1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્દઘાટન

અમદાવાદ, 5 ડિસેમ્બર, 2025ઃ Union Home Minister Amit Shah inaugurates ‘Swadeshotsav 2025’ ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને આગળ ધપાવતા ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે શુક્રવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ […]

અદાણી પોર્ટની મધરસન સાથે ભાગીદારીઃ દિઘી પોર્ટ વાર્ષિક બે લાખ કાર નિકાસ કરશે

અમદાવાદ, ૫ ડિસેમ્બર ૨૦૨૫ – મહારાષ્ટ્રના દિઘી પોર્ટ પર ઓટો વાહનોની નિકાસ માટે સમર્પિત સુવિધાનું નિર્માણ કરવા માટે મધરસને તેના સંયુક્ત સાહસ સંવર્ધન મધરસન હમાક્યોરેક્સ એન્જિનિયર્ડ લોજિસ્ટિક્સ લિ. (SAMRX)એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ)ની પેટાકંપની દિઘી પોર્ટ લિ. (DPL) સાથે સમજૂતી કર્યાની આજે જાહેરાત કરી છે.. દિઘી પોર્ટને મુંબઈથી પુણે ઓટો બેલ્ટમાં નિકાસકારો […]

RBIએ રેપો રેટ ઘટાડીને 5.25 ટકા કર્યો, હોમ-કાર લોન સસ્તી થશે

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે કરોડો લોનધારકો જેની રાહ જોઈ રહ્યા હતા, તે મોટી જાહેરાત કરી દીધી છે. વધતી મોંઘવારી વચ્ચે EMI માં રાહતની આશા રાખીને બેઠેલા ગ્રાહકો માટે આ એક મોટી ભેટ છે. મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠક બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25% નો ઘટાડો કરીને […]

માર્ગ અકસ્માત ઘટાડવા લેવાયો મહત્વનો નિર્ણય, ટુ-વ્હીલરમાં એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત કરાઈ

નવી દિલ્હીઃ દેશમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે કેન્દ્ર સરકારે દ્વિ-ચક્રી વાહનો માટે બે મોટા અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જૂન 2026 થી, 125 સીસી (125સીસી) થી ઓછી એન્જિન ક્ષમતાવાળા સ્કૂટર અને બાઇકમાં પણ કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ (સીબીએસ) ની જગ્યાએ એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) લગાવવાનું ફરજિયાત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રાલયના એક અભ્યાસ મુજબ, 2023માં થયેલા માર્ગ […]

ઈઝરાયલની આર્મી હવે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ નહીં કરે, સુરક્ષાના કારણોસર લેવાયો નિર્ણય

ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલ ડિફેન્સ ફોર્સને સાઈબર સુરક્ષાને મજબુત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે લેફ્ટન્ટ કર્મલ તથા તેમની ઉપરના સિનિયર અધિકારીઓ સત્તાવાર સંદેશાવ્યવહાર માટે હવે આઈફોનનો ઉપયોગ કરશે. સુરક્ષાનો કારણોસર એન્ડ્રોઈડ ફોન સંપૂર્ણ રીતે બેન કરવામાં આવ્યો છે. ડિજીટલ સેંઘમારી કોશિશો અને વધતી સાયબર જાસૂસી […]

૯,૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયતઃ જુઓ વીડિયો

વિકસિત ભારત @૨૦૪૭’ માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાની મહત્વપૂર્ણ જવાબદારી આંગણવાડી કાર્યકર બહેનોએ નિભાવવાની છે:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આંગણવાડી કાર્યકરો માત્ર સરકારી સેવામાં નહીં, પરંતુ બાળકોના ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાઈ: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલ ગાંધીનગર, 4 ડિસેમ્બર, 2025ઃ Anganwadi workers and Tedagar sisters રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી […]

પ્રેસિડેન્ટ પુટિન દિલ્હીમાં રૂ. 170 કરોડના ભવ્ય આવાસમાં મહેમાનગતિ માણશે

નવી દિલ્હી, 4 ડિસેમ્બર, 2025 President Putin in Delhi વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો ભારતની મુલાકાતે આવે ત્યારે ક્યાં રહેતા હશે એવો પ્રશ્ન અનેકને થતો હશે. વડાપ્રધાન સહિત ભારતીય નેતાગીરી સાથેની મુલાકાતો કે પત્રકાર પરિષદનાં સ્થળ તો જાહેર થતાં હોય છે, પરંતુ આ વિદેશી નેતાઓ રોકાણ ક્યાં કરતા હશે તેની ખાસ કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. છતાં મોટાભાગના […]

કોહલીની ધમાકેદાર વાપસી: સદી ફટકારતા ODI રેન્કિંગમાં મોટો ફેરફાર

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલીના બેટમાંથી શાનદાર સદી નીકળ્યા બાદ માત્ર મેદાન પર જ નહીં, પણ ICC રેન્કિંગમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ICC દ્વારા 30 નવેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવેલી નવી પુરુષ ODI બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલીએ ટોપ-5માં ધમાકેદાર વાપસી કરી છે. નવી રેન્કિંગ મુજબ, ટીમ ઇન્ડિયાના […]

ઇસ્લામી કટ્ટરપંથનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ ક્ષેત્ર અને લોકો પર નિયંત્રણ મેળવવાનો: US વિદેશમંત્રી રૂબિયો

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ચેતવણી આપી હતી કે ઇસ્લામી કટ્ટરપંથનો મુખ્ય ઉદ્દેશ્ય ‘વધુ ક્ષેત્ર અને લોકો પર નિયંત્રણ મેળવવાનો’ છે. તેમણે કહ્યું કે આ દુનિયા માટે ‘એક સ્પષ્ટ અને તત્કાળ જોખમ’ છે. રુબિયોએ ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે અમેરિકા માટે સૌથી મોટો ખતરો ઇસ્લામી કટ્ટરપંથથી છે. તેમના મતે, આ લોકો અમેરિકાને ધરતી […]

ભારતીય નેવી હિંમત અને મક્કમ ઈરાદાની ઓળખઃ પીએમ મોદી

નવી દિલ્હી: આજે ભારતીય નૌસેના દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત તમામ મોટા નેતાઓએ નૌસૈનિકોને શુભેચ્છાઓ પાઠવી છે. નેતાઓએ નૌસેનાના બલિદાન અને સમુદ્રી સુરક્ષામાં તેના યોગદાનને બિરદાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભારતીય નૌસેનાને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, “ઇન્ડિયન નેવીના તમામ લોકોને નેવી ડેની ખૂબ ખૂબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code