાન્હવી કપૂર પોતાના ફેન્સને કહી રહ્યા છે કે સૌએ આ મંદિરમાં આવીને વાઈબ્સ મહસૂસ કરવી જોઈએ. તેની સાથે જ તેઓ કહે છે કે ભગવાન સાથે મળવાનો હક કમાવવો જરૂરી છે. અમે તેને કમાવવાની કોશિશ કરી રહ્યા છીએ.

જાન્હવી કપૂરે કહ્યું છે કે તે 50મી વખત તિરુપતિ બાલાજી ગયા, જ્યારે શિખરે કહ્યુ છે કે તેઓ નવમી વખત દર્શ કરવા માટે જઈ રહ્યા છે. તો ઑરીએ પહેલીવાર મંદિરમાં ભગવાનના દર્શન કર્યા. આ યાત્રા દરમિયાન તમામ લોકો ભારતીય પરિધાનમાં જોવા મળ્યા હતા.

આખા બ્લોગમાં જાન્હવી કપૂરે સૂટ પહેર્યો હતો અને આખરમાં તેઓ દક્ષિણી પરિધાનમાં જોવા મળ્યા હતા. તો ઑરીએ દક્ષિણી ઢબની લુંગી પહેરી હતી. તે પારદર્શક હોવાને કારણે શોર્ટ્સ સ્પષ્ટ દેખાય છે. જેના કારણે શિખરે તેની ફ્લાઈટમાં ઘણી મજાક કરી.

મહત્વપૂર્ણ છે કે જાન્હવી કપૂરે 6 માર્ચને 27 વર્ષના થયા છે. આ અવસરને ખાસ બનાવવા માટે તે શિખર અને ઑરી સાથે તિરુપતિ બાલાજી ગયા હતા. તેઓ ઘૂંટણિયે બેસીને સીડીઓ ચઢયા. તેમણે આવું એઠલા માટે કર્યું, કારણ કે તેનાથી તેઓ આ આધ્યાત્મિક રૂપથી મંદિરની સાથે નિકટતા અનુભવે છે. આ યાત્રા દરમિયાન જાન્હવી કપૂર ભગવાન વેંકટેશના દર્શન માટે પણ ગયા હતા.

વર્ક ફ્રંટની વાત કરીએ, તો જાન્હવી કપૂર જલ્દી બડે મિયાં ઔર છોટે મિયાં ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ આગામી 11 એપ્રિલ, 2024ના રોજ રિલીઝ થવાની છે. આ સિવાય તેઓ દેવરામાં જોવા મળશે. તેમની રાજકુમાર રાવ સાથેની મિસ્ટર એન્ડ મિસેજ પણ આવવાની છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code