1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ખૈબર પખ્તૂનખ્વામાં આતંકીઓ સાથે અથડામણમાં 11 પાકિસ્તાની સૈનિકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ઓરકઝાઈ જિલ્લામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકીઓ સાથે થયેલી ભયાનક અથડામણમાં પાકિસ્તાની સેનાના 11 જવાનો માર્યા ગયા છે. મૃત્યુ પામેલા સૈનિકોમાં લેફ્ટનન્ટ કર્નલ જુનૈદ આરિફ અને મેજર તૈયબ રાહતનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે તેમને રાત્રે ખૈબર પખ્તૂનખ્વાના ઓરકઝાઈ જિલ્લામાં TTP આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. તે બાદ […]

ભારતમાં 1 GB વાયરલેસ ડેટાની કિંમત એક કપ ચાની કિંમત કરતાં પણ ઓછીઃ PM મોદી

નવી દિલ્હીઃ ભારત અને એશિયાનો સૌથી મોટો ટેકનોલોજી મેળો ગણાતો ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025 આજે ધામધૂમથી શરૂ થયો છે. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં 8 થી 11 ઑક્ટોબર સુધી ચાલનારા આ મહાઆયોજનનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશની યુવા પેઢી ટેક રેવોલ્યુશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી […]

દિલ્હીઃ 10 ગેરકાયદેસર બાંગ્લાદેશી ટ્રાન્સજેન્ડર ઝડપાયાં

દિલ્હી પોલીસના ફોરેન સેલ દ્વારા કરવામાં આવેલા એક ઓપરેશનમાં, દિલ્હીના શાલીમાર બાગ અને મહિન્દ્રા પાર્ક વિસ્તારમાંથી 10 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. બધા આરોપીઓ ટ્રાન્સજેન્ડર છે, અને તેમની પાસેથી સાત સ્માર્ટફોન અને 10 બાંગ્લાદેશી નેશનલ આયડી મળી આવ્યા હતા. દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે હૈદરપુર મેટ્રો સ્ટેશન અને નવી સબઝી મંડી વિસ્તારમાં […]

શેરબજારમાં તેજી: સેન્સેક્સ 82,000ને પાર

મુંબઈઃ સપ્તાહના ત્રીજા દિવસે (બુધવાર) ભારતીય શેરબજારની શરૂઆત ગ્રીન ઝોનમાં થઈ છે. બજારના મુખ્ય સૂચકાંકો વધારા સાથે ખૂલ્યા છે, જે વૈશ્વિક સંકેતો અને સ્થાનિક તેજીનો સંકેત આપે છે. બજાર ખૂલતાની સાથે સેન્સેક્સ 135 અંકના વધારા સાથે 82,062ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી 28 અંકના વધારા સાથે 25,136ના સ્તર પર […]

જયપુર-અજમેર હાઇવે પર LPG સિલિન્ડર ટ્રક અકસ્માતમાં વિસ્ફોટ બાદ 25 કિમી લાંબો ટ્રાફિક જામ

રાજસ્થાનમાં એક મોટો માર્ગ અકસ્માત થયો. જયપુર-અજમેર હાઇવે પર LPG સિલિન્ડરો ભરેલો ટ્રક અને કેમિકલ ભરેલો ટેન્કર સામસામે અથડાયા. આ ટક્કર એટલી જારદાર હતી કે તેના કારણે સિલિન્ડર ટ્રકમાં જોરદાર વિસ્ફોટ થયો, જેનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાયો. બંને ટ્રકમાંથી આગ ફેલાઈ ગઈ, જે ઘણા કિલોમીટર સુધી દેખાઈ. સિલિન્ડરના ટુકડા નજીકના વાહનો પર પડ્યા, જેના […]

દાઉદના વિશ્વાસુ ડ્રગ્સ માફિયા સલીમ ડોલાની સામે ઈડીની કાર્યવાહી, મુંબઈમાં 8 સ્થળો ઉપર દરોડા

મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન અને આતંકવાદી દાઉદ ઈબ્રાહીમ હાલ પડોશી દેશ પાકિસ્તાનમાં છુપાયેલો છે. બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા અંડરવર્લ્ડ સાથે જોડાયેલા શખ્સો સામે કાનૂની ગાળિયો કસ્યો છે. દરમિયાન કેન્દ્રીય એજન્સી ઈડીએ મુંબઈમાં દાઉદના વિશ્વાસુ મનાતા સલીમ ડોલાના ડ્રગ્સ નેટવર્કને લઈને દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. ઈડીએ પીએમએલએ 2002 હેઠલ મુંબઈમાં 8 સ્થળો ઉપર દરોડા પાડીને […]

જૂનિયર જુડો વર્લ્ડશિપમાં લિન્થોઈ ચાનમ્બમે ભારત માટે જીત્યો પ્રથમ કાંસ્ય ચંદ્રક

નવી દિલ્હીઃ ભારતીય જુડો ખેલાડી લિન્થોઈ ચાનમ્બમએ જુનિયર જુડો વર્લ્ડશિપમાં મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પેરુના લિમા ખાતે આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં, 19 વર્ષીય લિન્થોઈએ ભારત માટે પ્રથમ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી છે. લિન્થોઈ ચાનમ્બમે મહિલાઓની 63 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય ચંદ્રક (બ્રોન્ઝ મેડલ) જીત્યો છે. બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં તેણે નેધરલેન્ડની જોની ગીલેનને હરાવીને આ સિદ્ધિ […]

પહેલગામ હુમલાના માસ્ટર માઈન્ડ સૈફુલ્લાહ કસુરીએ પીએમ મોદીને ધમકી આપી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અને પહેલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ટ સૈફુલ્લાહ કસુરીએ ફરી એકવાર ભારતને ધમકી આપી છે. તેણએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પીએમ મોદીને ધમકી આપી છે તેમજ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરની પ્રશંસા કરી છે. કાસુરી 4 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની સેનાના સિનિયર અધિકારીઓ સાથે જોવા મળ્યો હતો. કાસુરીએ […]

માતા વૈષ્ણોદેવીની યાત્રા આજે ફરી શરૂ, શ્રદ્ધાળુઓમાં ખુશી

ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે અસ્થાયી રૂપે સ્થગિત કરાયેલી માતા વૈષ્ણોદેવીની યાત્રા આજે (8 ઓક્ટોબર) સવારે 6 વાગ્યાથી ફરી શરૂ કરવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે યાત્રા ફરી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. યાત્રા ફરી શરૂ થતાં જ, કટરા શહેરમાં યાત્રા શરૂ થવાની રાહ જોઈને ફસાયેલા આશરે 2,000 જેટલા શ્રદ્ધાળુઓમાં ખુશીનો […]

હિમાચલ પ્રદેશ: બિલાસપુરના બાલુઘાટમાં ભૂસ્ખલનથી બસ દબાઈ, 18 લોકોના મોત

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડુતા સબડિવિઝન હેઠળ આવેલા બાલુઘાટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ભૂસ્ખલનના કારણે એક ખાનગી બસ દટાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ ગમખ્વાર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના કરૂણ મોત થયા છે અને અનેક મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર, દુર્ઘટના સમયે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code