1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

સુરક્ષા પડકારો સામે વાસ્તવિક સમયની તૈયારી જરૂરી : રાજનાથ સિંહ

નવી દિલ્હી : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આંતરિક તેમજ બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે દળોને વાસ્તવિક સમયની તૈયારી રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં આજે નવી દિલ્હીમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોએ બહુપરીમાણીય જોખમો માટે હંમેશા સજ્જ રહેવું જોઈએ. રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે આજના સમયમાં પડકારો વધુ […]

છ દાયકાની સેવા બાદ મિગ-21ને વિદાય, ચંદીગઢમાં ભારતીય વાયુસેનાનો ઐતિહાસિક ક્ષણ

ચંદીગઢ : ભારતીય વાયુસેનાએ આજે દેશની રક્ષા ઇતિહાસનો એક અગત્યનો અધ્યાય પૂર્ણ કર્યો છે. લગભગ છ દાયકા સુધી આકાશમાં ગર્જના કરનાર મિગ-21 ફાઇટર જેટને ચંદીગઢમાં સત્તાવાર રીતે સેવાનિવૃત્ત કરવામાં આવ્યું છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ઐતિહાસિક વિમાનને વિદાય અપાઈ હતી. એર ચીફ માર્શલ એપી સિંહે ‘બાદલ-3’ સ્ક્વોડ્રન સાથે મિગ-21ની છેલ્લી […]

ભારતીય વાયુસેનાને મળશે 97 નવા તેજસ યુદ્ધ વિમાન

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેનાને મજબૂત બનાવવા માટે મોટું પગલું ભર્યું છે. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે 97 તેજસ એમકે-૧એ યુદ્ધ વિમાનની ખરીદી માટે 62370 કરોડ રૂપિયાનો ભવ્ય કરાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટી (CCS)એ ગયા મહિને આ ખરીદી માટે મંજૂરી આપી હતી. આ HAL સાથેનો બીજો મોટો […]

ભારતે રેલ-મોબાઈલ લૉન્ચરથી અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: ભારતીય રક્ષાશક્તિને વધુ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ આકાશપંથિકા વિકાસ થયો છે. દેશમાં પહેલીવાર રેલ-મોબાઈલ લૉન્ચર સિસ્ટમ દ્વારા અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સફળતા પછી, હવે ભારતને શ્રીહરિકોટા લૉન્ચિંગ સુવિધા પર આધાર રાખવાની જરૂર નહીં રહેશે. મિસાઇલને ચાલુ ટ્રેન પર રાખીને કોઈપણ સ્થળેથી લોન્ચ કરી શકાય છે. અગ્નિ-પ્રાઇમ મિસાઇલ મધ્યમ અંતરની નવી […]

ભારતીય વાયુસેના સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં તેજી, અમેરિકાની GE કંપની પાસેથી ખરીદશે એન્જિન

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ (IAF) સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં ઝડપ લાવવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અત્યાર સુધી ચાલતી લાંબી પ્રક્રિયાને બાયબાય કહી હવે વાયુસેના તેજસ ફાઇટર જેટના એન્જિન ખરીદીમાં વિલંબ નહીં કરે. ભારતે ફાઇટર જેટ માટે ઓર્ડર આપ્યા બાદથી જ પાકિસ્તાન અને ચીનની ચિંતા વધી ગઈ છે. પહેલાં માનવામાં આવતું હતું કે અમેરિકાથી એન્જિન આવવામાં […]

‘ઓપરેશન સિંદૂર’એ દુનિયાને દેખાડી ભારતીય સેનાની શક્તિ : CDS અનિલ ચૌહાણ

નવી દિલ્હી : ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન સમગ્ર દુનિયા સામે કર્યું. આ મિશન સંપૂર્ણ સફળ રહ્યું અને તેની ચર્ચા વિશ્વસ્તરે થઈ. આ કાર્યવાહીથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું. જોકે, લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે આ ઓપરેશન ખાસ કરીને રાત્રે 1.30 વાગ્યે જ કેમ હાથ ધરવામાં આવ્યું? આનો જવાબ ચીફ ઓફ […]

પડોશી દેશો સાથેના સંબંધો મામલે ભારતનું ભાગ્ય સારું નથી : રક્ષામંત્રી રાજનાથસિંહ

નવી દિલ્હી : દેશની સુરક્ષા માત્ર સરહદે લડાયેલા યુદ્ધોથી નક્કી થતી નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રના સંકલ્પ અને એકતાથી નક્કી થાય છે, એમ રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું. 1965ના ભારત-પાક યુદ્ધના દિગ્ગજ જવાનો સાથેની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “ભારત પડોશી દેશો સાથેના સંબંધોમાં ભાગ્યશાળી રહ્યું નથી, પરંતુ અમે કદી તેને નિયતિ માની નથી. […]

ભારતની સૌથી મોટી રક્ષા ડીલની તૈયારી : વાયુસેનાને મળશે 114 ‘મેક ઈન ઈન્ડિયા’ રાફેલ

નવી દિલ્હીઃ ભારત સરકાર રક્ષા ક્ષેત્રની અત્યારસુધીની સૌથી મોટી ડીલ માટે તૈયારી કરી રહી છે. રક્ષા મંત્રાલયને ભારતીય વાયુસેનાથી 114 ‘મેક ઈન ઈન્ડિયા’ રાફેલ લડાકૂ વિમાનોની ખરીદીનો પ્રસ્તાવ મળ્યો છે. આ સોદાની કિંમત બે લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. ખાસ વાત એ છે કે આ વિમાનોનું ઉત્પાદન ફ્રાન્સની ડસૉ એવિએશન કંપની કરશે, પરંતુ […]

ભારતીય એરોસ્પેસ ઈતિહાસમાં નવો અધ્યાય ઉમેરાશે, તેજસ પર સ્વદેશી કાવેરી એન્જિનનું પરીક્ષણ થશે

નવી દિલ્હી : ભારત ટૂંક સમયમાં એરોસ્પેસ ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે. DRDOના સૂત્રો મુજબ સ્વદેશી બનાવેલ કાવેરી એન્જિનને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ પર પરીક્ષણ માટે લગાવવામાં આવશે. આ પહેલીવાર હશે જ્યારે દેશે પોતે વિકસાવેલ એન્જિન કોઈ લડાકૂ વિમાન પર ચકાસવામાં આવશે. આ પ્રોજેક્ટ આગળ વધારવા માટે DRDO, HAL (હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ), […]

ભારતીય વાયુસેનાનું ઐતિહાસિક મિગ-21 બાયસન 26 સપ્ટેમ્બરે ભરશે અંતિમ ઉડાન

નવી દિલ્હીઃ  ભારતીય વાયુસેનાનું સૌથી જૂનું અને ગૌરવશાળી લડાકુ વિમાન મિગ-21 બાયસન હવે ઇતિહાસ બનવા જઈ રહ્યું છે. આવતી 26 સપ્ટેમ્બરે ચંદીગઢ એરબેસ પરથી આ વિમાન તેની અંતિમ ઉડાન ભરશે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે વાયુસેનાએ વિશેષ આયોજન કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વિદાય સમારોહમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ વાયુસેનાના અનેક નિવૃત્ત પાઇલટ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code