1. Home
  2. revoi editor

revoi editor

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ફરી તણાવ: સામ-સામે અંધાધૂંધ ફાયરિંગ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર એકવાર ફરી તણાવ વધ્યો છે. શુક્રવારની મોડી રાત્રે બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર ગોળીબાર થયો હતો. જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા નાજુક યુદ્ધવિરામ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બંને પક્ષો એકબીજા પર સંઘર્ષવિરામ તોડવાનો આરોપ લગાવી […]

ઈન્ડિગો સંક્ટઃ ભાડા વધારા મુદ્દે સરકાર આકરા પાણીએ, વધારે ભાડુ ન વસૂલવા કંપનીઓને તાકીદ

નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઇનના સંચાલન સંકટને કારણે કેટલીક એરલાઇન્સ દ્વારા મુસાફરો પાસેથી અસામાન્ય રીતે વધુ હવાઈ ભાડું વસૂલવામાં આવતું હોવાની ફરિયાદોને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગંભીરતાથી લીધી છે. કેન્દ્ર સરકારે આજે (શનિવારે) તમામ એરલાઇન્સને સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા છે કે, મુસાફરો પાસેથી નિયત મર્યાદા કરતાં વધુ ભાડું વસૂલવું નહીં. આ નિર્દેશોનું પાલન ન કરનાર એરલાઇન્સ સામે […]

Video: ભાજપ ઇતિહાસમાંથી નેહરુનું નામ ભૂંસી નાખવા માગે છેઃ સોનિયા ગાંધી

નવી દિલ્હી, 6 ડિસેમ્બર, 2025  Sonia Gandhi કોંગ્રેસના સાંસદ અને સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપની આગેવાની હેઠળની સરકારની આકરી ટીકા કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જવાહરલાલ નેહરુને બદનામ કરવાનો અને તેમના વારસાને નબળો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જવાહર ભવનમાં નેહરુ સેન્ટર ઈન્ડિયાના લોકાર્પણ પ્રસંગે બોલતા, તેમણે ચેતવણી આપી હતી કે ભારતના પ્રથમ […]

અમદાવાદ મનપાની મેગા ડ્રાઇવઃ પ્રદુષણ મામલે વિવિધ બાંધકામ સાઈટ ઉપર કરાઈ તપાસ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાયદાનું ઉલ્લંઘન કરનારા એકમો સામે બે મોરચે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દર્દીઓની સલામતી અને પર્યાવરણીય નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે AMCએ આ આકરા પગલાં લીધા છે. AMCના ટાઉન પ્લાનિંગ વિભાગે BU પરમિટ અને અન્ય જરૂરી દસ્તાવેજોના અભાવે શહેરની વધુ 13 હોસ્પિટલોને સીલ કરી દીધી છે. […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ 2 જિલ્લા અને 18 તાલુકા પંચાયતની અનામત બેઠકોનું રોટેશન જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં ટૂંક સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્રએ પાયાની તૈયારીઓ આરંભી દીધી છે. આ સંદર્ભમાં, રાજ્યના ચૂંટણી પંચ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં બે જિલ્લા પંચાયત અને તેની હેઠળ આવતી 18 તાલુકા પંચાયતમાં અનામત બેઠકોના રોટેશનની ઘોષણા કરવામાં આવી છે. તાજેતરમાં જ 27 ટકા OBC અનામત લાગુ થયા બાદ […]

ટ્રમ્પને નોબેલની ઈચ્છા હતી પણ FIFAએ શાંતિ પુરસ્કાર આપ્યો, સન્માન સમારોહમાં નરેન્દ્ર મોદીની ક્લિપ દર્શાવાઈ

નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઈચ્છા રાખનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આખરે શાંતિ પુરસ્કાર મળી ગયો છે. આ પુરસ્કાર તેમને ફૂટબોલની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફીફા (FIFA) દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિને સન્માનિત કરવા માટે વોશિંગ્ટનના કેનેડી સેન્ટરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રમ્પને તેમની સેવાઓ બદલ ગોલ્ડ ટ્રોફી અને મેડલથી સન્માનિત કરાયા હતા. ટ્રમ્પ લાંબા […]

મધ્યપ્રદેશના છતરપુરમાં માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત અને બે ઘાયલ

છતરપુર (ગુલગંજ): સતનાના નાગૌડથી શાહગઢ જતા સમયે પ્રજાપતિ પરિવારના સાત સભ્યોને લઈ જતી કાર ટ્રક સાથે અથડાઈ ગઈ. જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. બે લોકો ઘાયલ થયા છે, જેમાંથી બંનેની હાલત ગંભીર છે. બંનેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ ICUમાં છે. આ ઘટના છતરપુર જિલ્લાના ગુલગંજ અને ચોપરિયા […]

ઈન્ડિગો ફ્લાઈટ સંકટનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, પાંચમાં દિવસે પણ અનેક ફ્લાઈટો રદ કરાઈ

નવી દિલ્હી:  દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોની ફ્લાઇટ્સ મોટા પાયે રદ થવાના અને વિલંબિત થવાના મામલે હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના વકીલ નરેન્દ્ર મિશ્રાએ મુખ્ય ન્યાયાધીશ (CJI)ને પત્ર લખીને આ સમગ્ર સંકટ પર સ્વતઃ સંજ્ઞાન લેવા અને આ મામલે તુરંત હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. દરમિયાન આજે પણ ઈન્ડિગોની અનેક ફ્લાઈટ્સ […]

ફ્રાન્સના ગ્વાડેલુપમાં ક્રિસમસ કાર્યક્રમમાં અકસ્માત, 10 લોકોના મોત અને 19 ઘાયલ

નવી દિલ્હી: ફ્રાન્સના ગ્વાડેલુપના સેન્ટ-એનમાં ક્રિસમસ કાર્યક્રમમાં એક મોટો અકસ્માત થયો છે. એક વાહને ક્રિસમસ કાર્યક્રમની તૈયારી કરી રહેલા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે, જ્યારે 19 અન્ય લોકો ઘાયલ થયાના અહેવાલ છે. રેડિયો કારાઇબ્સ ઇન્ટરનેશનલ ગ્વાડેલુપે અહેવાલ આપ્યો છે કે ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર છે. આ ઘટના શોએલચર […]

ફ્લાઈટ સંકટ વચ્ચે રેલવે તંત્ર આવ્યું પ્રવાસીઓની વહારે, સ્ટેશિયલ ટ્રેન દોડાવાશે

નવી દિલ્હીઃ ઈન્ડિગો સહિતની અનેક એરલાઈન્સની મોટા પાયે ફ્લાઈટ્સ રદ થવાને કારણે દેશભરના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંકટની વચ્ચે, ભારતીય રેલવેએ તુરંત અસરકારક પગલાં લીધા છે અને વધારાની ટ્રેનો, સ્પેશિયલ સેવાઓ અને ઘણા રૂટ પર કોચ વધારવાનો નિર્ણય કર્યો છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં 37 ટ્રેનોમાં કુલ 116 વધારાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code