1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

છિંદવાડાના વધુ એક બાળકનું કિડની ફેલ્યોરથી મોત, મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 19 બાળકોના મોત

કિડની ફેલ્યોરથી વધુ એક બાળકનું મોત થયું. છિંદવાડાના જુન્નારદેવની રહેવાસી જયુષા નાગપુરની જીએમસી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. પ્રવીણ સોની દ્વારા પણ તેની સારવાર કરવામાં આવી હતી. ફક્ત છિંદવાડામાં જ 16 બાળકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં કુલ 19 બાળકોના મોત થયા છે, જેમાં પાંધુર્ણા અને બેતુલનો સમાવેશ થાય છે. દરમિયાન, આરોગ્ય મંત્રી રાજેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું […]

હરિયાણાના એડીજીપી વાય પૂરણ કુમારે ગોળી મારીને આત્મહત્યા કરી

હરિયાણા કેડરના એડીજીપી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી છે. તેમણે ચંદીગઢના સેક્ટર 11 સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ, ચંદીગઢ ફોરેન્સિક ટીમ તેમના ઘરે પહોંચી હતી. વાય. પૂરણ કુમારની પત્ની એક IAS અધિકારી છે. તેમનું નામ અમનીત પી. કુમાર છે. ઘટના બની ત્યારે તેમની પત્ની, અમનીત, ઘરે […]

પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી હુમલો, બલૂચ આર્મીએ લીધી જવાબદારી

પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર ફરી એકવાર હુમલો થયો છે. બોમ્બ વિસ્ફોટમાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. બલૂચ આર્મીએ પાટા પર રિમોટ-કંટ્રોલ્ડ IED બોમ્બ લગાવ્યો હતો. આ વર્ષે જાફર એક્સપ્રેસ પર આ ત્રીજો મોટો હુમલો છે. પીટીઆઈના […]

ભારત આ વર્ષે પણ વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બન્યુંઃ વર્લ્ડ બેંક

નવી દિલ્હીઃ વર્લ્ડ બેંક દ્વારા નાણાકીય વર્ષ 2026 (FY26) માટે ભારતના વૃદ્ધિ દરના અનુમાનને 6.3 ટકાથી વધારીને 6.5 ટકા કરવામાં આવ્યું છે. મજબૂત ઘરેલું માંગ, ગ્રામીણ માંગમાં સુધારો અને કર સુધારાઓની સકારાત્મક અસરને કારણે આ વધારો થયો છે. વર્લ્ડ બેંકે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત આ વર્ષે પણ વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થા […]

વિશ્વમાં હાલ દરેક વસ્તુને હથિયાર તરીકે ઉપયોગમાં લેવાનો ટ્રેન્ડ વધ્યો: ડો.એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિશ્વ હાલમાં મોટા પરિવર્તન અને વધતી સ્પર્ધાના યુગમાંથી પસાર થઈ રહ્યું છે. તેમજ દરેક વસ્તુને હથિયાર તરીકે ઉપયોગ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, અને આવા સમયમાં ભારતે પોતાની રણનીતિ વધુ મજબૂત બનાવી આગળ વધવું આવશ્યક છે. તેમ વિદેશ પ્રધાન એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમણે “નેબરહુડ ફર્સ્ટ” નીતિ પર ભાર મૂકતાં કહ્યું કે ઉપખંડમાં કોઈપણ […]

કતરમાં હવે UPI થી થઈ શકશે પેમેન્ટ, ભારતીય પ્રવાસીઓને મળશે રાહત

નવી દિલ્હીઃ ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સિસ્ટમ હવે વૈશ્વિક સ્તરે પોતાની હાજરી મજબૂત બનાવી રહી છે. આ સાથે હવે કતાર પણ UPIનો ઉપયોગ કરતા દેશોની યાદીમાં જોડાઈ ગયો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે દોહાના લુલુ મોલમાં UPI સિસ્ટમનું સત્તાવાર લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગ્રે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “UPI માત્ર […]

રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે ભારત, 2024-25માં 1.20 લાખ કરોડના સૈન્ય ઉપકરણો ખરીદાયા

  નવી દિલ્હીઃ રક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારતે વર્ષ 2024-25ના અંત સુધીમાં સ્થાનિક સ્ત્રોતોમાંથી રૂ.1.20 લાખ કરોડના સૈન્ય સાધનો અને હથિયારોની ખરીદી કરી છે. તેમણે કહ્યું હતું કે દેશ રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલા પડકારોનો સામનો કરવા માટે આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાનું સતત ધ્યાન રાખી રહ્યો છે. રાજનાથસિંહે એક કાર્યક્રમમાં કહ્યું કે સરકાર યુદ્ધના બદલાતા સ્વરૂપને, […]

વર્ષ 1971માં પાકિસ્તાની સેનાએ 4 લાખ મહિલાઓ સાથે બળાત્કાર ગુજાર્યો હતોઃ ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મહિલોની સુરક્ષા અને શાંતિ વ્યવસ્થાને લઈને મળેલી બેઠકમાં ભારતે પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથનેની હરીશે જણાવ્યું હતું કે, પાકિસ્તાન માત્ર જુઠ્ઠાણા ફેલાવીને દુનિયાનું ધ્યાન ભટકાવી રહ્યું છે. 1971માં ઓપરેશન સર્ચલાઈટ હેઠળ પાકિસ્તાની સેનાએ લગભગ 4 લાખ મહિલાઓ સાથે બળાત્કાર કર્યો હતો. તેમણે વધુમાં […]

મહર્ષિ વાલ્મીકિ જયંતિ: રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓએ મંગળવારે (7 ઓક્ટોબર) મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લખ્યું કે, “મહર્ષિ વાલ્મીકિ જયંતિ પર સૌને હાર્દિક શુભેચ્છાઓ. પ્રથમ કવિ વાલ્મીકિ દ્વારા રચિત રામાયણે માનવતાને ભગવાન રામની પ્રેરણાદાયી કથા અને આદર્શ જીવન […]

મધ્યપ્રદેશમાં કફસીરપ પીધા બાદ 16 બાળકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, CBI તપાસની માંગણી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં કફ સીરપ પીધા બાદ 16 બાળકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, તેમજ સમગ્ર પ્રકરણની સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આગામી દિવસોમાં આ અરજી ઉપર સુનાવણી હાથ ધરાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ મધ્યપ્રદેશ સરકાર પણ સાબદી બની છે અને જરૂરી તપાસના નિર્દેશ કર્યાં છે. મધ્યપ્રદેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code