1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

યાસીન મલિકે આતંકવાદી હાફિઝ સઈદ સાથેની મુલાકાતને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી : આતંકવાદી અને હાલ ટેરર ફંડિંગ કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીન મલિકના સોગંદનામાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. 25 ઑગસ્ટે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરેલા એફિડેવીટમાં મલિકે દાવો કર્યો કે તેણે વર્ષ 2006માં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સાથે મુલાકાત કરી હતી. […]

‘ઓપરેશન સિંદૂર’એ દુનિયાને દેખાડી ભારતીય સેનાની શક્તિ : CDS અનિલ ચૌહાણ

નવી દિલ્હી : ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન સમગ્ર દુનિયા સામે કર્યું. આ મિશન સંપૂર્ણ સફળ રહ્યું અને તેની ચર્ચા વિશ્વસ્તરે થઈ. આ કાર્યવાહીથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું. જોકે, લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે આ ઓપરેશન ખાસ કરીને રાત્રે 1.30 વાગ્યે જ કેમ હાથ ધરવામાં આવ્યું? આનો જવાબ ચીફ ઓફ […]

પડોશી દેશો સાથેના સંબંધો મામલે ભારતનું ભાગ્ય સારું નથી : રક્ષામંત્રી રાજનાથસિંહ

નવી દિલ્હી : દેશની સુરક્ષા માત્ર સરહદે લડાયેલા યુદ્ધોથી નક્કી થતી નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રના સંકલ્પ અને એકતાથી નક્કી થાય છે, એમ રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું. 1965ના ભારત-પાક યુદ્ધના દિગ્ગજ જવાનો સાથેની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “ભારત પડોશી દેશો સાથેના સંબંધોમાં ભાગ્યશાળી રહ્યું નથી, પરંતુ અમે કદી તેને નિયતિ માની નથી. […]

મુહમ્મદ યુનુસ સરકાર સામે લંડનમાં બાંગ્લાદેશી પ્રવાસીઓનો વિરોધ

બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન વિદેશી ધરતી પર વધી રહ્યા છે. આ વખતે, યુનાઇટેડ કિંગડમમાં રહેતા 2,000 થી વધુ બાંગ્લાદેશી ડાયસ્પોરાના સભ્યોએ લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં એક પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન સરકાર દ્વારા બાંગ્લાદેશમાં લોકો પરના દમન, માનવાધિકાર ઉલ્લંઘન અને અલોકતાંત્રિક પ્રવૃત્તિઓના વિરોધમાં યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં અવામી લીગ પણ મુહમ્મદ યુનુસ સરકાર […]

ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે મંત્રણા થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ટૂંક સમયમાં ટીકટોકના ભવિષ્ય અંગે વાતચીત કરવાના છે. આ જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, આ વાતચીતનો મુખ્ય હેતુ ટીકટોકને લગતા વિવાદનો ઉકેલ લાવવાનો છે. તેમણે સ્વીકાર્યું કે તેમને ટીકટોક પસંદ છે અને આ પ્લેટફોર્મે તેમને […]

ભારત સરકાર મહિનાના અંત સુધીમાં AI ગવર્નન્સ ફ્રેમવર્ક રજૂ કરશે

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે AI ઇમ્પેક્ટ સમિટ 2026 માટેના લોગોનું અનાવરણ કર્યું છે. આ સમિટ ભારતના નેતૃત્વ હેઠળ યોજાશે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. લોગો રીલિઝ કરતા, મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે ભારત સરકાર આ મહિનાના અંત સુધીમાં AI ગવર્નન્સ ફ્રેમવર્ક રજૂ કરશે. આ ફ્રેમવર્ક નવી […]

ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ થશે

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિચાર ઉપવિભાગના એક ગામમાં ગઈ રાત્રે વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે કેટલાક ઘરોને નુકસાન પહોંચ્યું છે અને અનેક વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. બીજી તરફ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ચોમાસાના વિરામ બાદ ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી છે. યાત્રિકોની સુરક્ષા અને […]

અફઘાનિસ્તાનમાં છોકરીઓને શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફનું આહ્વાન

અફઘાનિસ્તાનમાં છોકરીઓને તમામ સ્તરે શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફે આહ્વાન કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ)એ ચેતવણી આપી છે કે, છોકરીઓના શિક્ષણ પરના પ્રતિબંધોએ તેમને તેમના ઘરોમાં જ સીમિત કરી દીધી છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, બાળ લગ્ન અને નાની ઉંમરે ગર્ભાવસ્થાનો સામનો કરી રહી છે. એક નિવેદનમાં, યુનિસેફે ચેતવણી […]

ભારતીય રેલવેનો દર વર્ષે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ પર 1.30 લાખ હજાર કરોડથી વધુ ખર્ચ

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું,, ભારતીય રેલવે દર વર્ષે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ પર એક લાખ 30 હજાર કરોડથી વધુ ખર્ચ કરે છે. તેમણે કહ્યું કે, સરકારના સતત પ્રયાસોને કારણે, 2013-14માં અકસ્માતોની સંખ્યા 170 થી ઘટીને 31 થઈ ગઈ છે. મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે ટેકનોલોજી અને સુધારેલી જાળવણી પદ્ધતિઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. […]

ICC ના તાજેતરના રેન્કિંગમાં વરુણ ચક્રવર્તી વિશ્વનો નંબર 1 T20 બોલર બન્યો

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રેન્કિંગમાં વરુણ ચક્રવર્તી વિશ્વનો નંબર વન બોલર બન્યો છે. તે ચોથા સ્થાનથી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ભારતીય ટીમ પહેલાથી જ વિશ્વની નંબર વન T20 ટીમ છે (T20 માં ભારત ટીમ રેન્કિંગ). વિશ્વના ટોચના બોલરોમાંના એક, જસપ્રીત બુમરાહ, T20 બોલિંગ રેન્કિંગમાં ટોચના 10 માં પણ સ્થાન ધરાવતા નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code