1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગ્રેટર નોઈડામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડાના ઈકોટેક થર્ડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉદ્યોગ વિહારમાં સ્થિત એક મોટા ઔદ્યોગિક એકમમાં સોમવારે (6 ઓક્ટોબર) મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. પ્લાસ્ટિક ફેક્ટરીમાં અચાનક લાગેલી આગ થોડીવારમાં જ ઝડપથી ફેલાઈ ગઈ, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ફેક્ટરીની અંદર મોટી માત્રામાં જ્વલનશીલ પ્લાસ્ટિક અને પેકેજિંગ સામગ્રી હાજર હતી, જેના કારણે […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2022-23 માટે માય ભારત-નેશનલ સર્વિસ સ્કીમ એવોર્ડ્સ એનાયત કર્યા

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં, વર્ષ 2022-23 માટે MY ભારત-રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો રજૂ કર્યા હતા. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસેએ એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી. યુવા બાબતોના સચિવ […]

કેરળઃ સબરીમાલા ગોલ્ડ વિવાદમાં હાઈકોર્ટે SITની તપાસનો આદેશ કર્યો

બેંગ્લોરઃ કેરળ હાઈકોર્ટે સબરીમાલા સોનાના ઢોળવાના વિવાદની તપાસ માટે એક ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. તપાસ રિપોર્ટ એક મહિનાની અંદર રજૂ કરવો રહેશે. SIT ADGP H. Venkatesh ના નેતૃત્વમાં હશે અને તેમાં પાંચ સભ્યો હશે. આ વધતા મંદિર વિવાદમાં ન્યાયતંત્રનો સીધો હસ્તક્ષેપ દર્શાવે છે. દેવસ્વોમ વિજિલન્સ રિપોર્ટનો અભ્યાસ કર્યા પછી હાઈકોર્ટનો આ નિર્દેશ […]

બિહારમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, 14મી નવેમ્બરે મતગણતરી

નવી દિલ્હીઃ બિહારમાં છેલ્લા કેટલાક સમયથી વિધાનસભાની ચૂંટણીને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.દરમિયાન આજે આ આતુરતાનો અંત આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાની 243 બેઠકો માટે બે તબક્કામાં તા. 6 નવેમ્બર અને 11 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. તેમજ 14મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે […]

પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધુ વિદેશી કેદીઓ, મોટાભાગના બાંગ્લાદેશી

નવી દિલ્હીઃ ભારતની વિવિધ જેલોમાં હજારો કેદીઓ સજા ભોગવી રહ્યા છે અથવા કેસ વિચારાધીન છે, જેમાં નોંધપાત્ર સંખ્યામાં વિદેશી કેદીઓનો પણ સમાવેશ થાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના અહેવાલ મુજબ, સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલોમાં બંધ છે. અહેવાલ અનુસાર, ભારતમાં કુલ 6,956 વિદેશી કેદીઓ છે, જેમાંથી 2,508 (અથવા 36 ટકા) પશ્ચિમ […]

દિવાળીએ દેશભરમાં રેકોર્ડબ્રેક વેચાણની આશા, વેપાર રૂ. 4.75 લાખ કરોડ પાર જવાનો CAITનો અંદાજ

નવી દિલ્હી : આ વર્ષની દિવાળી દેશના વેપારીઓ માટે રેકોર્ડબ્રેક સાબિત થવાની સંભાવના છે. વેપાર સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના અંદાજ મુજબ આ વર્ષની દિવાળીના તહેવારમાં દેશભરમાં કુલ રૂ. 4.75 લાખ કરોડનું વેચાણ થવાની શક્યતા છે  જે અત્યાર સુધીનું સૌથી વધુ ગણાશે. CAITના રાષ્ટ્રીય મહાસચિવ અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું […]

ઈતિહાસ ક્યારેય ભૂલશે નહીં કે સીલ્સે લાદેનના ઘરમાં ઘૂસીને તેના માથામાં ગોળી મારી હતીઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન નેવી સીલ્સની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું કે, ઈતિહાસ ક્યારેય ભૂલશે નહીં કે આ વિશેષ દળે પાકિસ્તાનમાં પ્રવેશીને અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતાર્યો હતો. ટ્રમ્પ સોમવારે વર્જિનિયાના નોર્ફોક શહેરમાં નેવીના 250મા સ્થાપના દિવસના પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે,“ઈતિહાસ ક્યારેય ભૂલશે નહીં કે સીલ્સે […]

છિંદવાડા બાદ હવે બૈતુલમાં કફસિરપ પીધા બાદ બે બાળકોના મોત, પરિવારજનોમાં આક્રોશ

બૈતુલઃ મધ્યપ્રદેશના છિંદવાડામાં “કોલ્ડરિફ” અને “નેક્સટ્રો-ડીએસ” કફ સિરપ પીધા બાદ 14 બાળકોનાં મોતનાં કેસ સામે આવ્યા બાદ હવે બૈતુલ જિલ્લામાં પણ બે માસૂમ બાળકોનાં મોતની ઘટના સામે આવી છે. પરિવારોનું કહેવું છે કે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી કફ સિરપ પીધા બાદ બાળકોની તબિયત બગડી ગઈ અને તેમની કિડની નિષ્ફળ થઈ ગઈ. કલમેશ્વરા ગામના ખેડૂત કૈલાશ […]

દાર્જિલિંગમાં અવકાશી આફતઃ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 23 ઉપર પહોંચ્યો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મિરિક અને દાર્જિલિંગ પર્વતીય વિસ્તારોમાં સતત વરસતા વરસાદને કારણે રવિવારે થયેલા ભારે ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત નીપજ્યા છે. અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ભૂસ્ખલનના કારણે અનેક ઘરો ધરાશાયી થઈ ગયા છે, રસ્તાઓ તૂટી જવાથી પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અનેક દૂરના ગામોનો સંપર્ક તૂટી ગયો છે […]

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલએ ચીફ જસ્ટિસ ગવઈ પર જૂતુ ફેંકવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં સોમવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક કેસની સુનાવણી દરમિયાન એક વકીલએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ પર જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલો મુજબ, આ વ્યક્તિએ કોર્ટરૂમની અંદર સુત્રોચ્ચાર પણ કર્યા હતા. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેની અટકાયત કરી હતી. આ ઘટનાથી થોડા સમય માટે કોર્ટની કાર્યવાહી અટકી ગઈ હતી. સુત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code