1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ગુજરાતના માધવપુર બીચ પર ભારતીય સેનાનો ઐતિહાસિક પરાક્રમ, સમુદ્રમાં પહેલી વાર ટૅન્ક ઉતાર્યા

ભૂજઃ ભારતે પોતાના સૈનિક ઇતિહાસમાં એક નવો અને સાહસિક અધ્યાય લખ્યો છે. ગુજરાતના માધવપુર બીચ પર યોજાયેલા ‘એક્સરસાઇઝ ત્રિશૂલ’ દરમિયાન ભારતીય સેનાએ પ્રથમ વખત સીધા સમુદ્રમાં ટૅન્ક ઉતારી ઇતિહાસ રચ્યો છે. દરિયાની મોજાં અને બખ્તરબંદ ટૅન્કોની ગર્જનાના આ અનોખા મિલનએ સાબિત કરી દીધું કે ભારતીય સેના હવે માત્ર ભૂમિ સુધી મર્યાદિત નહીં, પરંતુ સમુદ્રને પણ […]

બિહારમાં વિકાસ, સુશાસન, સામાજિક ન્યાય અને જનકલ્યાણની ભાવનાની જીતઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કેઆ પરિણામ વિકાસ, સુશાસન, સામાજિક ન્યાય અને જનકલ્યાણની ભાવનાની જીત છે. PM મોદીએ X પર લખ્યું હતું કે, “બિહારના મારા પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર, જેમણે NDAને અદ્ભુત અને અભૂતપૂર્વ જીતનો આશીર્વાદ આપ્યો. આ પ્રચંડ જનમંડેટ અમને વધુ […]

ચેન્નાઈ : ભારતીય વાયુસેનાનું ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટનો બચાવ

ચેન્નાઈ : ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટસ બેસિક ટ્રેનર વિમાન શુક્રવારે તામ્બરમ નજીક નિયમિત તાલીમ ઉડાન દરમ્યાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સદનસીબે પાયલટ સમયસર ઇજેક્ટ થઈ ગયો હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. વાયુસેનાએ જણાવ્યું કે આ ઉડાન સામાન્ય તાલીમ મિશનનો ભાગ હતી. ઘટના બાદ તરત જ રાહત અને સુરક્ષા ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, જ્યારે સ્થાનિક પ્રશાસને […]

વર્લ્ડ કપ જીત્યા પછી શેફાલી વર્માએ માનસા માતાના મંદિરમાં શીશ ઝુકાવ્યું

નવી દિલ્હીઃ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના અંતિમ બે મેચોમાં અચાનક ટીમમાં સામેલ થતાં જ ભારતીય ટીમને વિજય અપાવનારી શેફાલી વર્માએ ગુરુવારે પોતાના વતન કોટપૂતલી-બહોરોડ જિલ્લાના દહમી ગામમાં પહોંચીને કુલદેવી માનસા માતાના દરબારમાં પૂજા-અર્ચના કરી હતી. જીત બાદ મળેલો મેડલ પણ તેમણે માતાના ચરણોમાં સમર્પિત કર્યો અને 56 ભોગનો પ્રસાદ અર્પણ કર્યો હતો. શેફાલીએ જણાવ્યું કે […]

બિહાર ચૂંટણીમાં કોંગ્રેસે હારનું ઠીકરુ ચૂંટણીપંચ અને SIR ઉપર ફોડ્યું

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા 2025નાં પરિણામો અંતિમ તબક્કામાં છે અને વલણો મુજબ NDA ફરી સત્તા સ્થાપિત કરતી નજરે પડે છે, જ્યારે મહાગઠબંધનને ભારે ઝટકો લાગ્યો છે. આ વચ્ચે કોંગ્રેસે પોતાના નબળા પ્રદર્શન માટે ચૂંટણી પંચ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને જવાબદાર ગણાવી છે. બીજી તરફ એનડીએમાં જીતનો માહોલ છે અને આગામી સરકારને લઈને રણનીતિ […]

બાબરી ધ્વંસ બાદ મુઝાયેલા હિન્દુ સમાજને સંઘનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થયું હતું: અતુલ લિમયે

બાળાસાહેબ દેવરસ અને રજ્જુભૈયાના સરસંઘચાલક તરીકેના કાર્યકાળમાં ભારત અનેક પ્રકારની ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યું હતું સંઘ શતાબ્દિ નિમિત્તે યોજાઈ રહેલી વ્યાખ્યાનમળાના ત્રીજા દિવસે ગુરુવારે કવિ તુષાર શુક્લ, મંત્રી રિવાબા જાડેજા ઉપરાંત વિવિધ યુનિવર્સિટના વાઈસ ચાન્સેલરોની નોંધપાત્ર હાજરી અમદાવાદ, 14 નવેમ્બર, 2025: 100 Years of RSS ડિસેમ્બર 1992માં બાબરી ધ્વંસ થયો ત્યારબાદ હિન્દુ સમાજ મુઝવણમાં હતો […]

ભારત સરકારે અંબાજી વિસ્તારના માર્બલને “ભૌગોલિક સંકેત” તરીકે માન્યતા આપી

ગાંધીનગરઃ ભારત સરકારે અંબાજી વિસ્તારના માર્બલને “ભૌગોલિક સંકેત” (Geographical Indication – GI Tag) તરીકે માન્યતા આપી છે. આ સિદ્ધિ સાથે અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે.GI ટેગ મળવાથી ‘અંબાજી માર્બલ’નું માન વધ્યું છે, અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે. આ નોંધણી Ambaji […]

ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝનો આવતીકાલથી પ્રારંભ: પ્રથમ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે

નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બહુપ્રતિક્ષિત ટેસ્ટ સિરીઝનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. આ સિરીઝની શરૂઆતની મેચ ક્રિકેટના ઐતિહાસિક મેદાન ગણાતા કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મુકાબલો બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ ધરાવે છે. પ્રશંસકોને બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળવાની આશા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા […]

ભારતનું શક્તિચિહ્ન : લદ્દાખમાં તૈયાર થયું દેશનું સૌથી ઊંચું એરબેસ

લદ્દાખ: ભારતે પૂર્વી લદ્દાખમાં ચીનની સરહદથી અતિ નજીક આવેલ ન્યોમા ખાતે દેશનું સૌથી ઊંચું એરબેસ તૈયાર કરી લીધું છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-130J સુપર હરક્યુલિસમાં સવાર થઈને ન્યોમા એરબેસ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ એરબેસ 13,700 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે અને ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો, નુહમાંથી ખરીદાયું 20 ક્વિન્ટલ એમોનિયમ નાઈટ્રેટ!

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં સોમવારે લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે તપાસ એજન્સીઓ દેશભરમાં દરોડા પાડી રહી છે. હવે આ કેસના તાર હરિયાણાના નુહ (મેવાત) વિસ્તાર સુધી પહોંચ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નુહમાંથી 20 ક્વિન્ટલ NPK (એમોનિયમ નાઇટ્રેટ) ખરીદવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ બ્લાસ્ટમાં થયો હોવાની આશંકા છે. આ વિસ્ફોટક સામાન્ય રીતે ગેરકાયદે ખનન માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code