1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાની આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ: ભારતીય સેનાનું ફાયરિંગ

નવી દિલ્હી, 4 માર્ચ 2026 : સીમા પારથી આતંકવાદી ગતિવિધિઓ વધારવાના પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને ભારતીય સેનાએ ફરી એકવાર ધૂળ ચટાડી છે. મંગળવારે વહેલી સવારે રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર ઘૂસણખોરી કરી રહેલા શંકાસ્પદ આતંકીઓ પર સેનાએ આકરો પ્રહાર કરી તેમને ભગાડી મૂક્યા હતા. હાલ સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સત્તાવાર […]

પહેલગામ હુમલાના કેસમાં ગો-પ્રો કેમેરાનો ભેદ ઉકેલવા એનઆઈએ ચીન પાસે માંગશે મદદ

નવી દિલ્હી, 3 માર્ચ 2026: ગત વર્ષે 22એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હવે ચીન તરફ નજર દોડાવી છે. આ હુમલા પૂર્વે આતંકીઓ દ્વારા કરવામાં આવેલી રેકીમાં વપરાયેલા હાઈ-ટેક ‘ગો-પ્રો હીરો 12’ કેમેરાના ખરીદનાર અને તેના અંતિમ વપરાશકર્તાની વિગતો મેળવવા માટે જમ્મુની વિશેષ અદાલતે એનઆઈએને ચીન પાસેથી […]

રશિયા પાસેથી ભારત વધુ 5 S-400 સુદર્શન સ્ક્વોડ્રન ખરીદશે, ચીન અને પાકિસ્તાન સરહદે તૈનાત કરાશે

નવી દિલ્હી, 3 માર્ચ 2026: વૈશ્વિક સ્તરે ચીની એર ડિફેન્સ સિસ્ટમ્સ નિષ્ફળ સાબિત થઈ રહી છે, ત્યારે ભારત પોતાની સંરક્ષણ ક્ષમતા વધારવા માટે રશિયા પાસેથી એસ-400 સુદર્શન એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના વધુ પાંચ સ્ક્વોડ્રન ખરીદવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન આ સિસ્ટમે પાકિસ્તાની વિમાનોને તોડી પાડીને પોતાની ઘાતક ક્ષમતા […]

જમ્મુ સરહદે જૈશના આતંકીઓની ઘૂસણખોરીનું કાવતરું, સુરક્ષાદળો એલર્ટ

નવી દિલ્હી, 3 માર્ચ 2026: પાકિસ્તાન જમ્મુ ડિવિઝનમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકી જૂથોને ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં હોવાના ચોંકાવનારા અહેવાલ સાંપડ્યા છે. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ બાદ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ‘હાઈ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. સરહદ પર બીએસએફ અને સેના દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં કિશ્તવાડમાં ‘ઈઝરાયેલ ગ્રુપ’ના […]

ગુજરાતમાં 5.5 લાખ કિશોરીઓને અપાશે સર્વાઈકલ કેન્સર વિરોધી રસી

ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2026: દેશની ભાવિ પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાના ઉમદા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા એક ઐતિહાસિક રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 14 થી 15 વર્ષની વયની કિશોરીઓને જીવલેણ સર્વાઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) થી બચાવવા માટે હવે સમગ્ર દેશમાં વિનામૂલ્યે રસી આપવાનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ થયો છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ આ રસીકરણ ઝુંબેશનો […]

ફાઈટર હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ

જેસલમેર, 27 ફેબ્રુઆરી 2026: ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાના પ્રચંડ યુદ્ધાભ્યાસ ‘વાયુશક્તિ-2026’ના સાક્ષી બનવા પહોંચેલા રાષ્ટ્રપતિએ સ્વદેશી બનાવટના હળવા લડાકુ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ માં વિશેષ ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ આ અત્યાધુનિક હેલિકોપ્ટરમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ […]

પીએમ મોદીએ ઈઝરાયેલની સંસદ કનેસેટમાં 1971ના યુદ્ધના હીરો જનરલ જેકબને કર્યા યાદ

તેલઅવીવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બે દિવસીય ઈઝરાયેલ મુલાકાત દરમિયાન ઈઝરાયેલની સંસદ ‘કનેસેટ’ ને સંબોધિત કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. પીએમ મોદી ઈઝરાયેલની સંસદમાં વક્તવ્ય આપનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. આ ઐતિહાસિક સંબોધનમાં તેમણે ભારત અને ઈઝરાયેલના ગાઢ સંબંધોની સાથે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના મહાનાયક લેફ્ટનન્ટ જનરલ જે.એફ.આર. જેકબનો વિશેષ ઉલ્લેખ કરીને ભાવુક યાદો […]

મણિપુરઃ મ્યાનમાર સરહદ પાસેથી 5 ઉગ્રવાદીઓ ઝડપાયાં, હથિયારોનો જથ્થો જપ્ત કરાયો

ઇમ્ફાલ, 25 ફેબ્રુઆરી 2026: મણિપુરમાં સુરક્ષાદળોએ અલગ-અલગ સઘન અભિયાનો ચલાવીને વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મણિપુર પોલીસે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેંગનૌપાલ જિલ્લામાં મ્યાનમાર સરહદ પાસે આવેલા યાંગૌબુંગ ગામ નજીક સુરક્ષાદળોએ મોટું […]

જમ્મુ-કાશ્મીરમાં 85 પાકિસ્તાની આતંકી છુપાયેલા હોવાનો ઘટસ્ફોટ, ત્રાસવાદીઓના ઠેકાણા ઉપર મોર્ટારથી કરાશે હુમલો

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં છુપાયેલા પાકિસ્તાની આતંકીઓનો સફાયો કરવા માટે ભારતીય સુરક્ષાદળોએ નવી અને આક્રમક રણનીતિ તૈયાર કરી છે. હવે સુરક્ષાદળો આતંકીઓના બહાર આવવાની રાહ જોશે નહીં, પરંતુ તેમના ગુપ્ત ઠેકાણાઓ પર જ તેમનો ખાતમો બોલાવશે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં અમેરિકન M-4 રાઇફલ અને ઘાતક સ્ટીલની ગોળીઓથી સજ્જ લગભગ ’85’ પાકિસ્તાની આતંકીઓ છુપાયેલા છે. આ […]

કિશ્તવાડ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાની નીકળ્યા

શ્રીનગર, 24 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છતરુ વિસ્તારમાં રવિવારે ભારતીય સેના સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા જેશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુપ્તચર એજન્સીઓના હાથમાં લાગેલી એક્સક્લુઝિવ વિગતો મુજબ, માર્યા ગયેલા આતંકીઓ કાશ્મીરી હોવાનો દાવો કરનાર પાકિસ્તાન અને તેની એજન્સી ISIનો પ્રોપેગેન્ડા ફરી એકવાર ધ્વસ્ત થયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code