1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ઓપરેશન સિંદૂર એ અંત નથી, પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈની માત્ર શરૂઆત: ભારતીય સેના

જયપુર, 7 મે 2026: ‘ઓપરેશન સિંદૂર’ના આજે (7 મે) એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય સેનાએ જયપુરમાં એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રસંગે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ દુશ્મન દેશને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર એ અંત નથી, પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈની માત્ર શરૂઆત છે.” તેમણે ઉમેર્યું કે આ ઓપરેશન […]

ઓપરેશન સિંદૂર એ રાષ્ટ્રીય સંકલ્પ અને સજ્જતાનું એક સશક્ત પ્રતીકઃ રાજનાથસિંહ

નવી દિલ્હી, 7 મે 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ની વર્ષગાંઠ પર ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય શૌર્યને યાદ કર્યું છે. તેમણે જણાવ્યું કે સેનાના સાહસ અને સમર્પણને કારણે દેશની સુરક્ષા અભેદ્ય બની છે. ‘ઓપરેશન સિંદૂર’ એ રાષ્ટ્રીય સંકલ્પ અને સજ્જતાનું એક સશક્ત પ્રતીક છે. ગુરુવારે(7 મે) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર રક્ષા મંત્રી રાજનાથ […]

‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ: ભારતીય સેનાએ વીડિયો શેર કર્યો

નવી દિલ્હી, 7 મે 2026: ભારત આજે(7 મે) ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ એક એવી નિર્ણાયક સૈન્ય કાર્યવાહી હતી, જે ભારતીય સેનાએ ગત વર્ષે આજના દિવસે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદીઓ અને તેમના સુરક્ષિત ઠેકાણાઓ વિરુદ્ધ હાથ ધરી હતી. આ સૈન્ય અભિયાન 22 એપ્રિલના રોજ થયેલા ભયાનક પહેલગામ આતંકવાદી […]

ભારતીય સેનાના તોપખાનામાં સ્વદેશી શક્તિનો સંચાર: 155mm ગનથી સરહદો થશે મજબુત

નવી દિલ્હી, 6 મે 2026: ભારતીય સેના પોતાની તોપખાના (આર્ટિલરી) શક્તિને અત્યાધુનિક બનાવવા માટે મોટા પાયે અભિયાન ચલાવી રહી છે. ‘ફીલ્ડ આર્ટિલરી રેશનલાઈઝેશન પ્લાન’ હેઠળ જૂની તોપોને હટાવીને નવી, લાંબી દૂરીની અને ઝડપી તૈનાતી ક્ષમતા ધરાવતી 155 મીમીની સ્વદેશી તોપો સામેલ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પણ નવી ઊંચાઈએ લઈ જઈ […]

આતંકવાદ સામેના સંઘર્ષમાં વિયેતનામ ભારતની પડખે ઊભું રહ્યું છેઃ પીએમ મોદી

નવી દિલ્હી, 6 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા બર્બર આતંકી હુમલાની સખત નિંદા કરવા અને મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા બદલ વિયેતનામનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. હૈદરાબાદ હાઉસ ખાતે આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સુશાસન, વિકાસ અને સમાન સાંસ્કૃતિક મૂલ્યોને દ્વિપક્ષીય સંબંધોનો મુખ્ય આધાર ગણાવ્યો હતો.રાષ્ટ્રપતિ તો લામની બોધગયાથી […]

સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષમતા વધારવા માટે UIDAI અને NFSU વચ્ચે સમજૂતી

સાયબર સિક્યોરિટી ઓડિટ, ફોરેન્સિક સંશોધન અને ક્ષમતા નિર્માણ સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ નવી દિલ્હી, 5 મે, 2026 – સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષમતા વધારવા માટે UIDAI અને NFSU વચ્ચે એક સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) એ ડિજિટલ ફોરેન્સિક્સ, સાયબર સિક્યોરિટી અને […]

ભાવિ યુદ્ધો કેવી રીતે લડાશે તે આજે પ્રયોગશાળાઓમાં નક્કી થઈ રહ્યું છે: રાજનાથસિંહ

નવી દિલ્હી, 4 મે 2026: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટેકનોલોજીકલ ક્રાંતિના વર્તમાન યુગમાં ભાવિ-તૈયાર રહેવા માટે સંશોધન પર સતત ધ્યાન કેન્દ્રિત કરવા અને ‘સરપ્રાઈઝ એલિમેન્ટ’ (આશ્ચર્યનું તત્વ) કેળવવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો છે. તેઓ મે 04, 2026ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ભારતીય સેનાની ઉત્તરી અને મધ્ય કમાન્ડ તથા સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ દ્વારા […]

ભારત વિશ્વ સ્તરે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ ટેરરિઝમ માટે જાણીતુઃ રાજનાથસિંહ

નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: “ઓપરેશન સિંદૂરે વિશ્વને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત હવે તેની ધરતી પર થતા આતંકવાદી હુમલાઓ વખતે માત્ર રાજદ્વારી નિવેદનો જારી કરવાની જૂની માનસિકતામાં બંધાયેલું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે નિર્ણાયક કાર્યવાહી દ્વારા તેની અડગ પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરીને માત્ર ઇરાદા અને રેટરિકથી આગળ વધીને કાર્ય કર્યું છે,” તેમ […]

નવી દિલ્હીમાં રાજનાથસિંહ અને ઈટાલીના રક્ષામંત્રી વચ્ચે દ્વીપક્ષીય મંત્રણા યોજાઈ

નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: રક્ષા મંત્રી રાજનાથ સિંહે 30 એપ્રિલ, 2026ના રોજ નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે ઈટાલીના સંરક્ષણ મંત્રી ગુઈડો ક્રોસેટ્ટો સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને મંત્રીઓએ પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત-ઈટાલી વ્યૂહાત્મક ભાગીદારી શાંતિ, સ્થિરતા, સ્વતંત્રતા અને પરસ્પર આદરના સમાન મૂલ્યો પર આધારિત છે. Happy to have welcomed my Italian counterpart […]

ઓપરેશન સિંદૂર: માત્ર 22 મિનિટમાં આતંકીઓનું કમાન્ડ નેટવર્ક તબાહ કરાયું હતું

નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: ભારતીય સેનાએ સરહદ પાર આતંકવાદ વિરુદ્ધ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ શેર કરીને સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ ની ભવ્ય સફળતાની જાહેરાત કરી છે. સેનાના દાવા મુજબ, આ ઓપરેશને માત્ર 22 મિનિટની અંદર આતંકવાદીઓના કમાન્ડ સ્ટ્રક્ચરને મૂળમાંથી હચમચાવી દીધું છે. ભારતીય સેનાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code