1. Home
  2. કૃષિ – ખેતી

કૃષિ – ખેતી

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરાશે

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2026:  કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.  મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના […]

ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરારથી ભારતીય નિકાસકારો માટે અમેરિકાના દ્વાર ખુલ્યા

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: ભારત અને અમેરિકાના આર્થિક સંબંધોમાં આજે એક નવો અધ્યાય જોડાયો છે. બંને દેશો વચ્ચે 500 અબજ ડોલર (આશરે રૂ. 45.29 લાખ કરોડ) ના વ્યાપારિક કરાર માટેના વચગાળાના માળખા પર સહમતી સધાઈ છે. આ સમજૂતી હેઠળ ભારતીય નિકાસકારોને અમેરિકાના 30 ટ્રિલિયન ડોલરના વિશાળ બજારમાં ‘મોસ્ટ પ્રિફર્ડ ડ્યુટી’ સાથે પ્રવેશ મળશે. કેન્દ્રીય […]

ભાવનગર પંથકમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

ભાવનગર, 6 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં સૌથી વધુ ડૂંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. જેમાં મહુવા અને તળાજા તાલુકામાં આ વર્ષે પણ ડૂંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. પણ ખેડૂતોને પુરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.  ભાવનગર શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં એકાએક ડુંગળીના ભાવમાં કડાકો થતા ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રડવાની નોબત આવી […]

વાવ-થરાદના સવપુરા માઈનોર કેનાલમાં કચરો ભરાતા ખેડૂતોએ જાતે જ કેનાલ સાફ કરી

થરાદ, 5 ફેબ્રુઆરી 2026: વાવ – થરાદ જિલ્લાના સવપુરા-વાછરડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં છેલ્લા એક મહિનાથી પૂરતું પાણી મળતું નથી. કેનાલમાં કચરો ભરાઈ ગયો હોવાથી સાફ કરાવવા માટે ખેડૂતોએ રજુઆતો કરી હતી. છતાંયે કોઈ પગલાં ન લેવાતા ખેડૂતોએ સ્વયંભૂ શ્રમદાનનો નિર્ણય લઈને જાતે જ કેનાલની સાફ સફાઈ કરી હતી. થરાદ-વાવ જિલ્લાના સવપુરા-વાછરડા ગામના ખેડૂતોને કેનાલમાંથી પૂરતું પાણી […]

સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

દર વર્ષ કરતાં ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલા કરાશે: રાજ્યમાં છેલ્લા ૮ વર્ષમાં ૧૩,૯૯૪ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થયો ગાંધીનગર, 4 ફેબ્રુઆરી, 2026 – Sujalam Sufalam Jal Abhiyan સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો આગામી ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક અંગે વિગતો આપતા […]

આસામના પ્રતિનિધિમંડળે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની મુલાકાત લીધી

બનાસકાંઠા, 3 ફેબ્રુઆરી, 2026 – Banas dairy ગુજરાત વિધાનસભા અને આસામ વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આયોજિત “Youth Immersion Programme (3rd Edition 2026)” અંતર્ગત આસામના ૨૯ સભ્યોના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. આસામની ગુવાહાટી યુનિવર્સિટી, કોટન યુનિવર્સિટી અને બોડોલેન્ડ યુનિવર્સિટીના ૨૪ વિદ્યાર્થીઓ અને પાંચ પ્રતિનિધિઓએ પાલનપુર સ્થિત એશિયાની જીવાદોરી સમાન બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની […]

બટાકાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોએ સરકાર પાસે સબસિડીની કરી માગ

પાલનપુર, 29 જાન્યુઆરી 2026:  જગતનો તાત કહેવાતા ખેડૂતો રાત-દિવસ મહેનત કરીને કૃષિપાક તૈયાર કરે છે. પણ ખેડૂતોને પુરતા ભાવ મળતા નથી. પણ ખેડૂતો પાસેથી ઉપજ ખરીદી લીધા બાદ વેપારીઓ મોંઘા ભાવે ગ્રાહકોને વેચાણ કરતા હોય છે. બનાસકાંઠામાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. હાલ બટાકાના ભાવમાં અચાનક થયેલા મોટા ઘટાડાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. […]

કૃષિ મંત્રાલયે તમિલનાડુમાં FPOs ને મજબૂત કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: તમિલનાડુમાં ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs)ને મજબૂત કરવા માટે, તેમની કામગીરીની સમીક્ષા કરવા અને સ્કેલ અને પહોંચમાં સુધારો કરવાના રસ્તાઓ સૂચવવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ પહેલ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના હસ્તક્ષેપને અનુસરે છે, જેમણે તમિલનાડુના ઇરોડની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન […]

કપિલ દેવ, શ્રીધર વેમ્બુ, અરુણ ગોવિલ સહિત મહાનુભાવો આવશે ગુજરાત

૧૩મી જાન્યુઆરીથી ત્રણ દિવસ હણોલ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો ભાવનગર, 10 જાન્યુઆરી, 2026 – Kapil Dev, Sriram Vembu, Arun Govil પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-૨૦૨૬’ ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશ અને રાજ્યના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો […]

ચોખાના ઉત્પાદનમાં ચીનને પછાડી ભારત બન્યું નંબર-1

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: કૃષિ ક્ષેત્રે ભારત માટે આજે ગર્વ લેવા જેવો દિવસ છે. ખાદ્ય સુરક્ષાના મામલે ભારતે એક મોટી છલાંગ લગાવી છે. પાડોશી દેશ ચીનને પાછળ છોડીને ભારત હવે વિશ્વમાં ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બની ગયો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઐતિહાસિક સિદ્ધિની જાહેરાત કરતા જણાવ્યું કે, ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code