1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

અસદુદ્દીન ઓવૈસીએ લાલુ-તેજસ્વીનું ટેન્શન વધાર્યું, AIMIMનું બિહારની 11 બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન

પટના: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ બિહારની 11 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેનાથી લાલુપ્રસાદ અને તેજસ્વી યાદવની પાર્ટી આરજેડી સહીત આખા મહાગઠબંધનની ચિંતા વધવાની છે. ઓવૈસીની પાર્ટી બિહારની 40 લોકસભા બેઠકોમાંથી કિશનગંજ, અરરરિયા, કટિહાર, પૂર્ણિયા સહીતની 11 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારશે. રાજ્યના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો ધરાવતા મતક્ષેત્રોમાં એવૈસી ગત કેટલાક […]

નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિયુક્તિ થાય કે નહીં, સુપ્રીમ કોર્ટ 15 માર્ચે કરશે સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિયુક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા પર સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટે મામલા પર સુનાવણી માટે 15 માર્ચની તારીખ નક્કી કરી છે. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચમાં ખાલી પડેલી ચૂંટણી કમિશનરની બે જગ્યાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બેઠક યોજાવાની છે. સુપ્રીમ કોર્ટે […]

કેપ્ટન અમરિન્દરસિંહના પત્ની ભાજપમાં થશે સામેલ, પટિયાલાથી લડશે ચૂંટણી

ચંદીગઢ: ભાજપના નેતા અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહના પત્ની પરનીત કૌર ગુરુવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. તેમના પુત્રી જય ઈંદર કૌરે મંગળવારે આ વાતના સંકેત આપ્યા હતા. તેમને જ્યારે લોકસભા ચૂંટણી લડવાને લઈને સવાલ પુછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યુ કે હું નહીં, મારા માતા પરનીત કૌર પટિયાલા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. તેઓ […]

ભાજપમાં સીએમ બદલવાનો સિલસિલો, ત્રિવેન્દ્રસિંહથી લઈ ખટ્ટર સુધી 6ને બદલ્યા

નવી દિલ્હી: ભારતીચ જનતા પાર્ટીએ ફરી એકવાર મુખ્યમંત્રી બદલ્યા છે. આ વખતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને હટાવીને તેમના સ્થાને નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપે હરિયાણાના મુખ્યમંત્રીને બદલીને રાજકીય ફાયદો પ્રાપ્ત કરવાનો ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો છે. પહેલા પણ આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા છે અને હજી સુધી તેનો ફાયદો પણ મળ્યો […]

હરિયાણામાં ગુજરાતની તર્જ પર બિછાવવામાં આવી છે રાજકીય શતરંજ, ભાજપને શું થશે મોટો ફાયદો?

નવી દિલ્હી: હરિયાણામાં મોટી રાજકીય સર્જરી કરવામાં આવી છે. આ પોલિટિલ સર્જરી ભારતીય જનતા પાર્ટીના વ્યૂહરચનાકારોએ કરી છે અને તેનાથી ઘણાં રાજકીય નિશાન સાધ્યા છે. નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવીને પછાત વર્ગોને સાધવાની કોશિશ કરી છે. જેનાથી હરિયાણામાં રાજકીય સમીકરણો એકદમ બદલાય ગયા છે. તેના પછી ત્યાં મુકાબલો જાટ વર્સિસ જાટનો થઈ જશે. ગુજરાતની તર્જ પર […]

ખટ્ટરના નિકટવર્તી નાયબસિંહ સૈની બનશે હરિયાણાના નવા સીએમ, જાણો તેમની રાજકીય સફર

ચંદીગઢ: નાયબસિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બનશે. નાયબ સૈની 25 જાન્યુઆરી, 1970ના રોજ અંબાલાના ગામ મિર્જાપુર માજરામાં સૈની પરિવારમાં થયો હતો. તેઓ બીએ અને એલએલબી છે. સૈની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે. તેમણે સંગઠનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. તેઓ 2002માં યુવા મોરચા ભાજપ અંબાલાથી જિલ્લા મંત્રી બન્યા હતા. […]

ભારતને તોડવાનો પ્રોજેક્ટ હજીપણ ચાલુ, તમિલનાડુના રાજ્યપાલે જાણો શા માટે ઉચ્ચારી આ વાત?

ચેન્નઈ: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ કહ્યુ છે કે ભારતને તોડવાનો પ્રોજેક્ટ હજીપણ ચાલી રહ્યો છે. તેમણે કહ્યુ છે કે કેટલાક લોકો તો ભારતને એક દેશ માનવાથી પણ ઈન્કાર કરે છે. રાજ્યપાલના આ નિવેદનને ડીએમકેના નેતા એ. રાજાના એ નિવેદનનો જવાબ માનવામાં આવે છે, જેમાં એ. રાજાએ ભારતને એક દેશ માનવાથી જ ઈન્કાર કર્યો હતો […]

NRC માટે અરજી નહીં કરનારને નાગરિકતા મળશે તો રાજીનામું આપનાર પહેલો હોઈશ: આસામના CM

દિસપુર: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટને લઈને મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર વ્યક્તિને નાગરિકતા મળી ગઈ, તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર કોઈ વ્યક્તિને નાગરિકતા […]

હરિયાણાના સીએમ ખટ્ટરે રાજીનામું આપ્યું, ભાજપ-જેજેપી ગઠબંધનમાં ભંગાણ

ચંદીગઢ: હરિયાણાના રાજકારણમાં મંગળવારે મોટો ફેરબદલ થયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય ભાજપના ટેકામાં આગળ આવ્યા છે. તેની સાથે જ ભાજપ અને જનનાયક જનતાદળ એટલે કે જેજેપીનું ગઠબંધન તૂટવાનું નક્કી છે. હવે નવી સરકારમાં ભાજપના નવા મુખ્યમંત્રી બનવાની શક્યતા છે. આ […]

અમદાવાદના પાલડી અન્ડરબ્રિજનું કામ બાકી હતું, છતાંયે લોકાર્પણ કરી દેવાતા કોંગ્રેસે કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે બ્રોજગેજ રેલવે લાઈન પર કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ અન્ડરબ્રિજનું કામ બાકી હોવા છતાંયે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરી દેવાયું હતુ, ત્યારબાદ અધૂરૂ કામ પુરૂ કરવા માટે અન્ડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે મ્યુનિ.ની સામાન્ય સભામાં કોંગ્રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code